ETV Bharat / city

ગણેશોત્સવમાં AAPએ માર્યું એક તીરથી 2 નિશાન

author img

By

Published : Sep 2, 2022, 11:32 AM IST

ગણેશોત્સવમાં AAPએ માર્યું એક તીરથી 2 નિશાન
ગણેશોત્સવમાં AAPએ માર્યું એક તીરથી 2 નિશાન

સુરતમાં આમ આદમી પાર્ટીએ ગણેશોત્સવ દરમિયાન ભક્તિની સાથે પ્રચાર કરવાનો નવો અભિગમ અપનાવ્યો છે. શહેરને સરથાણા વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ ગણેશ સ્થાપના કરી છે. અહીં દિલ્હી અને પંજાબ મોડેલની પણ ઝાંખી જોવા મળી રહી છે. Gujarat Election Campaign, aam aadmi party gujarat.

સુરત વિધાનસભાની ચૂંટણીને લઈને (Gujarat Assembly Elections 2022) તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારી કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ હવે ગણેશોત્સવમાં ભક્તિના પ્રસાર સાથે પાર્ટીના પ્રચારનો અભિગમ અપનાવ્યો છે. સરથાણા વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી (ganesh sthapana 2022) છે. અહીં મંડપમાં ગણેશજી પ્રતિમા સાથે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના કટઆઉટ પણ મૂકવામાં આવ્યા છે. એટલું જ નહીં, મંડપમાં દિલ્હી મોડેલ (aap delhi model) અને પંજાબ મોડલ (aap punjab model) અંગે પણ લોકોને માહિતીગાર કરવામાં આવી રહ્યા છે.

ચૂંટણીની તૈયારી

આપ કા રાજા આમ આદમી પાર્ટીએ અહીં ગણેશજીનું નામ (Gujarat Assembly Elections 2022) આપ કા રાજા (Surat AAP ka Raja ) આપ્યું છે. સાથે જ આ વિશાળકાય મંડપમાં જ્યાં જુઓ ત્યાં આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હી અને પંજાબમાં (aap punjab model) કરવામાં આવી રહેલા કામો અંગે લોકોને માહિતી આપવામાં આવી છે.

ગણેશજીના હાથમાં તિરંગા મંડપમાં પ્રવેશ કરતાની સાથે જ જોવા મળે છે કે, ગણેશજીના હાથમાં તિરંગા છે. જ્યારે પ્રતિમાની પાછળ ગુજરાત વિધાનસભાની મોટી તસવીર જોવા મળી રહી છે. વિધાનસભાની (Gujarat Assembly Elections 2022) આગળ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ગણેશજીના આસપાસ સમાજની પાર્ટીના કાર્યકર્તાઓ ખેસ પહેરીને જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત હાથમાં જાડુ લઈને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગણેશજીની પ્રતિમા નજીક જોવા મળે છે.

આ પણ વાંચો AAPનું ડોર ટુ ડોર કેમ્પેઇન, લોકોને આપશે ગેરેન્ટી કાર્ડ

મનોજ સોરઠીયાને માર માર્યો હતો ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે (Gujarat Assembly Elections 2022) આમ આદમી પાર્ટી પૂરજોશમાં પ્રચારપ્રસાર કરી રહી છે. એક તર બાજુ ડોર ટુ ડોર કેમ્પેઈનિંગ શરૂ કરવામાં આવ્યું છે. બીજી બાજુ ગણેશોત્સવના માધ્યમથી પણ આમ આદમી પાર્ટી ભક્તિના સંચાર સાથે પોતાના પ્રચારમાં પણ કોઈ કસર રાખવા માગતી નથી આ એજ ગણેશ પંડાલ છે, જ્યાં થોડાક દિવસ પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે બેનર લગાવવા મુદ્દે મારામારી થઈ હતી.

ગણેશજીનું નામ આપ કા રાજા
ગણેશજીનું નામ આપ કા રાજા

આ પણ વાંચો મનોજ સોરઠીયા પર હુમલાનો મામલો, ખબર કાઢવા આપ સાંસદ રાઘવ ચઢ્ઢા સુરતમાં આવી માગ્યું સીએમનું રાજીનામું

રાજ્યસભા સાંસદ પણ આવ્યા હતા અહીં ભાજપના કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી મનોજ સોરઠિયાને માર માર્યો (manoj sorathiya attacked in surat) હતો અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ દિલ્હીના આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા સુરત આવી પહોંચ્યા હતા અને આ જ ગણેશ પંડાલની મુલાકાત લઈ પૂજા અર્ચના કરી હતી.

મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં થાય છે ઉજવણી ગુડ ગવર્નન્સ, મોહલ્લા ક્લિનિક જેવી બાબતોને પ્રદર્શિત પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાનીએ જણાવ્યું હતું કે, દેશભરમાં ગણેશ ઉત્સવની ધૂમ (Gujarat Assembly Elections 2022) છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં મોટા પાયે ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક વિજય મેળવ્યો છે. દિલ્હીમાં પણ કેજરીવાલ સરકાર ઐતિહાસિક કાર્યો કરી રહી છે.

દિલ્હી મોડેલની ઝાંખી આ ગણેશ મંડળમાં અમે દિલ્હી મોડેલ એટલે કે, સરકારી શાળાઓના કાયાપલટ, ગુડ ગવરન્સ, મોહલ્લા ક્લિનિક જેવી બાબતોને પ્રદર્શિત કર્યા છે. સાથે જ દિલ્હી મોડેલની (aap delhi model) સાથો સાથે પંજાબ મોડલ પણ (aap punjab model) અહીં મૂકવામાં આવ્યું છે. જે રીતે હાલ પંજાબમાં આમ આદમી પાર્ટી કાર્યરત્ થઈ છે. તેની પણ ઝલક આ પાંડલમાં જોવા મળે મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.