ETV Bharat / city

સુરત ગ્રામ્યમાં આજે કોરાનાના 23 કેસ નોંધાયા

author img

By

Published : Jun 12, 2021, 2:25 PM IST

સુરત ગ્રામ્યમાં આજે કોરાનાના 23 કેસ નોંધાયા
સુરત ગ્રામ્યમાં આજે કોરાનાના 23 કેસ નોંધાયા

સુરત ગ્રામ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરાના પોઝિટિવ કેસોની સંખ્યા કરતા નેગેટિવ કેસની સંખ્યા વધુ જોવા મળી રહી છે. આજરોજ 23 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા હતા જયારે 78 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ કોરાના રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ થયા હતા

  • પોઝિટિવ દર્દીઓ કરતા નેગેટિવ દર્દીઓ વધુ નોંધાયા
  • સુરત ગ્રામ્યમાં કોરાનાના 23 પોઝિટિવ કેસ નોંધાયા
  • વધુ 76 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

સુરત: ગ્રામ્યમાં કોરાનાના 23 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આજે વાઇરસના લીધે એકપણ દર્દીનું મોત થયું ન હતુ. વધુ 76 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. હાલ 740 દર્દીઓ હોસ્પિટલમાં કોરાનાની સારવાર હેઠળ છે.

આજે કોરાનાના લીધે એકપણ દર્દીનું મોત નહીં

સુરત ગ્રામ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરાના પોઝિટિવ કેસોની સંખ્યા કરતા નેગેટિવ કેસની સંખ્યા વધુ જોવા મળી રહી છે. આજરોજ 23 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા હતા જયારે 78 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ કોરાના રિપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ થયા હતા અને આજે ગ્રામ્યમાં એકપણ દર્દીનું કોરાનાથી મોત થયું ન હતુ. ગ્રામ્યમાં હાલ 740 દર્દીઓ હજી હોસ્પિટલમાં કોરાનાની સારવાર લઈ રહ્યા છે. હાલ ગ્રામ્યમાં કોરાના કેસનો આંક 31,788 પર અને મુત્યુઆંક 475 પર છે જ્યારે સ્વસ્થ થયેલ દર્દીઓની સંખ્યા 30,573 પર પહોંચી ગઈ છે.

આ પણ વાંચો: સુરત ગ્રામ્યમાં આજે 6,858 લોકોએ લીધી Corona Vaccine

ઓલપાડમાં કોરાનાના 8 કેસ નોંધાયા

આજરોજ જિલ્લાના તાલુકાઓમાં એકલ દોકલ કેસ નોંધાયા હતા. તાલુકા દીઠ વાત કરીએ તો ઓલપાડ 08, કામરેજ 01, પલસાણા 02, બારડોલી 01, મહુવા 07, માંડવી 01, માંગરોળ 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.