ETV Bharat / city

Corona Effect: રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો સત્તત બીજા વર્ષે રદ

author img

By

Published : Jul 28, 2021, 7:57 PM IST

Corona Effect: રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો સત્તત બીજા વર્ષે રદ
Corona Effect: રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો સત્તત બીજા વર્ષે રદ

જન્માષ્ટમીના તહેવાર દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં લોકમેળાઓ અને ખાનગી મેળાઓ યોજાતા હોય છે. ત્યારે કોરોના સંક્રમણ ન ફેલાય માટે આ લોકમેળાઓ હવે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો મનાતો રાજકોટનો લોકમેળો પણ કલેકટર તંત્ર દ્વારા રદ કરવામાં આવ્યો છે.

  • સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો સત્તત બીજા વર્ષે રદ
  • કોરોનાની ત્રીજી લહેરને પગલે નિર્ણય કરવામાં આવ્યો
  • 10 લાખથી વધુ લોકો માણતા હતા મેળાની મજા

રાજકોટ: જન્માષ્ટમીના તહેવાર દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં લોકમેળાઓ અને ખાનગી મેળાઓ યોજાતા હોય છે. ત્યારે આ લોકમેળાઓ હવે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો મનાતો રાજકોટનો લોકમેળો પણ કલેકટર તંત્ર દ્વારા રદ કરવામાં આવ્યો છે. જ્યારે ગત વર્ષે પણ કોરોનાના કારણે રાજકોટના લોકમેળાને રદ કરવામાં આવ્યો હતો. કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે રાજકોટનો લોકમેળો રદ કરવામાં આવ્યો છે. જ્યારે ખાનગી મેળાઓ પણ હવે યોજાશે નહીં એટલે કે રાજકોટવાસીઓએ આ વર્ષે પણ જન્માષ્ટમીની ઉજવણી ઘરમાં જ કરવાની રહેશે.

Corona Effect: રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો સત્તત બીજા વર્ષે રદ
Corona Effect: રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો સત્તત બીજા વર્ષે રદ

ગત વર્ષે પણ લોકમેળો થયો હતો રદ

દેશમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે ગત વર્ષે પણ કોરોનાની મહામારીના કારણે રાજકોટ સહિતના જિલ્લાઓમાં જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાઓ યોજાયા નહોતા. એવામાં હાલ કોરોનાની બીજી લહેર બાદ આરોગ્ય નિષ્ણાંતો દ્વારા આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આ કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને રાજકોટ વહીવટીતંત્ર દ્વારા શહેરમાં યોજાતો લોકમેળો રદ કરવામાં આવ્યો છે. જ્યારે લોકમેળાની સાથે હવે ખાનગી મેળાઓ પણ યોજી નહી શકાય એટલે કે, રાજકોટવાસીઓ હવે લોકમેળાની મજા માણી શકશે નહીં.

10 લાખથી વધુ લોકો માણતા હતા મેળાની મજા

રાજકોટમાં દર વર્ષે સાતમ-આઠમના તહેવાર નિમિત્તે સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો રાજકોટમાં યોજાય છે. રાજકોટ વહીવટી તંત્ર દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં સૌરાષ્ટ્ર ભરમાંથી અલગ-અલગ જિલ્લાના અંદાજિત 10 લાખથી વધુ લોકો ઉમટી પડતા હોય છે. જ્યારે આ લોકમેળો પાંચ દિવસ સુધી ચાલતો હોય છે. જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એટલી હોય છે કે, પગ મુકવાની જગ્યા પણ નથી હોતી. જ્યારે એક જ સ્થળની 10 લાખથી વધુ લોકોની ભીડ અવરજવર કરે ત્યારે કોરોનાની ત્રીજી લહેરને ચોક્કસ આમંત્રણ આપે છે. જેને લઈને આ મેળાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: CORONA EFFECT: સતત બીજા વર્ષે બંધ રહેશે પોરબંદરનો જનમાષ્ટમી મેળો

ત્રીજી લહેરને લઈને મેળો રદ કરાયો: પ્રાંત અધિકારી

રાજકોટમાં મેળો રદ કરવામાં આવ્યો છે. જેને લઈને રાજકોટના પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ત્રીજી લહેરની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એવામાં રાજકોટમાં યોજાતા લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય છે. એવામાં ત્રીજી લહેર આવવાની પુરી શક્યતાઓ છે. તેમજ લોકો પણ વધારે પપ્રમાણમાં સંક્રમિત થઈ શકે છે. જેના કારણે વહીવટી તંત્ર દ્વારા મેળાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.