રાજકોટઃ AIIMS અંગે રીવ્યુ મીટીંગ, વડાપ્રધાન મોદી જાન્યુઆરીમાં ખાતમુહૂર્ત કરે તેવી શકયતા

author img

By

Published : Dec 22, 2020, 9:58 PM IST

Updated : Dec 22, 2020, 10:23 PM IST

વડાપ્રધાન મોદી જાન્યુઆરીમાં ખાતમુહૂર્ત કરે તેવી શકયતા
વડાપ્રધાન મોદી જાન્યુઆરીમાં ખાતમુહૂર્ત કરે તેવી શકયતા ()

રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા AIIMS અંગે રિવ્યુ બેઠક બોલવામાં આવી છે. જેમાં રૂડા, આરએમડી, AIIMSના મેનેજમેન્ટ ડાયરેકટર સંદીપ સિંહ, રૂરલ પ્રાંત દેસાઈ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં રૂડા દ્વારા સુચવામાં આવેલા ઘંટેશ્વરથી પરાપીપળીયા સુધીના અને આરએમડી દ્વારા સુચવાયેલા AIIMS માટેના નવા એપ્રોચ રોડ અંગે ખાસ નિર્ણય લેવાશે. વડાપ્રધાન મોદી જાન્યુઆરીમાં ખાતમુહૂર્ત કરે તેવી પણ શકયતા છે.

  • AIIMS અંગે રીવ્યુ મીટીંગ
  • જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા AIIMS અંગે રિવ્યુ બેઠક બોલવામાં આવી
  • જાન્યુઆરીમાં વડાપ્રધાન મોદી AIIMSનું ભૂમિપૂજન કરે તેવી શક્યતા

રાજકોટઃ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા AIIMS અંગે રિવ્યુ બેઠક બોલવામાં આવી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા AIIMS અંગેની જરૂરી તમામ મંજૂરીઓ આપી દેવામાં આવી છે. ત્યારે હવે AIIMSનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે કરાવવાનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જો બધું બરાબર રહેશે તો આગામી જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં વડાપ્રધાન મોદી AIIMSનું ભૂમિપૂજન કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

AIIMS અંગે રીવ્યુ મીટીંગ
AIIMS અંગે રીવ્યુ મીટીંગ

AIIMS માટે મેડીકલ કોલેજ શરૂ કરાઈ

રાજકોટ AIIMSના નિર્માણને હજુ 2 વર્ષ લાગી શકે એમ છે. ત્યારે હાલ AIIMS માટેની મેડીકલ કોલેજને રાજકોટ ખાતે શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ MBBSની પ્રથમ બેચમાં 50 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું છે. જેના માટે 17 પ્રોફેસરની નિમણુંક પણ કરવામાં આવી છે.

વર્ષ 2022 સુધીમાં AIIMSનું નિર્માણ થવાની શક્યતા

રાજકોટની ભાગોળે જામનગર રોડ પર આવેલા પરાપીપડિયા નજીક 200 એકરમાં અંદાજીત રૂપિયા 1200 કરોડના ખર્ચે વર્ષ 2022 સુધીમાં AIIMSનું નિર્માણ થઈ જશે. ગુજરાતમાં માત્ર રાજકોટને AIIMS ફાળવામાં આવી છે. જેનો લાભ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના દર્દીઓને થશે.

Last Updated :Dec 22, 2020, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.