ETV Bharat / city

Naresh Patel to join Politics : સમાજ કહેશે તો રાજકારણમાં જોડાઈશ

author img

By

Published : Dec 6, 2021, 1:55 PM IST

Updated : Dec 6, 2021, 4:16 PM IST

Naresh Patel to join Pilitics : સમાજ કહેશે તો રાજકારણમાં જોડાઈશ
Naresh Patel to join Pilitics : સમાજ કહેશે તો રાજકારણમાં જોડાઈશ

આગામી વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022 ) પાટીદાર મતોને (Patidar Voters) ખેંચવાના એક નિર્ણાયક ઘટનાક્રમની ઝાંખી સામે આવી રહી છે. ખોડલધામ ચેરમેન અને પાટીદારોમાં વગ ધરાવતાં નરેશ પટેલનું સૂચક નિવેદન સામે આવી રહ્યું છે. નરેશ પટેલે (Khodal Dham Chairman Naresh Patel) કહ્યું છે કે સમાજ કહેશે તો પોતે રાજકારણમાં (Naresh Patel to join Politics) ઝંપલાવશે.

  • ખોડલધામ ચેરમેન નરેશ પટેલનું સૂચક નિવેદન સામે આવ્યું
  • પાટીદાર સમાજની સહમતિ હશે તો રાજકારણમાં સક્રિય થવા રાજી
  • આગામી વિધાનસભા ચૂંટણી 2022ને લઇ મોટા વળાંકનું મંચ તૈયાર

રાજકોટઃ આગામી દિવસોમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) આવી રહી છે. એવામાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલ દ્વારા મહત્વનું નિવેદન કરવામાં આવ્યું છે. ખોડલધામ પ્રમુખ અને લેઉવા પટેલ સમાજના આગેવાન એવા નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જો સમાજ(Patidar Voters) મને કહેશે તો હું રાજકારણમાં જરૂર આવીશ. જ્યારે સમાજમાંથી એકસૂર નીકળશે તો રાજકારણમાં આવવા સિવાય કોઈ વિકલ્પ નથી. આ રીતે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ (Khodal Dham Chairman Naresh Patel) દ્વારા રાજકારણમાં આવવાના સંકેત આપવામાં આવતા રાજકારણમાં જબરો ગરમાવો આવ્યો છે. 2022ની ચૂંટણી અગાઉનું નરેશ પટેલનું નિવેદન ( Naresh Patel to join Politics) ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. હવે સૌ કોઈની નજર નરેશ પટેલના આગામી નિર્ણય તરફ છે.

ખોડલધામના પાંચ વર્ષ પૂર્ણ થતાં પાટોત્સવ

સમગ્ર લેઉવા પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર એવા ખોડલધામના આગામી 21 જાન્યુઆરીના 5 વર્ષ પૂર્ણ થાય છે. એવામાં ખોડલધામ ખાતે આ પાંચ વર્ષ પૂર્ણ થવાની ભવ્ય ઉજવણીના ભાગરૂપે પાટોત્સવ યોજાનાર છે. જેની તૈયારીઓ હાલ થઈ રહી છે. ત્યારે આ મામલે આજે એક બેઠક મળી હતી. ત્યારે ખોડલધામ ખાતે યોજાનાર પાટોત્સવ (Khodaldham Patotsav) કાર્યક્રમ અંગેની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી. ખોડલધામ ખાતે યોજાનાર કાર્યક્રમ સફળ જાય તે માટે નરેશ પટેલ (Khodal Dham Chairman Naresh Patel) હાલ રાજ્યના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે. બેઠકમાં હાજરી આપવા આવેલા નરેશ પટેલે મહત્વનું નિવેદન ( Naresh Patel to join Politics) આપ્યું હતું.

પાટીદારોમાં વગ ધરાવતાં નરેશ પટેલનું સૂચક નિવેદન સામે આવી રહ્યું છે

સમાજ કહેશે તો હું રાજકારણમાં જઈશ: નરેશ પટેલ

ખોડલધામ હાલ લેઉવા પાટીદાર સમાજની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. ત્યારે વારંવાર વિવિધ પક્ષના નેતાઓ ખોડલધામની મુલાકાતે આવતા હોય છે. એવામાં તાજેતરમાં જ કોંગ્રેસના અગ્રણી નેતા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki met Naresh Patel) તેમજ રાજ્યના શ્રમ રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજા પણ ખોડલધામની મુલાકાત કરી હતી. ત્યારબાદ આજે નરેશ પટેલે (Khodal Dham Chairman Naresh Patel) મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જો સમાજ (Patidar Voters)મને કહેશે તો મારી પાસે રાજકારણમાં જવા સિવાયનો કોઈ વિકલ્પ નથી. હાલ હું કોઈ નિર્ણય લઈ શકું નહીં. ખોડલધામ પ્રમુખ નરેશ પટેલના અચાનક રાજકારણમાં જવાના સંકેતને પગલે ( Naresh Patel to join Politics) રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

મુખ્યપ્રધાન સાથે બેઠકમાં રહેશે ઉપસ્થિત

રાજ્યના પાટીદાર અનામત આંદોલનમાં (Patidar Andolan 2015) અનેક પાટીદાર યુવાનો (Patidar Voters) પર કેસ થયાં હતાં. તે દરમિયાન આંદોલન પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આંદોલન પૂર્ણ કરવા માટે કેટલીક સમજૂતી કરી હતી. જેમાં પાટીદાર યુવાનો પર આંદોલન સમયે કરવામાં આવેલ કેસ પરત ખેંચવાની વાત પણ હતી. ત્યારે આ મામલે આજે સાંજે સાડા છએ બેઠક યોજાનાર છે. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, નરેશ પટેલ સહિતના (CM Bhupendra Patel Meets Naresh Patel) પાટીદાર અગ્રણીઓ હાજર રહેવાના છે. એ અગાઉ નરેશ પટેલના (Khodal Dham Chairman Naresh Patel) રાજકારણમાં ( Naresh Patel to join Politics) જોડાવા અંગેના નિર્ણયને લઈને આગામી ચૂંટણીઓના સંદર્ભેમાં (Gujarat Assembly Election 2022) જબરો ગરમાવો આવ્યો છે.

આ પણ વાંચોઃ જસદણમાં શૈક્ષણિક ભવનના લોકાર્પણમાં રાજકીય ગરમાવો, નરેશ પટેલે કહ્યું, ક્લાર્કથી લઈ કલેક્ટર બધા પાટીદાર જ હોવા જોઈએ

આ પણ વાંચોઃ ખોડલધામ ખાતે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીની રજતતુલા કરવામાં આવી

Last Updated :Dec 6, 2021, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.