રાજકોટ મેયરનો આદેશ, વેક્સિનનાં બંને ડોઝ ન લેનારા કર્મચારીઓને પગાર નહીં મળે

author img

By

Published : Nov 17, 2021, 10:47 PM IST

રાજકોટ મેયરનો આદેશ, વેક્સિનનાં બંને ડોઝ ન લેનારા કર્મચારીઓને પગાર નહીં મળે

રાજકોટ (Rajkot)ના મેયર ડૉ. પ્રદીપ ડવે (Mayor Dr. Pradeep Dav) આદેશ જાહેર કર્યો છે કે, રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)ના જે કર્મચારીએ કોરોના વેક્સિન (Corona Vaccine)ના બંને ડોઝ (Corona Vaccine Dose) નહીં લીધા હોય તેમનો પગાર આગામી દિવસોમાં બંધ કરવામાં આવશે. મેયર દ્વારા આ પ્રકારનો આદેશ કરવામાં આવતા મનપા કર્મચારીઓ (Municipal Corporation employees)માં ફફડાટ જોવા મળી રહ્યો છે.

  • રાજકોટના મેયર ડૉ. પ્રદીપ ડવેએ આદેશ જાહેર કર્યો
  • રાજ્યમાં કોરોનાના કેસોમાં થઈ રહ્યો છે વધારો
  • કોરોનાને રોકવા વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી

રાજકોટ: તાજેતરમાં જ દિવાળી (Diwali)ના તહેવારો દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી હતી, જેને લઇને હરવા-ફરવાના સ્થળે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી. તહેવારને લઈને લોકો ભાન ભૂલ્યા હતા અને કોરોનાની ગાઇડલાઇન (Corona Guidelines), સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing), જાહેરમાં માસ્ક (Mask) અને વારંવાર સેનેટાઈઝર (Sanitizer) સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા હતા. એવામાં દિવાળી બાદ ધીમે ધીમે હવે કોરોનાના પોઝિટિવ કેસ (Corona Positive Case)માં વધારો થઇ રહ્યો છે.

મનપા કર્મચારીઓની યાદી મંગાવવામાં આવી

રાજકોટના મેયર ડૉ. પ્રદીપ ડવએ આદેશ જાહેર કર્યો છે કે, રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)ના જે કર્મચારીએ કોરોના વેક્સિન (Corona Vaccine)ના બંને ડોઝ નહીં લીધા હોય તેમનો પગાર આગામી દિવસોમાં બંધ કરવામાં આવશે. જ્યારે આ અંગે મનપા કર્મચારીઓની યાદી પણ મંગાવવામાં આવી છે. જો કે જે કર્મચારીઓએ બીજો ડોઝ લેવાનો બાકી છે તેઓ ચાલું માસમાં વેક્સિનનો ડોઝ લઈ શકે છે. તેમજ જો તેઓ વેક્સિનનો ડોઝ નહીં લે તો આગામી માસથી તેમનો પગાર બંધ કરવામાં આવશે.

કેટલા કર્મચારીઓએ બન્ને ડોઝ લીધા તેની ચકાસણી કરાશે

મેયર દ્વારા આ પ્રકારનો આદેશ કરવામાં આવતા મનપા કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકામાં કામ કરતાં કર્મચારીઓ અને વિવિધ કચેરીઓમાં કેટલો સ્ટાફ છે તે તમામ કર્મચારીઓની યાદી મેયરે મંગાવી છે. આ કર્મચારીઓની યાદી સાથેની આરોગ્ય શાખામાંથી પણ કેટલાક કર્મચારીઓએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે તે વિગતો તપાસવામાં આવી રહી છે. જ્યારે આગામી દિવસોમાં સામે આવશે કે મહાનગરપાલિકાના કેટલાક કર્મચારીઓ દ્વારા કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેવામાં આવ્યો છે અને કેટલાક કર્મચારીઓ દ્વારા બન્ને ડોઝ લેવામાં આવ્યા છે. ત્યારબાદ જે કર્મચારીઓ દ્વારા કોરોના વેક્સિનનાં બન્ને ડોઝ નહીં લીધા હોય તેમનો પગાર બંધ થશે.

આ પણ વાંચો: લોકોના વિરોધ છતાં 111 કરોડ લોકોને વેક્સિન આપવામાં આપી: જીતુ વાઘાણી

આ પણ વાંચો: અમદાવાદ સંચાલિત સ્લોટર હાઉસમાં રોજના 60-70 ઢોર કતલ માટે આવે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.