ETV Bharat / city

રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર પોલીસે કર્યો લાઠીચાર્જ

author img

By

Published : Jan 14, 2021, 9:50 AM IST

clash between the Aam Aadmi Party
clash between the Aam Aadmi Party

રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રજુઆત માટે દોડી આવ્યા હતા પરંતુ મનપા કચેરી ખાતે મોટી સંખ્યામાં સ્થાનિકો અને આપના કાર્યકર્તાઓ આવી ચડતા પોલીસે કચેરીનો ગેટ બંધ કર્યો હતો. જેનો આપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. જ્યારે પોલીસે પરિસ્થિતિ કાબુમાં લેવા માટે હળવો લાઠીચાર્જ ઓન કર્યો હતો.

  • રાજકોટ મનપાએ રજુઆત માટે આવેલ આપના કાર્યકર્તાઓ પર પોલીસનો લાઠીચાર્જ
  • પોલીસે પરિસ્થિતિ કાબુમાં લેવા કર્યો લાઠીચાર્જ
  • મહિલા સહિત 5 જેટલા લોકોને ઇજાગ્રસ્ત
    રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર પોલીસે કર્યો લાઠીચાર્જ

રાજકોટઃ શહેરના ભગવતીપરા વિસ્તારમાં મનપા દ્વારા લોકોને મકાન ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. સ્થાનિક લોકોએ આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે નોટિસ રદ્દ કરવા માટે રજુઆત કરવા મનપા કચેરીએ આવ્યા હતા. જે દરમિયાન પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેને લઈને પરિસ્થિતિ વધુ વણસે નહિ તે માટે પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર હળવો લાઠીચાર્જ કર્યો હતો.

મહિલા સહિત 5 જેટલા લોકોને ઇજાગ્રસ્ત
મહિલા સહિત 5 જેટલા લોકોને ઇજાગ્રસ્ત
પોલીસે પરિસ્થિતિ કાબુમાં લેવા કર્યો લાઠીચાર્જ
પોલીસે પરિસ્થિતિ કાબુમાં લેવા કર્યો લાઠીચાર્જ

લાઠીચાર્જ દરમિયાન 5થી વધુ લોકો ઈજાગ્રસ્ત

પોલીસ દ્વારા મનપા કચેરી ખાતે રજુઆત માટે દોડી આવેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સ્થાનિકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન મહિલા સહિત 5 જેટલા લોકોને ઇજા થઈ હતી. જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જો કે હોસ્પિટલમાં આમ આદમી પાર્ટીના આગેવાનો પણ દોડી આવ્યા હતા.



ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.