ETV Bharat / city

રાજકોટમાં ગુરૂવારે વધુ 26 કોરોનાના દર્દીના થયા મોત

author img

By

Published : Sep 10, 2020, 12:22 PM IST

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાં ગુરૂવારે વધુ 26 કોરોનાના દર્દીના મોત થયા હતા. રાજકોટમાં કોરોનાના 4054 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે હજુ પણ 1343 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.

રાજકોટ
રાજકોટ

રાજકોટઃ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સત્તત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે દર્દીના મોત પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. રાજકોટમાં ગુરૂવારે 26 દર્દીના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં 26 જેટલા દર્દીઓના મોત થતા આરોગ્ય તંત્ર પણ સ્તબ્ધ છે.

ગુરૂવારે મૃત્યુ પામેલા દર્દીઓમાં શહેરના 14 જ્યારે ગ્રામ્યના 6 અને અન્ય જિલ્લાઓના 6 દર્દીનો સમાવેશ થાય છે. રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસની વાત કરવામાં આવે, તો અત્યાર સુધીમાં રાજકોટમાં કોરોનાના 4054 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે હજુ પણ 1343 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં કોરોના સંક્રમણ વધતા રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી રાજકોટમાં રોકાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.