ETV Bharat / city

ગિરનાર પર્વત પર પ્રથમવાર મોરારી બાપુની કથાનું આયોજન, શ્રોતાઓ ઘરે બેઠા સ્મરણ કરશે

author img

By

Published : Oct 12, 2020, 10:56 PM IST

ગિરનાર પર્વત પર આગામી 17મી ઓકટોબરથી કમંડળ કુંડ ખાતે મોરારીબાપુની 849મી રામકથા યોજાવા જઇ રહી છે. જેને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગિરનાર પર્વત પર સૌપ્રથમ વખત રામ કથાનું આયોજન થયું છે. આ કથા શ્રોતા વિના જ યોજવામાં આવશે. લોકો ટીવી અને સોશિયલ મીડિયાના મારફતે ઘરે બેઠા કથાનું સ્મરણ કરી શકશે.

ગિરનાર પર્વત પર આવેલા કમંડળ કુંડમાં મોરારીબાપુની કથાની શરૂઆત, જાણો તારીખ
ગિરનાર પર્વત પર આવેલા કમંડળ કુંડમાં મોરારીબાપુની કથાની શરૂઆત, જાણો તારીખ

જૂનાગઢઃ આગામી 17મી ઓક્ટોબરથી ગિરનાર પર્વત પર આવેલા કમંડળ કુંડ ખાતે મોરારીબાપુ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને કથાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

ગિરનાર પર્વત પર આવેલા કમંડળ કુંડમાં આગામી 17મી ઓક્ટોબરથી મોરારીબાપુની કથાની શરૂઆત
ગિરનાર પર્વત પર આવેલા કમંડળ કુંડમાં આગામી 17મી ઓક્ટોબરથી મોરારીબાપુની કથાની શરૂઆત

કોરોના સંક્રમણ કાળને લઈને શ્રોતા વગરની મોરારીબાપુ દ્વારા કરવામાં આવેલી આ છઠ્ઠી રામકથા હશે, જેને લઇને પણ લોકોમાં ભારે આસ્થા જોવા મળી રહી છે. કથાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી 17મી તારીખે પ્રથમ નોરતે રામકથાનું શ્રવણ ભાવિકો ઘરે બેઠા ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી કરી શકશે.

ગિરનાર પર્વત પર આવેલા કમંડળ કુંડમાં આગામી 17મી ઓક્ટોબરથી મોરારીબાપુની કથાની શરૂઆત
ગિરનાર પર્વત પર આવેલા કમંડળ કુંડમાં આગામી 17મી ઓક્ટોબરથી મોરારીબાપુની કથાની શરૂઆત

કોરોના કાળમાં મોરારીબાપુ દ્વારા તુલસીશ્યામ નજીક પર્વત પર ગુજરાતની પ્રથમ કથા કરી હતી. ત્યાર બાદ હવે જૂનાગઢના ગિરનાર પર્વત પર કમંડળ કુંડ ખાતે રામકથાનું આયોજન કરાઇ રહ્યું છે. આ અગાઉ મોરારીબાપુ દ્વારા કૈલાસ માન સરોવર, નીલગીરી પર્વત, અમરનાથ બદરી અને કેદારનાથ તેમજ ગંગોત્રી જેવા અતિ દુર્ગમ સ્થળોમાં પણ રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગિરનાર પર્વત પર આવેલા કમંડળ કુંડમાં આગામી 17મી ઓક્ટોબરથી મોરારીબાપુની કથાની શરૂઆત
ગિરનાર પર્વત પર આવેલા કમંડળ કુંડમાં આગામી 17મી ઓક્ટોબરથી મોરારીબાપુની કથાની શરૂઆત

કોરોના સંક્રમણ કાળમાં જૂનાગઢના ગિરનાર પર્વત પર કમંડળ કુંડ ખાતે પ્રથમ વખત રામકથાનુ આયોજન થવા જઈ રહ્યું છે. જેને લઇને શ્રોતાઓમાં પણ ભારે ધાર્મિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગિરનાર પર્વત પર આવેલા કમંડળ કુંડમાં આગામી 17મી ઓક્ટોબરથી મોરારીબાપુની કથાની શરૂઆત
ગિરનાર પર્વત પર આવેલા કમંડળ કુંડમાં આગામી 17મી ઓક્ટોબરથી મોરારીબાપુની કથાની શરૂઆત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.