ETV Bharat / city

Sikshapatri Jayanti: શિક્ષાપત્રીની આજે જયંતિ, જાણો ભગવાન સ્વામિનારાયણે રચેલા આ ગ્રંથ વિશે...

author img

By

Published : Feb 5, 2022, 6:43 AM IST

ભગવાન સ્વામિનારાયણ દ્વારા 1882માં વસંત પંચમીના પાવન દિવસે શિક્ષાપત્રી (Sikshapatri Jayanti) લખવામાં આવી હતી ત્યારથી આજના દિવસે શિક્ષાપત્રી જયંતિ ઉજવવામાં આવે છે, તો આ પ્રંસગે જાણીયે શિક્ષાપત્રીના ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ વિશે...

Sikshapatri Jayanti: શિક્ષાપત્રીની આજે જયંતિ, જાણો ભગવાન સ્વામિનારાયણે રચેલા આ ગ્રંથ વિશે...
Sikshapatri Jayanti: શિક્ષાપત્રીની આજે જયંતિ, જાણો ભગવાન સ્વામિનારાયણે રચેલા આ ગ્રંથ વિશે...

જુનાગઢ: ભગવાન સ્વામિનારાયણ દ્વારા 1882માં વસંત પંચમીના પાવન દિવસે સ્વહસ્તે શિક્ષાપત્રી (Sikshapatri Jayanti) લખવામાં આવી હતી, ત્યારથી આજના દિવસે શિક્ષાપત્રી જયંતિ ઉજવવામાં આવે છે. શ્રીહરિની પરાવાણી એટલે શિક્ષાપત્રી. શિક્ષાપત્રીને માનવદેહને સાર્થક કરવા માટેના એક આદર્શ ગ્રંથ તરીકે પણ જોવામાં આવે છે. શિક્ષાપત્રીમાં 212 જેટલા શ્લોકની રચના કરવામાં આવી છે, જેમાં આદર્શ માનવ જીવન અંગે સચોટ અને અનુકરણીય આજ્ઞાઓ કરવામાં આવી છે.

શિક્ષાપત્રીની આજે જયંતિ, જાણો ભગવાન સ્વામિનારાયણે રચેલા આ ગ્રંથ વિશે...

આ પણ વાંચો: વડતાલધામમાં 194મી શિક્ષાપત્રી જયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

શિક્ષાપત્રીને સર્વ શાસ્ત્રોના દોહન રૂપ સાર માનવામાં આવે છે

ભગવાન સ્વામિનારાયણ દ્વારા 1882માં વસંત પંચમીના પાવન દિવસે લખાયેલી શિક્ષાપત્રીને સર્વ શાસ્ત્રોના દોહન રૂપ સાર માનવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા શિક્ષાપત્રીના રૂપમાં સાગરને ગાગરમાં સમાવિષ્ટ કર્યો છે. 1882માં મહા સુદ પંચમી એટલે વસંત પંચમીના પવિત્ર દિવસે લખાયેલી શિક્ષાપત્રીમાં 212 શ્લોક સામેલ કરવામાં આવ્યા છે. પ્રત્યેક શ્લોક માનવ જીવન માટે શ્રેષ્ઠ પથદર્શક છે, આ ગ્રંથના દરેક શ્લોક મોક્ષ માર્ગના પગથિયાં સમાન માનવામાં આવે છે. 212 શ્લોકના ધાર્મિક ગ્રંથમાં અનેક આજ્ઞાઓ કરવામાં આવી છે.

પ્રત્યેક આજ્ઞાઓ વસુધૈવ કુટુંબકમનો સંદેશો આપે છે

શિક્ષાપત્રીની આજ્ઞાઓને અનુસરવાથી લોક અને પર લોકમા મહાસુખ પ્રાપ્ત થાય છે. શિક્ષાપત્રી ઉપદેશ કરનાર નહીં પરંતુ પરમ શ્રેયસ્કર આશીર્વાદથી ભરેલું શાસ્ત્ર છે, આ ગ્રંથના આધારે ભગવાન સ્વામિનારાયણનો મુખ્ય ધ્યેય મનુષ્યને સદાચારી તરીકે માનવ જીવન જીવી આધ્યાત્મિકતા તરફ ગતિ કરાવવા માટેનો છે. સાતમા શ્લોકમાં જ ગ્રંથ લખવાનું કારણ અને આજ્ઞા જોવા મળે છે. સર્વ જીવ હિતાવહ આ એક આજ્ઞામાં ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવ પ્રાણી માત્ર પ્રત્યેના કલ્યાણના ભાવનું દર્શન થાય છે, પ્રત્યેક આજ્ઞાઓ વસુધૈવ કુટુંબકમનો સંદેશો પણ આપે છે.

આ પણ વાંચો: ભાટ એન્જીનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ પ્રથમ બોલતી શિક્ષાપત્રી બનાવી

શિક્ષાપત્રીના રૂપમાં શ્રેષ્ઠ ગ્રંથ માનવ માત્રને ભેટમાં આપ્યો

સ્વચ્છતા અભિયાનની ઝુંબેશ આવા આધુનિક યુગમાં ચલાવવી પડે છે, ત્યારે સ્વામિનારાયણ ભગવાને 192 વર્ષ પહેલા આજ્ઞા કરેલી કે જીર્ણ દેવાલય નદી, તળાવ, માર્ગ અને વાવેલું ખેતર તેમજ વૃક્ષની છાયા, ફૂલવાડી, બગીચા જેવા સ્થાનનો પર ક્યારેય પણ મળમૂત્રનો ત્યાગ ન કરવો, તેમજ આવા સ્થાનો પર થૂંકવુ પણ નહી આટલી નાની નાની વાતો ધ્યાનમાં રાખીને ભગવાન સ્વામિનારાયણ દ્વારા શિક્ષાપત્રીના રૂપમાં શ્રેષ્ઠ ગ્રંથ માનવ માત્રને ભેટમાં આપ્યો.

સર્વ ધર્મ સમભાવ અને 'વસુધૈવ કુટુંબકમ'નો સંદેશો આપે છે

શિક્ષાપત્રી જયંતીના પાવન પર્વે સરજુદાશ સ્વામીએ ETV BHARAT સાથે શિક્ષાપત્રીનું મહત્વ સમજાવતા જણાવ્યું કે, ભગવાન શ્રીસ્વામિનારાયણ સર્વ ધર્મ સમભાવ અને 'વસુધૈવ કુટુંબકમ'નો સંદેશો આપે છે. શિક્ષાપત્રી આચાર્યો, રાજાઓ, ગૃહસ્થ તથા ત્યાગીઓના વિશેષ ધર્મો વિસ્તૃત રીતે આલેખ્યા છે. સર્વ દાનમાં વિદ્યાદાન શ્રેષ્ઠ છે અને વિદ્યાર્થી મનુષ્યને અભયદાન અનાયાસે પ્રાપ્ત થાય છે. શિક્ષાપત્રીના 132માં શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાન જણાવે છે કે, ભણાવ્યાની શાળા કરાવી સદ્વિયાની પ્રવૃત્તિ કરાવવી અહીં ન માત્ર વિદ્યા પરંતુ સદ્વિયા શબ્દ પ્રયોગ છે, જેનો અર્થ છે સંસ્કારે યુક્ત વિદ્યા જેમાં માણસનનું ભણતર સાથે ગણતર થાય અને સાથોસાથ આધ્યાત્મિક વિકાસ પણ એટલો જ થાય જેનાંથી ન માત્ર એક પરિવારને પરંતુ રાષ્ટ્રને પણ સારા નાગરિકો મળે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.