ETV Bharat / city

જૂનાગઢમાં સફાઈ મહાઅભિયાનનો બીજો તબક્કો શરૂ, ભવનાથ મંદિરમાં સાધુ-સંતોએ સફાઈ કરી

author img

By

Published : Oct 6, 2021, 12:44 PM IST

જૂનાગઢમાં સફાઈ મહાઅભિયાનનો બીજો તબક્કો શરૂ, ભવનાથ મંદિરમાં સાધુ-સંતોએ સફાઈ કરી
જૂનાગઢમાં સફાઈ મહાઅભિયાનનો બીજો તબક્કો શરૂ, ભવનાથ મંદિરમાં સાધુ-સંતોએ સફાઈ કરી

સમગ્ર દેશમાં 2 ઓક્ટોબરે ગાંધી જયંતીથી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સફાઈ મહાઅભિયાનનો બીજો તબક્કો શરૂ કરાયો છે. તે મુજબ શહેરી વિસ્તારોને પણ આવરી લેવામાં આવ્યા છે. ત્યારે જૂનાગઢમાં આવેલા ભવનાથ મંદિર પરિસર અને તેની આસપાસના વિસ્તારોમાં સાધુ-સંતોએ સફાઈ અભિયાન હાથ ધર્યું છે.

  • આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભવનાથમાં યોજાયું સફાઈ અભિયાન
  • ભવનાથના સાધુ-સંતોએ કરી સફાઈ આપ્યો સ્વચ્છતા અંગે નો સંદેશ
  • પ્રત્યેક નાગરિક ના સફાઈ અંગેના સહિયારા પ્રયાસોથી દેશમાંથી દૂર કરી શકાશે ગંદકી

જૂનાગઢઃ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 2 ઓક્ટોબર ગાંધી જયંતીથી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સફાઈ અભિયાનનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં દેશના ગામડાઓને આવરી લેવામાં આવ્યા હતા. જોકે, હવે બીજા તબક્કામાં શહેરી વિસ્તારોને પણ આવરી લેવાયા છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર-9માં આવતા ભવનાથ વિસ્તારમાં સાધુ-સંતોએ હાથમાં ઝાડૂ ઉઠાવીને સફાઈ કરી હતી. સાથે જ તેમણે પ્રત્યેક લોકોને સફાઈ કરવા અંગે સંદેશ આપ્યો હતો. સતત વધી રહેલી ગંદકી અને રોગોની સાથે માનસિક સ્વાસ્થ્ય પર પણ વિપરિત અસરો પાડી રહી છે. આવી પરિસ્થિતીમાં સ્વચ્છતા ને લઈને લોકો જાગૃત બને તે માટે નું મહા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અહીં સાધુ-સંતોએ જણાવ્યું હતું કે, પ્રત્યેક વ્યક્તિના સ્વચ્છતાને લઈને સહિયારા પ્રયાસથી આ મહાઅભિયાનમાં વિજય મેળવી શકાય છે.

પ્રત્યેક નાગરિક ના સફાઈ અંગેના સહિયારા પ્રયાસોથી દેશમાંથી દૂર કરી શકાશે ગંદકી

પ્રત્યેક વ્યક્તિના સહિયારા પુરુષાર્થથી દેશને ગંદકીથી મુક્ત કરી શકવામાં મળી શકે છે સફળતા

ભવનાથ વિસ્તારમાં મહાસફાઈ અભિયાન અંતર્ગત સફાઈ કાર્યોમાં જોડાયેલા સાધુ-સંતોએ પ્રત્યેક નાગરિકની સફાઈ અંગેની કટિબદ્ધતા રાખી દેશને સ્વચ્છ રાખવાનું મહાઅભિયાન સફળ બની શકે છે. પ્રત્યેક વ્યક્તિ સફાઈ અંગે પોતાની જાગૃતતા કેળવે અને સ્વચ્છતાને જીવનનો એક ભાગ બનાવે તો ઘડીના ચોથા ભાગમાં સમગ્ર દેશમાંથી ગંદકીને કાયમી ધોરણે તિલાંજલી આપવામાં સફળતા મળી શકે છે. સ્વચ્છતાને લઈને સાધુ-સંતો પણ માની રહ્યા છે કે, સહિયારા પુરૂષાર્થ થકી જ ગંદકી જેવી સમસ્યા પર વિજય મેળવી શકાય છે. એક બે દિવસના સફાઈ અભિયાન કરવાથી સ્વચ્છતા ને લઈને કોઈ નક્કર પરિણામો મળશે તેવું ભૂલ ભરેલું છે.

આ પણ વાંચો- આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા ચોપાટી ખાતે કોસ્ટલ ક્લિનપ દિવસ ઉજવણી

આ પણ વાંચો- ભાવનગરમાં સફાઈ માટે કરોડોના વાહનોની ખરીદી અને સફાઈ કામદારોની રોજીરોટી પર ખતરો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.