ETV Bharat / city

સૌરાષ્ટ્રમાં વરસાદી પૂરના પાણીએ પાકનું થયું ધોવાણ

author img

By

Published : Jul 14, 2022, 6:55 PM IST

જૂનાગઢ, ગીર, સોમનાથ અને પોરબંદ જેવા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદને કારણે ચોમાસુ પાકોને(Rainwater harvesting in Saurashtra) નુકશાન થયું છે. જેમાં આ વખતે જમીનનું ધોવાણ(Arable land in the district ) થતા મગફળીનો પાક સાથે સાથે નારિયેળીના પાકને પૂર્ણ પાણીથી ઘણું નુકશાન થયું છે. આ મામલે ખેડૂતો ચોમાસુ પાકને લઈને ચિંતિત છે.

સૌરાષ્ટ્રમાં વરસાદી પૂરના પાણીએ પાકનું થયું ધોવાણ
સૌરાષ્ટ્રમાં વરસાદી પૂરના પાણીએ પાકનું થયું ધોવાણ

જૂનાગઢ: ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં(Heavy rain in Saurashtra) પૂરના પાણીએ ચોમાસુ કૃષિ પાકોને(Rainwater harvesting in Saurashtra ) પારાવાર નુકસાન કર્યું છે. જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં મગફળીનો પાક(Groundnut crop in Saurashtra) તો બીજી તરફ ગિર સોમનાથ જિલ્લામાં મગફળીની સાથે નાળિયેરીના પાકને પણ પૂરના પાણી બરાબર નુકસાન(Flood damage to crops) કર્યું છે. જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે.

જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં મગફળીનો પાક તો બીજી તરફ ગિર સોમનાથ જિલ્લામાં મગફળીની સાથે નાળિયેરીના પાકને પણ પૂરના પાણી બરાબર નુકસાન કર્યું છે

આ પણ વાંચો: રાજકોટમાં ભરઉનાળે લોકોને ઠંડકનો અહેસાસ પણ ખેડૂતોમાં શેની ચિંતા...

ગીર, સોમનાથ અને પોરબંદરમાં ચોમાસુ પાકોને થયું નુકશાન - ચોમાસાનો પ્રથમ વરસાદ જાણે કે સોરઠના ત્રણ જિલ્લાઓ જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લા માટે મુશ્કેલીઓ લઈને આવ્યો છે. સોરઠના ત્રણ જિલ્લાઓમાં ચોમાસાનો વરસાદ કૃષિ પાકો માટે જાણે કે વેરી બનીને આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં મગફળી તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં મગફળીની સાથે ફળ પાક તરીકે લેવાતા નાળિયેરીના પાકને પણ અતિ ભારે વરસાદે ખૂબ નુકસાન કર્યું છે. વધુમાં પૂરનું પાણી ખેતરમાં ભરાઈ જવાને કારણે મહામૂલ ખેતરની જમીનનું ધોવાણ(Erosion of agricultural land) પર થઈ રહ્યું છે. જેને કારણે જગતનો તાત ખૂબ ચિંતામાં જોવા મળી રહ્યો છે.

ચોમાસા દરમિયાન મુખ્ય પાક તરીકે લેવાતા મગફળી પાક - જુનાગઢ પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદ પડ્યો છે. જેને કારણે તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી છે. જેને કારણે ત્રણેય જિલ્લામાં ખેતીલાયક જમીન વરસાદી(Arable land in the district) અને પૂરના પાણીથી ખચોખચ ભરાયેલી જોવા મળે છે. જે દિશામાં નજર કરીએ ત્યાં વરસાદી અને પુરનું પાણી સતત જોવા મળ્યું છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢ અને ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં ચોમાસા દરમિયાન મુખ્ય પાક(Main crop during monsoon) તરીકે લેવાતા મગફળીના પાકને ખૂબ નુકસાન થવાની ચિંતા ખેડૂતને સતાવી રહી છે.

આ પણ વાંચો: Unseosnal Rain Vadodara: જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું, જગતનો તાત ચિંતિત

મગફળીના પાકને નુકસાન સાથે ખેડૂતો થશે પાયમાલ - સતત ખેતરમાં વરસાદી પાણી ભરાઈ રહેવાને કારણે મગફળીમાં સિંગ લાગવાની કુદરતી પ્રક્રિયા અટકી જાય છે. તેને કારણે ખેડૂતોને મગફળીનો ઓછું ઉત્પાદન(Low groundnut production) મળવાની શક્યતા આજના દિવસે નકારી શકાય તેમ નથી. તેને કારણે ખેડૂતોને આર્થિક રીતે નુકસાની પણ થઈ શકે છે. જો આજ પ્રકારે વરસાદી પાણી ખેતરોમાં સતત ભરાયેલા જોવા મળશે તો આગામી દિવસોમાં ચોમાસુ કૃષિ પાકો અને ખાસ કરીને મગફળીના પાક માટે ખૂબ જ ચિંતાજનક દ્રશ્ય સોરઠના ત્રણેય જિલ્લામાં જોવા મળી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.