ETV Bharat / city

Pulses Export In Mauritius : અહીં પાકતાં કઠોળ અને દાળ શા માટે જશે મોરેશિયસ? જૂનાગઢથી આવ્યાં સમાચાર

author img

By

Published : May 27, 2022, 6:12 PM IST

Pulses Export In Mauritius : અહીં પાકતાં કઠોળ અને દાળ શા માટે જશે મોરેશિયસ? જૂનાગઢથી આવ્યાં સમાચાર
Pulses Export In Mauritius : અહીં પાકતાં કઠોળ અને દાળ શા માટે જશે મોરેશિયસ? જૂનાગઢથી આવ્યાં સમાચાર

મોરેશિયસના વડાપ્રધાન ગત મહિને સૌરાષ્ટ્રના રાજકોટમાં (Visit of the Prime Minister of Mauritius) આવ્યાં હતાં. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત પણ થયું હતું. હવે જૂનાગઢ સાથે મોરેશિયસ એક નવા પ્રકરણ (Trade between Gujarat and Mauritius) સાથે જોડાણના સમાચાર આવ્યાં છે. મોરેશિયસમાં ખાદ્ય સામગ્રી નિકાસને (Pulses Export In Mauritius ) લગતાં આ સમાચાર વિશે વિગતે જાણવો આ અહેવાલમાં.

જૂનાગઢ- આગામી દિવસોમાં જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં પાકતા કઠોળ અને કઠોળ દાળ મોરેશિયસના રસોડામાં જોવા મળશે. જૂનાગઢ (Junagadh Chamber of Commerce ) અને મોરેશિયસ ચેમ્બર ઓફ કોમર્સના અધિકારીઓની વચ્ચે થયેલી બેઠક (Mauritius Chamber of Commerce Visit Junagadh) બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. મોરેશિયસના વેપારીઓ વ્યાપારિક મહામંડળ મારફતે જૂનાગઢના (Junagadh Chamber of Commerce) કઠોળ અને દાળની નિકાસ કરતાં વેપારીઓના સંપર્કમાં આવશે. બે દેશો વચ્ચે કઠોળ અને કઠોળ દાળની નિકાસને (Pulses Export In Mauritius ) લઇને અંતિમ સહમતિ સધાઇ જતાં આગામી દિવસોમાં જૂનાગઢનું કઠોળ અને દાળ Trade between Gujarat and Mauritius) મોરેશિયસના રસોડામાં જોવા મળશે.

મોરેશિયસમાં જૂનાગઢના કઠોળ અને દાળની નિકાસ વિશે વધુ જાણો

આ પણ વાંચોઃ મોરેશિયસમાં તેલનું ગળતર અટકાવવા ભારતે મોકલી મદદ

પાછલા દિવસો દરમિયાન ચેમ્બર ઓફ કોમર્સ મોરેશિયસ સાથે થઇ બેઠક - જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં પાકતા કઠોળ અને કઠોળ દાળની ખરીદી કરવા માટે મોરેશિયસના Trade between Gujarat and Mauritius) વેપારીઓએ ચેમ્બર ઓફ કોમર્સ મોરેશિયસ (Mauritius Chamber of Commerce Visit Junagadh) અને જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના (Junagadh Chamber of Commerce)સંકલનમાં રહેલા કઠોળ અને દાળના નિકાસકારો સાથે બેઠક થઇ હતી. જે પૂર્ણ થયા બાદ 9 જેટલા કઠોળ અને કઠોળની દાળ મોરેશિયસમાં નિકાસ (Pulses Export In Mauritius )કરવાને લઇને અંતિમ સહમતિ સધાઇ ચૂકી છે. આગામી દિવસોમાં જૂનાગઢથી કઠોળ અને કઠોળની દાળો મોરેશિયસમાં નિકાસકારો મારફતે મોકલવામાં આવશે.

આ પણ વાંચોઃ Mauritius PM Gujarat Visit : અમદાવાદમાં પીએમના રોડ શોમાં મોરેશિયસ પીએમ પ્રવિન્દ જુગનાથ સાથે કેમ ન દેખાયાં? આ રહ્યું કારણ

શું થશે નિકાસ- અહીંથી ચણા અને ચણા દાળ, મગ અને મગદાળ, તુવેર, મસૂર અને મસૂરની દાળ, કાબૂલી ચણા અને સોયાબીનની જૂનાગઢમાંથી નિકાસ કરીને મોરેશિયસ Trade between Gujarat and Mauritius) મોકલવા માટે વેપારીઓએ સહમતિ દર્શાવી છે. જૂનાગઢથી કઠોળ અને કઠોળની દાળોની નિકાસ (Pulses Export In Mauritius )કરવા માટેની અંતિમ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કેટલાક વેપારીઓને (Junagadh Chamber of Commerce)તો મોરેશિયસમાં દાળ અને કઠોળ મોકલવા માટેના ઓર્ડર મળવાની પણ શરૂઆત પણ થઈ ચૂકી છે. જે પૂર્ણ થતા મોરેશિયસના રસોડામાં જૂનાગઢમાં પાકતું કઠોળ અને કઠોળની દાળ (Export Of Beans and lentils of Junagadh go to Mauritius) જોવા મળશે.

આ છે મુખ્ય કારણ - મોરેશિયસમાં ખૂબ મોટી સંખ્યામાં બિનનિવાસી ભારતીયો રહે છે. જેનો ખોરાક મોટેભાગે ભારતની ખોરાક વ્યવસ્થા સાથે એકદમ મળતો આવે છે. હાલ મોરેશિયસમાં રાજમા અને મગનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. પરંતુ અન્ય કઠોળો ત્યાંની સ્થાનિક બજારોમાં મળતા નહીં હોવાને કારણે તેનો વ્યાપક ઉપયોગ થતો ન હતો. પરંતુ લોકોની ખોરાકની આદતને ધ્યાને રાખીને અને ખાસ કરીને બિનનિવાસી ભારતીયોના ખોરાકની Trade between Gujarat and Mauritius) આદતોને ધ્યાને રાખીને ત્યાંના સ્થાનિક મોટા વેપારીઓ (Mauritius Chamber of Commerce Visit Junagadh) ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી (Junagadh Chamber of Commerce) જૂનાગઢના દાળ અને કઠોળના વેપારીઓ સાથે સંપર્કમાં (Pulses Export In Mauritius ) આવ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.