ETV Bharat / city

No Entry Without Vaccination In Junagadh: જૂનાગઢ મનપા તંત્રએ કર્યો નિર્ણય, રસી નહીં લીધી હોય તો નહીં મળે એન્ટ્રી

author img

By

Published : Jan 5, 2022, 4:37 PM IST

Updated : Jan 5, 2022, 4:55 PM IST

No Entry Without Vaccination In Junagadh: જૂનાગઢ મનપા તંત્રએ કર્યો નિર્ણય, રસી નહીં લીધી હોય તો નહીં મળે એન્ટ્રી
No Entry Without Vaccination In Junagadh: જૂનાગઢ મનપા તંત્રએ કર્યો નિર્ણય, રસી નહીં લીધી હોય તો નહીં મળે એન્ટ્રી

કોરોનાના વધતા સંક્રમણ (Corona In Gujarat)ના કારણે જૂનાગઢ મનપા કચેરી (Junagadh Municipal Corporation Office)એ કોરોનાના બંને ડોઝ (Corona vaccination in Junagadh) લીધા હોય તેવા જ અરજદારોને પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે. અરજદારોએ બંને ડોઝ લીધા છે કે કેમ તેની તપાસ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

જૂનાગઢ: કોરોનાના વધતા સંક્રમણ (Corona In Gujarat)ને કારણે જૂનાગઢ મનપા કચેરી (Junagadh Municipal Corporation Office) દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જૂનાગઢ મનપા કચેરીમાં વિવિધ કામને લઈને આવતા અરજદારોએ હવે કોરોના રસીના બન્ને ડોઝ પૂર્ણ કર્યા છે તેવું પ્રમાણપત્ર (Corona vaccination certificate junagadh) મનપા કચેરીને બતાવવું પડશે. જો આવું કરવામાં અરજદાર નિષ્ફળ રહેશે તો કોઈપણ અરજદારને કચેરીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

જૂનાગઢ મનપા કચેરીમાં રસીના બન્ને ડોઝ તમામ માટે ફરજિયાત કરાયા

સતત વધી રહેલું કોરોનાનું સંક્રમણ હવે ચિંતાજનક રીતે આગળ વધી રહ્યું છે. ગઈકાલે ગુજરાતમાં કોરોના સંક્રમણના 2 હજાર કરતાં વધુ કેસ (Corona cases in Gujarat) સામે આવતા જૂનાગઢ મનપા વહીવટીતંત્ર પણ સફાળું જાગ્યું છે અને કોરોના સંક્રમણની રસીના બંને (Corona vaccination in Junagadh) ડોઝને લઈને હવે કચેરીમાં કામગીરી આકરી દેવામાં આવી છે. જૂનાગઢ મનપા કચેરીમાં કોરોના સંક્રમણ સામે સુરક્ષા આપતી રસીના બન્ને ડોઝ લીધા હશે તેવા જ અરજદારોને પ્રવેશ આપવામાં આવશે. આ તપાસ માટે કર્મચારીઓ મુખ્ય દ્વાર પર તૈનાત કરી દેવામાં આવ્યા છે અને સમગ્ર વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે તે માટે મનપા કચેરીમાં આવતા અરજદારો પાસેથી સહયોગની પણ જૂનાગઢ મનપા વહીવટીતંત્ર આશા અને અપેક્ષા રાખી રહ્યું છે.

પ્રવેશ આપવાને લઇને કરાઈ વિશેષ વ્યવસ્થા

જૂનાગઢ મનપા કચેરીમાં આવતા પ્રત્યેક અરજદારો તેમજ કર્મચારીઓને કોરોના રસીના બન્ને ડોઝ લીધા હશે તે અંગેનું પ્રમાણપત્ર મોબાઈલ અથવા તો હાર્ડ કોપીના રૂપમાં બતાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. કચેરીમાં આવતા પ્રત્યેક અરજદાર જૂનાગઢ મનપાના કર્મચારીને કોરોના રસીકરણના બંન્ને ડોઝ અંગેનું પ્રમાણપત્ર બતાવશે, ત્યારબાદ જ કોઈપણ અરજદાર કે કર્મચારીને જૂનાગઢ મનપા કચેરીમાં પ્રવેશ (No Entry Without Vaccination In Junagadh) આપવા દેવામાં આવશે.

આ પણ વાંચો: Patients Infected With Corona In Surat: સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 11 દર્દીઓ કોરોના પોઝિટિવ

લોકોની જાગૃતતાથી જ અટકશે કોરોના

જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલે etv ભારત સાથે વાતચીત કરી હતી.

કોઇપણ વ્યક્તિ કે કર્મચારીને રસીનું પ્રમાણપત્ર બતાવ્યા વગર તેમને કોઈપણ કામ સબબ જૂનાગઢ મનપા કચેરીમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં, જેની નોટિસ પણ મનપા કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર પર લગાવવામાં આવી છે. આ વિશે જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલે પણ etv ભારત સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સતત વધી રહેલું કોરોનાનું સંક્રમણ હવે એક માત્ર લોકોની જાગૃતતાથી અટકી શકે છે તેને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Corona cases in Gujarat: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં કોરોના કેસ વધતા ઑફલાઇન વર્ગ બંધ કરાયા

Last Updated :Jan 5, 2022, 4:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.