ETV Bharat / city

Junagadh Mahashivratri Fair 2022: જૂનાગઢમાં 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી યોજાશે મહાશિવરાત્રિનો મેળો, તૈયારી અંગે બેઠકો શરૂ

author img

By

Published : Jan 25, 2022, 9:12 AM IST

Junagadh Mahashivratri Fair 2022: જૂનાગઢમાં 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી યોજાશે મહાશિવરાત્રિનો મેળો, તૈયારી અંગે બેઠકો શરૂ
Junagadh Mahashivratri Fair 2022: જૂનાગઢમાં 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી યોજાશે મહાશિવરાત્રિનો મેળો, તૈયારી અંગે બેઠકો શરૂ

જૂનાગઢમાં આ વર્ષે 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી મહાશિવરાત્રિનો મેળો (Junagadh Mahashivratri Fair 2022) યોજાશે. ત્યારે સર્વજ્ઞાતિ અને ઉતારા મંડળની મેળા અંગે એક બેઠક યોજાઈ હતી, જેમાં મેળાના આયોજન અંગે સર્વાનુમતે નિર્ણય કરવામાં (Preparations for Mahashivratri fair in Junagadh) આવ્યો હતો.

જૂનાગઢઃ આવતા મહિને મહાશિવરાત્રિનો પાવન પર્વ આવી રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં 25થી 1 માર્ચ સુધી મહાશિવરાત્રિનો મેળો યોજાશે. તેવામાં આ મેળા અંગે (Junagadh Mahashivratri Fair 2022) ઘણા વર્ષોથી કામ કરી રહેલા સર્વે સમાજ જ્ઞાતિ અને ઉતારા મંડળની એક બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં આગામી મહાશિવરાત્રિના મેળાના આયોજન અંગે સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્ઞાતિ ટ્રસ્ટ અને ઉતારા મંડળની બેઠકમાં (Utara Mandal and Sarve Samaj Mandal Meeting ) મહાશિવરાત્રિના મેળાના આયોજન અંગે તૈયારીઓ (Preparations for Mahashivratri fair in Junagadh) શરૂ કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

જિલ્લા વહીવટી તંત્ર મેળાના આયોજન અંગે આગળ આવે તેવી માગ

આ પણ વાંચો- Guru Dutt Jayanti: ગિરનારના અધિષ્ઠાતા દેવ ગુરૂદત્ત મહારાજની જન્મજયંતીની ઉજવણી

જિલ્લા વહીવટી તંત્ર મેળાના આયોજન અંગે આગળ આવે તેવી માગ

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર પણ મેળાના આયોજનને (Administrative System on Junagadh Mahashivaratri fair) લઈને આગળ આવે તેવી માગ ઉતારા મંડળ અને સર્વે સમાજ જ્ઞાતિ મંડળના ટ્રસ્ટીઓએ (Utara Mandal and Sarve Samaj Mandal Meeting) કરી છે. વર્ષોથી મહાશિવરાત્રિ મેળામાં આવતા ઉતારા મંડળ અને અન્નક્ષેત્રો તેમને ફાળવવામાં આવેલી જગ્યા પર પોતાની રાવટીઓ નાખીને ભોજન અને સેવા પ્રસાદનું કામ પણ કરશે.

જિલ્લા વહીવટી તંત્ર મેળાના આયોજન અંગે આગળ આવે તેવી માગ
જિલ્લા વહીવટી તંત્ર મેળાના આયોજન અંગે આગળ આવે તેવી માગ

આ પણ વાંચો- Makarsankranti Unai Fair : કોરોનાના કારણે યાત્રાધામ ઉનાઇ મંદિરનો મેળો કરાયો રદ, વેપારીઓ નિરાશ

વહીવટી તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને વન વિભાગ ટેકનિકલ કામગીરી શરૂ કરે તેવી કરાઈ માગ

મહાશિવરાત્રિનો મેળો (Junagadh Mahashivratri Fair 2022) 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી યોજાશે, જેને લઈને પુર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે. અહીં દર વર્ષે દેશવિદેશથી મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે ત્યારે મેળાનું સુચારુ અને કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર મેળાનું આયોજન થાય તે માટે અત્યારથી તૈયારી શરૂ કરી દેવાના મતમાં સર્વે જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ અને ઉતારા મંડળ જોવા (Utara Mandal and Sarve Samaj Mandal Meeting) મળે છે. સાથે સાથે સરકાર દ્વારા જે કોરોના ગાઈડલાઈન (Government Corona Guidelines) જાહેર કરવામાં આવી છે. તે મુજબ કોરોના સંક્રમણના તમામ નીતિનિયમોના પાલન સાથે મેળાનું આયોજન થાય તેના હકમાં સર્વે સમાજ જ્ઞાતિ અને ઉતારા મંડળ જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.