Development Work In Junagadh: 70 લાખથી વધુના વિકાસ કામોને મંજૂરી, 32 લાખના ખર્ચે થશે દામોદર કુંડનું નવીનીકરણ

author img

By

Published : Jan 5, 2022, 6:49 PM IST

Development Work In Junagadh: 70 લાખથી વધુના વિકાસ કામોને મંજૂરી, 32 લાખના ખર્ચે થશે દામોદર કુંડનું નવીનીકરણ

જૂનાગઢના વિકાસ કામો (Development Work In Junagadh)ને લઇને મનપાની સ્ટેન્ડિંગ કમિટી (jmc standing committee meeting)ની બેઠક મળી હતી. આ બેઠકમાં અંદાજિત 70 લાખ કરતા વધુના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. દામોદર કુંડ (damodar kund junagadh) અને તેની સામેના માર્ગના નવીનીકરણ સહિતના કામો (road renovation in junagadh) કરવામાં આવશે.

જૂનાગઢ: આજે મળેલી જૂનાગઢ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક (jmc standing committee meeting)માં જૂનાગઢ શહેર વિસ્તારમાં અંદાજિત 70 લાખ કરતા વધુના વિકાસના કામો (Development Work In Junagadh)ને મંજૂરી આપવામાં આવી છે. દામોદર કુંડ (damodar kund junagadh )માં 32 લાખના ખર્ચે નવીનીકરણ-રીનોવેશન તેમજ 25 લાખના ખર્ચે પરિક્રમા માર્ગ પર નવા બનાવવામાં આવેલા માર્ગ (road renovation in junagadh)ને લઈને રકમની ફાળવણી કરવામાં આવી છે.

દામોદર કુંડનું નવીનીકરણ અને રીનોવેશન થશે

જૂનાગઢ મનપાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં જૂનાગઢના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી. મનપા મેયરની ચેમ્બરમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અને ચેરમેનની હાજરીમાં આ બેઠકનુ આયોજન થયું હતું, જેમાં જૂનાગઢ શહેરના સ્થાનિક અને પરચૂરણ કામોની સાથે દામોદર કુંડના નવીનીકરણ અને રીનોવેશન (Renovation of Damodar Kund Junagadh) તેમજ ભવનાથ વિસ્તારમાં બનવા જઈ રહેલા નવા માર્ગ (Road Development In Bhavnath)ને લઈને અંદાજિત 60 લાખ કરતા વધુની માતબર રકમની ફાળવણી કરવામાં આવી હતી. વિકાસના કામો પૂર્ણ થાય તે દિશામાં કામ શરૂ કરવાને લઈને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ કામો પર મંજૂરીની મહોર મારવામાં આવી છે.

દામોદર કુંડની સામે આવેલા માર્ગના નવીનીકરણ માટે 25 લાખ રૂપિયાની ફાળવણી

જૂનાગઢ મનપાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અંદાજિત 32 લાખ કરતા વધુના ખર્ચે દામોદર કુંડમાં નવીનીકરણ અને રિનોવેશનનું કામ શરૂ કરવાને લઈને બજેટ (Damodar Kund Development Budget 2022)ની ફાળવણી કરી દેવામાં આવી છે. તેની સાથે દામોદર કુંડની સામે આવેલા માર્ગનું નવીનીકરણ કરવાને લઈને પણ અંદાજિત 25 લાખ રૂપિયાના બજેટની ફાળવણી કરવામાં આવી છે, જેને સ્ટેન્ડિંગ કમિટીના તમામ સદસ્યોએ સહમતિથી મંજૂરીની મહોર મારી દીધી છે.

આ પણ વાંચો: Junagadh Lion Attack: જૂનાગઢના આજક ગામમાં અચાનક ઘુસ્યા સિંહો

ટ્રાફિક જામની સમસ્યાથી ભવનાથ વિસ્તારને મળશે છૂટકારો

ભવનાથ વિસ્તારને શિવરાત્રી અને પરિક્રમાના મેળા દરમિયાન થતા ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે.

દામોદર કુંડની સામેનો નવો માર્ગ મહાશિવરાત્રીના મેળા (junagadh shivratri mela)માં ટ્રાફિક જામ (Traffic Problem In Bhavnath Junagadh)ની અનેક સમસ્યા સર્જી રહ્યો હતો. આ માર્ગ એકમાર્ગી હોવાને કારણે લાખોની સંખ્યામાં આવતા ભાવિકોની સાથે વાહનોને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ શિવરાત્રી અને પરિક્રમા દરમિયાન લાગતો હતો. હવે જ્યારે આ માર્ગને દ્વી-માર્ગીય કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે, ત્યારે ભવનાથ વિસ્તારને શિવરાત્રી અને પરિક્રમાના મેળા દરમિયાન થતા ટ્રાફિક જામમાંથી પણ મુક્તિ મળશે.

આ પણ વાંચો: Cm at Doctor Subhash Academy: જૂનાગઢમાં ભૂપેન્દ્ર પટેલે આર્યુવેદિક હોસ્પિટલને લોકો માટે ખૂલ્લી મૂકી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.