ETV Bharat / city

કોરોનાની કપરી પરિસ્થિતિ છતાં જૂનાગઢનું ઝાલણસર ગામ તબીબી સહાયથી વંચિત

author img

By

Published : May 9, 2021, 6:11 PM IST

શહેરોમાં સતત વધી રહેલું કોરોના સંક્રમણ હવે ગામડાઓ સુધી પણ વિસ્તરી ગયું છે. ત્યારે, જૂનાગઢ નજીક આવેલું ઝાલણસર ગામમાં કોરોના સંક્રમણને કારણે ભય માહોલ સર્જાયો છે. જેને કારણે ગામના લોકોએ ગામમાં લોકડાઉન કરી દીધું છે. આ ઉપરાંત, સતત બધી રહેલા કોરોના સંક્રમણ બાદ પણ ગામમાં હજુ પૂરતા પ્રમાણમાં તબીબી સહાય મળતી નહીં હોવાનો ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે.

કોરોનાની કપરી પરિસ્થિતિ છતાં જૂનાગઢનું ઝાલણસર ગામ તબીબી સહાયથી વંચિત
કોરોનાની કપરી પરિસ્થિતિ છતાં જૂનાગઢનું ઝાલણસર ગામ તબીબી સહાયથી વંચિત

  • સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે ઝાલણસર ગામમાં ડરનો માહોલ
  • ગામમાં વધતા કોરોનાના કેસોને કારણે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું
  • 20થી 30 જેટલા સંક્રમિત કેસો પ્રતિદિન સામે આવી રહ્યા છે

જૂનાગઢ: રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે જૂનાગઢ નજીક આવેલું ઝાલણસર ગામમાં ભયજનક માહોલની વચ્ચે બંધ જોવા મળી રહ્યું છે. કોરોના સંક્રમણને કારણે ગામના પ્રત્યેક ઘર અને બજારો સજ્જડ બંધ જોવા મળી રહી છે. ગામમાં લોકોની અવરજવર પણ એકદમ બંધ જોવા મળી રહી છે. જેને કારણે, ઝાલણસર ગામ સુમસામ બની ગયું છે. પાછલા એક અઠવાડિયાથી ગામલોકોએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. આ ગામમાં પ્રતિદિન 20થી 30 જેટલા કેસો બહાર આવતા હતા. આ દરમિયાન, 8 જેટલા લોકોના મોત પણ કોરોના સંક્રમણને કારણે થયા છે. જેને કારણે ગામમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

કોરોનાની કપરી પરિસ્થિતિ છતાં જૂનાગઢનું ઝાલણસર ગામ તબીબી સહાયથી વંચિત

આ પણ વાંચો: જૂનાગઢની દાણાપીઠ બજારમાં ફરી જાહેર કરાયું 66 કલાકનું લોકડાઉન

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળતી સવલત અપૂરતી

3500 જેટલી વસ્તી ધરાવતું ઝાલણસર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તો છે પણ અહીં ખાટલે મોટી ખોટ સમાન કોઈ પણ તબીબની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કરવામાં આવી નથી. અહીં નર્સિંગ સ્ટાફ દ્વારા ગામના લોકોને સામાન્ય પરિસ્થિતિમાં સામાન્ય દવાઓ આપવામાં આવી રહી છે. ત્યારે, કોરોનાના કપરા કાળમાં ગામના લોકો તબીબી સુવિધાઓને લઈને પણ અનેક મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. આથી, આવી પરિસ્થિતિ વચ્ચે સામાજિક સંસ્થાઓ દ્વારા ગામની નજીક કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. જેથી ગામને તબીબી સહાય મળી રહી છે. પરંતુ, ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોવા છતાં પણ અહીં પૂરતી તબીબી સહાય આજદિન સુધી ઊભી કરવામાં આવી નથી. સરકારના દાવાઓની વચ્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તબીબો વગર આજે પણ જોવા મળી રહ્યા છે.

કોરોના કપરી પરિસ્થિતિ છતા જૂનાગઢનું ઝાલણસર ગામ  તબીબી સહાયથી વંચિત
કોરોના કપરી પરિસ્થિતિ છતા જૂનાગઢનું ઝાલણસર ગામ તબીબી સહાયથી વંચિત

આ પણ વાંચો: કોરોના સંક્રમણને ફેલાવવા માટે સરકારને જવાબદાર ઠેરવતા NCP નેતા રેશ્મા પટેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.