ETV Bharat / city

5th જનરેશનના રાફેલની શું છે ખાસિયત ? જાણો એર કમાન્ડર સુરેન્દ્ર ત્યાગી સાથેની ખાસ વાતચીત

author img

By

Published : Nov 5, 2020, 6:27 PM IST

Updated : Nov 5, 2020, 7:26 PM IST

અમેરિકા, રશિયા બાદ લેટેસ્ટ લડાકુ વિમાન ભારત પાસે પણ આવ્યા છે. ચીન અને પાકિસ્તાન પાસે રાફેલ જેવા લડાકુ વિમાન નથી. લડાકુ વિમાન રાફેલનું 4 નવેમ્બરે જામનગરના એરફોર્સ સ્ટેશન પર રાત્રે 8 કલાકને 20 મિનિટે આગમન થયું હતું, ત્યારે એર કમાન્ડર સુરેન્દ્ર ત્યાગીએ 5th જનરેશનના લડાકુ વિમાનની ખાસિયત અંગે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી છે.

What is so special about 5th Generation Rafel? special conversation with Air Commander Surendra Tyagi
5th જનરેશનના રાફેલની શું છે ખાસિયત ? જાણો એર કમાન્ડર સુરેન્દ્ર ત્યાગીની ખાસ વાતચીત

  • ભારતમાં વધુ 3 રાફેલનું આગમન
  • જામનગરની ભુમિ પર કર્યું ઉતરાણ
  • ફ્રાંસ એરબેઝ પરથી ભરી હતી ઉડ્ડાન
  • 5 નવેમ્બરે અંબાલા એર બેઝ જવા થયા રવાના

જામનગરઃ વિશ્વના સૌથી આધુનિક લડાકુ વિમાનમાં જેની ગણના થાય છે તે રાફેલનું જામનગરની ભૂમિ પર લેન્ડિંગ થયું હતું. અત્યાર સુધીના ઈતિહાસમાં વિશ્વના અન્ય દેશો પાસેથી જેટલા પણ લડાકુ વિમાનો મંગાવવામાં આવ્યા છે, તે મોટા ભાગના લડાકુ વિમાનનું લેન્ડિંગ જામનગરમાં થયું છે, ત્યારે 4 નવેમ્બરના રોજ પણ જામનગરમાં રાફેલનું આગમન થયું હતું. જેની ગુંજ શહેર વાસીઓએ સાંભળી હતી.

5th જનરેશનના રાફેલની શું છે ખાસિયત ? જાણો એર કમાન્ડર સુરેન્દ્ર ત્યાગી સાથેની ખાસ વાતચીત

રાફેલ વિમાન 1400 કિમી પ્રતિ કલાકની ઝડપ ધરાવે

ભારતીય વાયુ સેનાને 4 નવેમ્બરે 3 ત્રણ લડાકુ વિમાન રાફેલ મળ્યા છે. આ ત્રણેય રાફેલ વિમાન ફ્રાન્સથી 7364 કિમીનું અંતર કાપી નોન સ્ટોપ સીધા જામનગર આવી પહોંચ્યા હતાં. મળતી માહિતી મુજબ ફ્રાન્સના એરબેઝથી જામનગર સુધીની લાંબી સફર દરમિયાન વાયુસેનાનું વિમાન પણ સાથે રાખવામાં આવ્યું હતું. જેના દ્વારા હવામાં ઈંધણ પૂરવામાં આવ્યું હતું.

એર કમાન્ડર સુરેન્દ્ર ત્યાગી
એર કમાન્ડર સુરેન્દ્ર ત્યાગી

ભારતે કુલ 36 વિમાનનો કરાર કર્યો

ઉલ્લેખનીય છે કે, ભારતે ફ્રાન્સ પાસેથી 59,000 કરોડના કુલ 36 રાફેલ વિમાનનો ખરીદવાનો કરાર કર્યો છે. આ રાફેલ વિમાન 1400 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરવાની તાકાત ધરાવે છે અને રાફેલનું વજન 10 ટન જેટલું છે. આ સાથે જ રાફેલ વિમાન મિસાઇલની સાથે ઉડાન ભરે તો 25 ટકા સુધી લઇ જાય છે.

એર કમાન્ડર સુરેન્દ્ર ત્યાગી
એર કમાન્ડર સુરેન્દ્ર ત્યાગી

એક મિનિટમાં 8000 મીટરની ઉંચાઈ પર જવાની ક્ષમતા

રાફેલ વિમાન હિમાચલ પર ખૂબ ઠંડા વાતાવરણમાં પણ ઉડાન ભરવાની ક્ષમતા ધરાવે છે. ભારતે પોતાની જરૂરિયાત મુજબ તેમાં હેમર મિસાઈલ લગાવી છે. આ મિસાઈલ આકાશ પરથી જમીન પર હુમલો કરવા શ્રેષ્ઠ સાબિત થઈ છે. રાફેલ વિમાન એક મિનિટમાં 8000 મીટરની ઉંચાઈએ જઈ શકે છે. આ ઉપરાંત રાફેલ વિમાન પાકિસ્તાનના F- 18 અને ચીનના J-20થી પણ શ્રેષ્ઠ છે.

Last Updated :Nov 5, 2020, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.