Omicron in Gujarat, વધુ બે શંકાસ્પદ કેસ: ઓમિક્રોન પોઝિટિવના પરિવારજનો પણ બન્યા સંક્રમિત

author img

By

Published : Dec 6, 2021, 7:04 AM IST

Omicron in Gujarat, વધુ બે શંકાસ્પદ કેસ: ઓમિક્રોન પોઝિટિવના પરિવારજનો પણ બન્યા સંક્રમિત

જામનગરમાં ઓમિક્રોન (Omicron in Jamnagar)ના વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. ઓમિક્રોન (Omicron in Gujarat ) સંક્રમિતના પરિવારજનો પણ સંક્રમિત બન્યા છે. પરિવારના બે સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દીના પરિવારમાંથી 1 સ્ત્રી અને 1 પુરુષ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. દર્દી પોતે ઓમિક્રોન પોઝિટિવ હોવાથી પરિવારજનો પણ ઓમિક્રોન પોઝિટિવ (Families of Omicron positive also became infected ) હોવાની શંકા પ્રબળ બની છે.

  • ભારતમાં સતત વધી રહી ઓમિક્રોનની દહેશત
  • જામનગરમાં ઓમિક્રોનના વધુ બે શંકાસ્પદ કેસ આવ્યા સામે
  • ઓમિક્રોન સંક્રમિતના પરિવારજનો પણ સંક્રમિત બન્યા

જામનગર: ઓમિક્રોનના વધુ બે શંકાસ્પદ કેસ (Two more suspected cases of Omicron in Gujarat ) સામે આવ્યા છે. ઓમિક્રોન સંક્રમિતના પરિવારજનો પણ સંક્રમિત (Families of Omicron positive also became infected ) બન્યા છે. પરિવારના બે સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

એક સ્ત્રી અને એક પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ભારતમાં ઓમિક્રોનની દહેશત (Fear of omicron in India) સતત વધી રહી છે. ત્યારે ગુજરાત (Omicron in Gujarat ) રાજ્યમાં પણ ઓમિક્રોન શંકાસ્પદ કેસમાં સતત વધારો નોધાઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં જામનગર ખાતે પ્રથમ ઓમિક્રોનનો કેસ નોધાયા બાદ્દ રાજકોટ અને અમદાવાદ ખાતેથી વધુ શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. જેને પગલે રાજ્ય સરકારની ચિંતામાં પણ વધારો થયો છે.

Omicron in Gujarat, વધુ બે શંકાસ્પદ કેસ: ઓમિક્રોન પોઝિટિવના પરિવારજનો પણ બન્યા સંક્રમિત
Omicron in Gujarat, વધુ બે શંકાસ્પદ કેસ: ઓમિક્રોન પોઝિટિવના પરિવારજનો પણ બન્યા સંક્રમિત

રાજકોટ લેબોરેટરીમાં સેમ્પલ મોકલવમાં આવ્યા

જામનગરમાં ઓમિક્રોન (Omicron in Jamnagar)ના વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. ઓમિક્રોન સંક્રમિતના પરિવારજનો પણ સંક્રમિત બન્યા છે. પરિવારના બે સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દર્દીના પરિવારમાંથી 1 સ્ત્રી અને 1 પુરુષ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. દર્દી પોતે ઓમિક્રોન પોઝિટિવ હોવાથી પરિવારજનો પણ ઓમિક્રોન પોઝિટિવ હોવાની શંકા પ્રબળ બની છે.

હજુ પણ શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીના કેસમાં સતત વધારો

હાલમાં બંને સંક્રમિતોના નમૂના ગાંધીનગર લેબમાં મોકલવામા આવ્યા છે. બંને દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અને બંને શંકાસ્પદને હાલમાં આઇસોલેશનમાં રાખવામા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાથી ઓમિક્રોન વેરિયન્ટનો પહેલો કેસ નોંધાયો હતો. જે બાદ દેશમાં 4 ઓમિક્રોન વેરિયન્ટના કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ રવિવારે સવારે દિલ્હીમાં વધુ એક કેસ નોંધાયો હતો. મહારાષ્ટ્રમાં તેના સૌથી વધુ કેસ છે. ત્યાં ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 8 થઈ ગઈ છે. રવિવારે 7 નવા કેસ નોંધાયા હતા. જેમાં એક જ પરિવારના 6 લોકોનો સમાવેશ થાય છે, જેઓ નાઈજીરિયાથી પરત ફર્યા હતા. હાલમાં દેશમાં ઓમિક્રોન સંક્રમિતોની કુલ સંખ્યા 12 થઈ છે.

આ પણ વાંચો: ઓમિક્રોને રાજસ્થાનમાં પણ દસ્તક આપી: જયપુરના 9 દર્દીઓમાં કોરોનાનો નવો વેરિયન્ટ

આ પણ વાંચો: નાઇજીરિયાથી પુણે આવતા 6 લોકો ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત, મહારાષ્ટ્રમાં કુલ દર્દીઓની સંખ્યા 8

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.