ETV Bharat / city

Mitti Bachao Abhiyan : સદગુરુ જગ્ગી વાસુદેવે માટી બચાવો યાત્રાને લઈને ખોલ્યા તથ્યો

author img

By

Published : May 26, 2022, 1:13 PM IST

Mitti Bachao Abhiyan : સદગુરુ જગ્ગી વાસુદેવે માટી બચાવો યાત્રાને લઈને ખોલ્યા તથ્યો
Mitti Bachao Abhiyan : સદગુરુ જગ્ગી વાસુદેવે માટી બચાવો યાત્રાને લઈને ખોલ્યા તથ્યો

સદગુરુ જગ્ગી વાસુદેવ 29મીએ જામનગર મુલાકાતને લઈને (Sadguru Jaggi Vasudev visits Jamnagar) જામસાહેબના પ્રતાપ વિલાસ પેલેસ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને પ્રતાપ વિલાસ પેલેસને રોશનીથી શણગારવામાં આવ્યું છે. તેમજ સદગુરુ જગ્ગી વાસુદેવને લઈને અન્ય કેટલાક (Mitti Bachao Abhiyan) વિશેષ કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે.

જામનગર : સદગુરુ જગ્ગી વાસુદેવ 29મીએ જામનગર (Sadguru Jaggi Vasudev visits Jamnagar) આવી રહ્યા છેે. સદગુરૂ પોતાની 24 દેશોની 30,000 કિમીની માટી બચાવો યાત્રાને ગુજરાતની પ્રારંભ કરવા જઈ રહ્યા છે. ભારતીય નૌ સેના દ્વારા તેમનું જામનગર પોર્ટ ખાતે 29 મે ના રોજ ભવ્ય સ્વાગત કરાશે. જ્યારે તેઓ જામનગર ખાતે પ્રતાપ વિલાસ પેલેસમાં રવિવારે સાંજે 5.30 કલાકે માટી બચાવો અભિયાન (Mitti Bachao Abhiyan) વિશે સંબોધન કરશે. જામસાહેબ દ્વારા પેલેસમાં સ્વાગત કરાશે અને સમગ્ર (Jamnagar Sadguru Program) કાર્યક્રમનું આયોજન આવ્યું છે.

સદગુરુ જગ્ગી વાસુદેવ
સદગુરુ જગ્ગી વાસુદેવ

શું માટી બચાવો અભિયાન - આધ્યાત્મિક ગુરુ સદગુરુ આ દિવસોમાં માટી બચાવવા (Sadguru Mitti Bachao Abhiyan) માટે એકલા બાઈક પર પ્રવાસ કરી રહ્યા છે. યાત્રાના 70માં દિવસે તેઓ 29મી મેના રોજ ગુજરાતના જામનગર પહોંચશે. આ મુલાકાતનો હેતુ ભૂમિ સંરક્ષણની જરૂરિયાત અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. સદગુરૂએ કહ્યું કે, માટી વાસ્તવમાં આ પૃથ્વી પરની જૈવવિવિધતાની માતા છે. સમૃદ્ધ માટી વિના, જૈવવિવિધતાની કોઈ શક્યતા નથી. તે ગર્ભ છે જે આ ગ્રહ પર જીવનને જન્મ આપે છે.

આ પણ વાંચો : Farming with hydroponic technology : ઉત્તરાખંડના ખેડૂતે માટી વગર ખેતીને બનાવી શક્ય, ખેડૂત પાસેથી જાણીએ આ નવી પદ્ધતી વિશે...

માટી સંબંધિત મહત્વપૂર્ણ તથ્યો જાણો - ઓછામાં ઓછો 95 ટકા ખોરાક (Soil Related Facts) આપણે ખાઈએ છીએ તે માટી માંથી આવે છે, છ ઇંચ જમીનમાં એક ટકા કાર્બનિક દ્રવ્ય વધારવાથી એકર દીઠ 20,000 ગેલન વધુ પાણી મળે છે, માટીનું ધોવાણ સમગ્ર વિશ્વમાં 3.2 અબજ લોકોને નકારાત્મક અસર કરે છે, એક ગ્રામ સ્વસ્થ માટીમાં 100 મિલિયનથી 1 અબજ બેક્ટેરિયા અને 100,000 થી 1 મિલિયન ફૂગ મળી શકે છે, જે છોડના વિકાસ અને આરોગ્ય માટે ફાયદાકારક છે, એવું અનુમાન છે કે, 2050 સુધીમાં, પૃથ્વીની 90 ટકા જમીન ખરાબ થઈ શકે છે, જમીનમાં જૈવિક સામગ્રી 0.5 થી 3 ટકા વધારવાથી જમીન દ્વારા જળવાઈ રહેલું પાણી બમણું થશે તેમજ જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થવાને કારણે વનસ્પતિની ઉત્પાદકતામાં 20 ટકાનો ઘટાડો થયો છે.

આ પણ વાંચો : Research on Sparrow : ચકલીમાં વાઇરસ ખેંચવાની ક્ષમતા હોય છે!

માટી સંબંધિત બાબતો જાણો - ખોરાક અને જમીનમાં પોષક તત્વોની અછતને કારણે, વિશ્ર્વની 60 ટકા વસ્તીમાં આયર્ન જેવા પોષક તત્વોની ઉણપ છે. એક ચમચી માટીમાં વિશ્વના લોકો કરતા વધુ જીવંત જીવો હોય છે. તંદુરસ્ત માટીના એક ચમચીમાં અંદાજે 10,000-50,000 સૂક્ષ્‍મ જીવોની પ્રજાતિઓ હોય છે, વિશ્વની તમામ ટોચની માટી 60 વર્ષમાં ખતમ થઈ શકે છે. વિશ્વભરમાં દર વર્ષે લગભગ 12 મિલિયન હેક્ટર ટોચની જમીન નષ્ટ થાય છે. તે લગભગ સમગ્ર ગ્રીસ રાષ્ટ્રનું કદ છે, વિશ્વની 90 ટકા ખેતી માટે માટી પાણીનો સ્ત્રોત છે પરંતુ, 52 ટકા ખેતીની જમીન પહેલેથી જ ખતમ થઈ ગઈ છે, ઘણી વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી એન્ટિબાયોટિક્સ માટીના સૂક્ષ્‍મજીવાણુઓમાંથી ઉદ્દભવે છે. વિશ્વની પ્રથમ એન્ટિબાયોટિક પેનિસિલિન સહિત, અળસિયાની હાજરી ઉપજમાં 43-350 ટકા વધારો કરી શકે છે, જો જમીનમાં કાર્બન માત્ર 0.4 ટકા વધી જાય તો ખાદ્ય ઉત્પાદન દર વર્ષે 1.3 ટકા વધી શકે તેમજ યુએનના અંદાજો અનુસાર, માટીનું પુનજીવિત (Sadguru visits Jamnagar) થવાથી વાર્ષિક ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં 25-35 ટકાનો ઘટાડો થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.