ETV Bharat / city

લોકો દેવુસિંહનું નહીં પરંતુ ખુરશીનું સન્માન કરે છે: કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ

author img

By

Published : Oct 17, 2021, 5:37 PM IST

Latest news of Gandhinagar
Latest news of Gandhinagar

2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ સંભળાઇ રહ્યા છે. ઠેર ભાજપ દ્વારા ચૂંટણીપ્રચાર અર્થે પ્રચાર સભા યોજવામાં આવી રહી છે. આજે 17 ઓક્ટોબરે કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ દ્વારા ગાંધીનગર મતવિસ્તારમાં સભા યોજવામાં આવી હતી.

  • 2022 ની વિધાનસભા ચૂંટણી પહેલાં કેન્દ્રીય પ્રધાનોની પ્રચાર સભા
  • ગાંધીનગરના કલોલ સાંતેજ માણસા દહેગામમાં સભા
  • દેવુસિંહ ચૌહાણે સભાને સંબોધન કર્યું

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં ઠેર ઠેર જગ્યાએ જન આશિર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જુદી જુદી જગ્યાએ યોજાતી જન આશીર્વાદ યાત્રા ગાંધીનગર જિલ્લામાં કલોલ સાંતેજ માણસા અને દહેગામમાં યોજાઇ હતી. કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ (Devu Singh Chauhan) ની ઉપસ્થિતિમાં આ જન યાત્રા યોજવામાં આવી હતી. ઓગસ્ટ મહિનાથી જન આશીર્વાદ યાત્રા શરૂ કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ અંબાજીમાના દર્શન કરી આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જુદી જુદી જગ્યાએ પસાર થયેલી આજની યાત્રા ગાંધીનગર જિલ્લામાં આવી પહોંચી હતી.

લોકો દેવુસિંહનું નહીં પરંતુ ખુરશીનું સન્માન કરે છે: કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ

ગુજરાતની જનતાએ મને ખૂબ મોટો પ્રતિસાદ આપ્યો: દેવુસિંહ ચૌહાણ

દેવુસિંહ ચૌહાણે (Devu Singh Chauhan) જણાવ્યું હતું કે, ગુજરાતમાં અને તેમાં પણ ઉત્તર ગુજરાતમાં જગત જનની અંબાજીના પ્રાર્થના કરીને જ્યારે હું મારા મત ક્ષેત્ર ગુજરાતમાં આવ્યો. જે પ્રકારે મારું સ્વાગત થયું કદાચ લોકસભામાં મારો પરિચય ન થવા દીધો પરંતુ ગુજરાતની જનતાએ મને ખૂબ મોટો પ્રતિસાદ આપ્યો છે. સ્વાગતમાં જે કોઈએ ખુશ થઈને કોઈ પાઘડી, કોઈએ તલવાર આપી સન્માન કર્યું તો કોઈએ ફોટો આપ્યો તો કોઈએ આમંત્રણ આપ્યું, ખરા અર્થમાં લોકો દેવુસિંહનું નહીં પરંતુ ખુરશીનું સન્માન કરે છે.

કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણે ગાંધીનગર મતવિસ્તારમાં જન સભા યોજી
કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણે ગાંધીનગર મતવિસ્તારમાં જન સભા યોજી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.