ETV Bharat / city

કોરોનામાં મૃત્યુ પામેલા 6,319 લોકોને રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી સહાય

author img

By

Published : Dec 6, 2021, 2:53 PM IST

કોરોનામાં મૃત્યુ પામેલા 6,319 લોકોને રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી સહાય
કોરોનામાં મૃત્યુ પામેલા 6,319 લોકોને રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી સહાય

કોરોનામાં (death due to corona in gujarat) જે લોકો મૃત્યુ (corona patient in gujarat) પામ્યા છે, તેમને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે, અત્યાર સુધીમાં 31,575થી વધુ કોરોના મૃત્યુ (Death from corona) સહાયના ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે. જેમાં 6,319 લોકોને રાજ્યભરમાં રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવી દેવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં અમદાવાદમાં 4501 ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે, જ્યારે 1792 લોકોને કોરોનાની સહાય ચૂકવી દેવામાં આવી છે.

  • 31,575થી વધુ જેટલા સહાયના ફોર્મ વિતરણ કરવામાં આવ્યા
  • અમદાવાદમાં 1792 લોકોને કોરોનાની સહાય ચૂકવાઈ
  • 12,269 ફોર્મ ભરીને પરત આવ્યા

ગાંધીનાગર : કોરોના મૃત્યુ પામનાર લોકોને (death due to corona in gujarat) સરકાર દ્વારા રૂપિયા 50 હજારની સહાય જાહેરાત કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર 10,095 લોકોનું મૃત્યુ કોરોનાના (Death from corona) કારણે થયું છે, જેમાં અંદાજિત 60 ટકાથી વધુ લોકોને સહાય ચૂકવાઇ છે અને તેમના ખાતામાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 33 જિલ્લામાંથી કોરોનામાં (corona patient in gujarat) મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રાજ્ય સરકારના (coronavirus in gujarat) આરોગ્ય વિભાગને પ્રોસેસ પ્રમાણે અરજી કરી હતી જેમાં સહાય ચૂકવવાની કામગીરી ચાલી રહી છે.

કોરોનામાં મૃત્યુ પામેલા 6,319 લોકોને રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી સહાય

12,269 ફોર્મ ભરીને પરત આવ્યા

અત્યાર સુધી કુલ 31,575 ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે, જેમાં 12,269 ફોર્મ ભરીને પરત આવ્યા છે, જેમાં અત્યાર સુધી 6,779 કેસોની સંખ્યા મંજુર કરવામાં આવી છે, જેમાંથી 6,319 લોકોને કોરોના સહાય ચૂકવવામાં આવી છે. શનિવાર 4 ડિસેમ્બર સુધીમાં આટલી સંખ્યામાં સહાય ચુકવવામાં આવી છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલી યાદી સિવાયના ચૂકવેલ કેસોની સંખ્યા 4 છે, ત્યારે 6,319ને આ સહાય ચુકવવામાં આવી છે.

31,59,50,000ની રકમ ચુકવવામાં આવી

આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલે વધુમાં જણાવ્યું હતું કે "અત્યાર સુધી આવેલા ફોર્મ પૈકી ચકાસણી બાદ 6,319ને આ સહાય ચુકવવામાં આવી છે, જેમાં 31,59,50,000ની રકમ ચુકવવામાં આવી છે. ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ઓનલાઇન પણ અરજી કરી શકાય છે. કેટલાક પરિવારજનોનું માનવું છે કે તેમના સ્નેહીજનોના મૃત્યુ કોરોનાના કારણે જ થયા છે, જ્યારે આરોગ્ય વિભાગના અંડકાઓ કંઈક અલગ કહી રહ્યા છે તે પણ એક સવાલ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કોરોના મૃતકોના 1219 પરિવારને સહાય ચૂકવાઈ

આ પણ વાંચો: "અંતિમ વિધિ જગ્યા ઓછી પડતી હોવાથી કોરોના મૃતક માટે અલગ સ્મશાન - કબ્રસ્તાનની જગ્યા ફાળવવામાં આવે"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.