ETV Bharat / city

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને સરકારનો નિર્ણય, RTPCR અને CT Scanનાં ભાવમાં ઘટાડો

author img

By

Published : Jul 28, 2021, 3:51 PM IST

Updated : Jul 28, 2021, 5:02 PM IST

કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં RTPCR અને CT scanના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, એરપોર્ટ પર તાત્કાલિક કરવામાં આવતા કોરોનાના ટેસ્ટના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. તેમજ સરકારે રાજ્યમાં 112 કરોડના CT Scan સહિતના મશીનો ખરીદવાનો નિર્ણય કરાયો છે.

RTPCR અને CT Scanનાં ભાવમાં ઘટાડો
RTPCR અને CT Scanનાં ભાવમાં ઘટાડો

  • સરકાર દ્વારા RT PCR અને CT Scanને લઈને મહત્વનો નિર્ણય
  • રાજ્યમાં RTPCR ટેસ્ટ અને CT Scanના ભાવમાં ઘટાડો કરાયો
  • ગરીબ અને મધ્યમવર્ગના લોકોને કોરોનાની સારવામાં મળશે રાહત

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, રાજ્યનાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેર (Corona Third Wave) ને ધ્યાને રાખીને RTPCR અને CT scanના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આથી સામાન્ય અને ગરીબ વર્ગના લોકોને કોરોનાની સારવામાં રાહત મળી શકશે. આ ઉપરાંત સરકાર દ્વારા એરપોર્ટ પર તાત્કાલિક કોરોનાના ટેસ્ટના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: સુરત શહેરના 8 પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અમલી અશાંત ધારાની મુદ્દત 5 વર્ષ લંબાઈ

RTPCR અને CT scanના ભાવ ઘટાડાયા

સરકાર દ્વારા આ ભાવ ઘટાડાના નિર્ણયથી કોઇપણ ખાનગી લેબોરેટરીમાં RTPCR ટેસ્ટના 700ની જગ્યાએ 300 ઘટાડીને 400 રુપિયામાં કરવામાં આવ્યા છે, તેમજ CT scanમાં પણ 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવતા તે પણ 2500 રુપિયામાં થશે. આ ઉપરાંત, અગાઉ એરપોર્ટ પર તાત્કાલિક કોરોનાના ટેસ્ટ 4,000 ચાર્જ લેવામાં આવતો હતો, પરંતુ તેમાં 1300 રૂપિયા ઘટાડીને 2700 કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની તમામ સરકારી હોસ્પીટલોમાં RTPCR અને CT scan જેવાં તમામ ટેસ્ટ વિના મુલ્યે કરવામાં આવી રહ્યા છે.

સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ

રાજ્યનાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ સંભવિત ત્રીજી લહેર ગમે ત્યારે આવી શકે છે, આથી સરકાર દ્વારા તમામ તૈયારીઓના ભાગરૂપે સ્ટાફ વધારવાનું કામ અને પ્લાન નક્કી કરાયો છે, તે પ્રમાણે કામગીરી હાથ ધરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્યમાં જેમ જેમ વેક્સિનનો જથ્થો પ્રાપ્ત થતો જાય છે, તેમ તેમ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. આ પણ જાહેરાત કરી હતી કે, દર્દીના ઘરે કે કોઇ હોસ્પિટલમાં દાખલ હોય તે દરમિયાન ખાનગી લેબોરેટરીના માણસને મોકલીને RTPCR ટેસ્ટના સેમ્પલ લેવાનો હાલ સુધીનો ચાર્જ 900 રુપિયા હતો, જેમાં 350નો ઘટાડો કરીને 550 રૂપિયા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: હવે તમે 250ની કોવિસેલ્ફ કીટથી જાતે કોરોના ચકાસી શકાશે

રાજ્યમાં 112 કરોડના મશીનો ખરીદવામાં આવશે

કોરોનાની બીજી લહેરમાં જે રીતે RTPCR અને CT scan ની માંગ વધી હતી તેને ધ્યાને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકારી હોસ્પીટલો દ્વારા નિ:શુલ્ક ટેસ્ટ કરવામાં આવતા હતા. સરકાર દ્વારા સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી રાજ્યમાં 112 કરોડના મશીનો ખરીદવામાં આવશે. જેમાં, આગામી દિવસોમાં મેડિકલ કોલેજ અને જિલ્લા કક્ષાની હોસ્પિટલોમાં નવા 17 CT scan મશીન મૂકવામાં આવશે. સોલા મેડિકલ કોલેજ, ગાંધીનગર મેડિકલ કોલેજ અને વડોદરા ગોત્રી હોસ્પીટલને મંજૂરી આપી છે. આ ઉપરાંત, અમદાવાદ સિવિલ, વડોદરા, ભાવનગર, રાજકોટ, જામનગર, ગાંધીનગર, જૂનાગઢ કોલેજ વગ્રે જગ્યાએ 2-2 CT scan સ્કેન મશીન મૂકવામાં આવશે.

ડોક્ટર અને સહાયકને સરકાર પગાર આપશે

આરોગ્ય વિભાગને વધુ સઘન બનાવવા માટે, મહાનગર અને નગર પાલીકા માટે PHC જેવી વ્યવસ્થા ચલાવવામાં આવશે. ગરીબ અને કામદાર વસ્તી ધરાવતા વિસ્તારમાં નાની મોટી બીમારીમાં ઘર આંગણે જ સારવાર મળી રહે તે માટે શહેરી વિસ્તારમાં પંડિત દીનદયાળ સેન્ટર શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, સરકાર ખાનગી ડોક્ટર અને સહાયક તેમજ કમ્પાઉન્ડરને સરકાર માનદ વેતન આપશે.

5 વર્ષની ઉજવણીમાં વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહપ્રધાનની વર્ચ્યુઅલ હાજરી આપશે

નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, 7 ઓગસ્ટે રૂપાણી સરકારને 5 વર્ષ પૂરા થાય છે, આ 5 વર્ષની કામગીરીને આગળ વધારવા માટે લોકોનો સહયોગ મેળવવા 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી ગુજરાતની સેવામાં અર્પણ કરીએ છીએ. જુદા જુદા વિભાગની યોજનાને સાંકડીને કાર્યક્રમો કરવાના છીએ. કાર્યક્રમની રૂપરેખા બની ગઈ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવવા આમંત્રણ આપ્યું છે અને જોડાવવા માટે વિનતી કરી છે. વડાપ્રધાન અને ગૃહપ્રધાન ગમે તે એક દિવસ સમય ફાળવશે અને વર્ચ્યુઅલ હાજર રહેશે.

Last Updated : Jul 28, 2021, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.