ETV Bharat / city

અધ્યાપકો ભાજપમાં જોડાયાં : અધ્યાપકો ભાજપ પાસેથી ભણશે રાજનીતિના પાઠ, જૂઓ કોણ કોણ જોડાયાં

author img

By

Published : May 13, 2022, 7:51 PM IST

અધ્યાપકો ભાજપમાં જોડાયાં : અધ્યાપકો ભાજપ પાસેથી ભણશે રાજનીતિના પાઠ, જૂઓ કોણ કોણ જોડાયાં
અધ્યાપકો ભાજપમાં જોડાયાં : અધ્યાપકો ભાજપ પાસેથી ભણશે રાજનીતિના પાઠ, જૂઓ કોણ કોણ જોડાયાં

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ના (Gujarat Assembly Election 2022) ટકોરા પડી રહ્યાં છે ત્યારે ગુજરાત ભાજપની સક્રિયતા ખૂબ વધી છે. રોજબરોજ મોટી સંખ્યામાં લોકો ભાજપમાં હજુ પણ જોડાઇ રહ્યાં હોવાના અહેવાલો મળે છે. તેમાં આજે અધ્યાપકોએ (Professors joined BJP) કેસરિયાં (250 professors from 8 universities joined BJP) કર્યાં હોવાના સમાચાર મળી રહ્યાં છે.

ગાંઘીનગર : ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ (BJP state office Kamlam) ખાતે આશરે 8 જેટલી વિવિધ યુનિવર્સિટીના લગભગ 250 જેટલા અધ્યાપકો (Professors joined BJP)આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (Gujarat BJP President C R Patil) તેમજ પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાના હસ્તે કેસરિયો ખેસ અને ટોપી પહેરી ભારતીય જનતા પાર્ટીમાં (250 professors from 8 universities joined BJP) જોડાયા હતા.

રાજ્યમાં 900 જેટલા અધ્યાપકોની જગ્યા ખાલી છે એ યાદ દેવડાવ્યું

કયા અગ્રણી પ્રોફેસરો જોડાયા ? - ભાજપ સાથે જોડાનાર પ્રોફેસર્સમાં (Professors joined BJP)પ્રો.ડો.જયવંતસિંહ સરવૈયા, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના અધ્યાપક ડો. કમલેશભાઇ પટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો. ક્રિપાલસિંહ પરમાર, ડો.નારણસિંહ ડોડીયા, ગુજરાત યુનિવર્સિટીના ડો.આર.એસ.પટેલ સહિતના અધ્યાપકો જોડાયા હતા.

આ પણ વાંચોઃ રાજ્યના આ પ્રખ્યાત ડોક્ટરોને લાગ્યો કેસરિયો રંગ...

નવી શિક્ષણ નીતિની ચર્ચા - શિક્ષકોએ જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિની (New education policy) કોરોનાકાળમાં જાહેરાત કરી અને સવા બે લાખ જેટલા લોકોના મંતવ્ય લઇ શિક્ષણ નીતિ બનાવવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ ખૂબ સારી બનાવી છે અને નવી શિક્ષણ નીતિનો વિરોધ થયો નથી. નવી શિક્ષણ નીતિનો અમલ ટૂંક સમયમાં થવાનો છે. નવી શિક્ષણ નીતિના આધારે ભવિષ્યના ભારતનો પાયો વધુ મજબૂત થશે. દેશની ભાવિ પેઢીને તૈયાર કરવામાં શિક્ષકોની ભૂમિકા મહત્વની હોય છે.

ભાજપને જીતાડવા માટે તૈયાર
ભાજપને જીતાડવા માટે તૈયાર

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપક ભરતી મામલે ગાંધીનગરની ટીમ કરી રહી છે તપાસ

અધ્યાપક ભરતીનો મુદ્દો ઉઠ્યો - રાજ્યમાં 900 જેટલા અધ્યાપકોની જગ્યા ખાલી છે. એ મામલે યુનિવર્સીટી ગ્રાન્ટ કમિશનના નિયમ મુજબ ભરતી (Professor recruitment in Gujarat) થાય એ જરૂરી છે. તે ભરતી ટૂંક જ સમયમાં થશે તેવું પ્રો.જયવંતસિંહ સરવૈયાએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.