ETV Bharat / city

રાજયમાં 24 કલાકમાં માત્ર 4 કોર્પોરેશન અને 3 જિલ્લામાં કુલ 18 પોઝિટિવ કેસ, 21 દર્દીઓએ આપી કોરોનાને માત, એક મૃત્યુ

author img

By

Published : Sep 7, 2021, 10:42 PM IST

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં ફક્ત 18 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યના 33 જિલ્લાઓમાંથી ફક્ત 4 જ કોર્પોરેશન વિસ્તારમાં એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં જ કોરોનાના કેસ નોંધાયા છે.

કોરોના અપડેટ
કોરોના અપડેટ

  • છેલ્લા 24 કલાકમાં 18 પોઝિટિવ કેસ નોંધાયા
  • અમદાવાદમાં 9, વડોદરામાં 3, સુરતમાં 3 અને ભાવનગરમાં 00 કેસ
  • 3 જિલ્લાઓ છોડીને તમામ જિલ્લામાં એક પણ કેસ નહિ

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે, ત્યારે 7 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં ફક્ત 18 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે બીજી વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી ફક્ત 4 જ કોર્પોરેશન વિસ્તારમાં એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં જ કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે અન્ય તમામ કોર્પોરેશન વિસ્તાર અને 30 જિલ્લાઓમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 4 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

રાજયમાં રસીકરણ 5 કરોડને પાર

7 સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 5,59,054 કોરોના રસીના ડોઝ અપાયા છે. આજે ગુજરાતમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 2,44,418 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 1,51,965 ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે આજે ગુજરાતમાં રસીકરણનો આંકડો 5 કરોડને પાર થયો છે. રાજ્યમાં કુલ 5,02,62,761 નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 150થી નીચે

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 149 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 6 વેન્ટિલેટર પર અને 143 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,082 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,15,296 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.