ETV Bharat / city

રાજ્યમાં સાર્વત્રિક વરસાદથી 19ના મોત, રાજકોટમાં હાલત ગંભીર: CM રૂપાણી

author img

By

Published : Aug 10, 2019, 4:32 PM IST

Updated : Aug 10, 2019, 5:22 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત બાદ હવે મેઘરાજાએ સૌરાષ્ટ્રને બાનમાં લીધું છે. જ્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. ત્યારે રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 21 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેથી રાજ્ય સરકારે જામનગર અને બરોડાથી આર્મીની એક ટીમ રાજકોટ મોકલી છે.

Gandhinagar

રાજ્યમાં વધુ વરસાદને કારણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેઓએ NDRF અને SBRFની કામગીરીની સમીક્ષા કરી હતી. સી.એમ રૂપાણીએ સૌરાષ્ટ્રના વરસાદ પ્રભાવી જિલ્લા ખાસ કરીને રાજકોટ અને જામનગર સહિતની સ્થિતિની ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરો સાથે ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી ટેલિફોનિક વાતચીત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. રાજકોટ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હોય, તેવા સ્થળોએ બચાવ અને મદદ માટે વડોદરાથી આર્મીની બે ટુકડી બોટ અને અન્ય સાધનો સાથે રાજકોટ રવાના કરવામાં આવી છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ,11ના મોત, રાજકોટમાં હાલત ગંભીર : CM રૂપાણી

રાજ્યમાં વરસાદને કારણે 11 જેટલા લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ, નડિયાદ, નિઝરમાં તથા અન્ય જગ્યાએ મોતની ઘટનાઓ સામે આવી છે. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા તમામ સ્થળ પર તંત્રને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યારે તમામ ડેમો ભરાઈ ગયા છે. રાજ્યમાં 77.80 ટકા જેટલો વરસાદ રાજ્યમાં પડ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં બરવાળામાં 15 ઇંચ, મહુધા- ધંધુકામાં 13 ઈંચ, કડી ગઢડામાં 12 ઈંચ અને રાણપુર ગલતેશ્વરમાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ સાથે રાજયમાં ચાલુ મૌસમનો કુલ સરેરાશ વરસાદ 77.80 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 98.31 ટકા, કચ્છમાં 61.69 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.45 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 77.72 ટકા અને સૌરાષ્ટ્રમાં 64.15 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ગત વર્ષે વરસાદની ઘટને કારણે અનકે વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ આ વર્ષે તમામ જિલ્લામાં પૂરતો વરસાદ પડ્યો હોવાથી તમામ જિલ્લા અછત મુક્ત કર્યા છે.

Intro:રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે દક્ષિણ ગુજરાત બાદ હવે મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને બાનમાં લીધું છે. જ્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે ત્યારે રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 21 ઇંચ વરસાદ ખાબક્યો છે જેની રાજ્ય સરકારે જામનગર અને બરોડાથી આર્મીની એક ટીમ રાજકોટ મોકલી છે..Body:રાજ્યમાં વધુ વરસાદને કારણે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગાંધીનગર ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની મુલાકાત લીધી હતી સાથે જ તેઓએ એનડીઆરએફ અને એસ બી આર એફ ની કામગીરી પણ સમીક્ષા કરી હતી. ઉપરાંત સીએમ વિજય રૂપાણી એ સૌરાષ્ટ્રના વરસાદ પ્રભાવી જિલ્લા ખાસ કરીને રાજકોટ જામનગર સહિત ની સ્થિતી ની ખાસ ચિંતા કરીને જિલ્લા કલેક્ટરો સાથે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર થી ટેલિફોનિક વાતચીત કરી પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હતો. રાજકોટ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે તેવા સ્થળો એ બચાવ અને મદદ માટે વડોદરા થી આર્મી ની બે ટુકડી બોટ અને અન્ય સાધનો સાથે રાજકોટ રવાના કરવામાં આવી છે રાજ્યમાં વરસાદ ને કારણે 11 જેટલા મોત થયા છે જેમાં અમદાવાદમાં ચાર નડિયાદમાં ચાર નિઝરમાં એક તથા અન્ય જગ્યાએ મોતની ઘટનાઓ સામે આવી છે સાથે જ રાજ્ય સરકાર દ્વારા તમામ સ્થળ પર તંત્રને એલર્ટ આપી દેવામાં આવ્યું છે..

રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યારે તમામ ડેમો ભરાઈ ગયા છે. 77.80 ટકા જેટલો વરસાદ રાજ્યમાં પડ્યો છે. જેમાં બરવાળા માં 15 ઇંચ મહુધા- ધંધુકામાં તેર ઈચ, કડી ગઢડામાં 12 ઈચ, રાણપુર ગલતેશ્વર માં 10 ઇંચ વરસાદ છેલ્લે 24 કલાકમાં નોંધાયો છે.

બાઈટ... વિજય રૂપાણી સીએમ
Conclusion:આ સાથે રાજયમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 77.80 ટકા જેટલો નોધાયો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 98.31 ટકા, કચ્છમાં 61.69 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.45 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 77.72 ટકા અને સૌરાષ્ટ્રમાં 64.15 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ગત વર્ષે વરસાદની ઘટને કારણે રાજ્યના 51 જિલ્લાને અચતગ્રસ્ત ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ આ વર્ષે તમામ જિલ્લામાં પૂરતો વરસાદ પડ્યો હોવાથી તમામ જિલ્લા અછત મુક્ત કર્યા છે.
Last Updated :Aug 10, 2019, 5:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.