ETV Bharat / city

દ્વારકામાં ગેરકાયદેસર દબાણ હટાવાતા CMનો આભાર માનવા સાધુસંતો પહોંચ્યા ગાંધીનગર, કેજરીવાલ સામે કરી લાલ આંખ

author img

By

Published : Oct 8, 2022, 10:50 AM IST

Updated : Oct 8, 2022, 1:46 PM IST

દ્વારકામાં ગેરકાયદેસર દબાણ હટાવાતા CMનો આભરા માનવાા સાધુસંતો પહોંચ્યા ગાંધીનગર, કેજરીવાલ સામે કરી લાલ આંખ
દ્વારકામાં ગેરકાયદેસર દબાણ હટાવાતા CMનો આભરા માનવાા સાધુસંતો પહોંચ્યા ગાંધીનગર, કેજરીવાલ સામે કરી લાલ આંખ

સરકારે બેટદ્વારકામાં ગેરકાયદેસર દબાણ દૂર કરતા સાધુ સંતો મુખ્યપ્રધાનનો આભાર માનવા ગાંધીનગર પહોંચ્યા હતા. અહીં તેમણે મુખ્યપ્રધાનના નિવાસસ્થાન પર સરકારે (Gujarat Government) કરેલા કામની શુભેચ્છા પાઠવી હતી. જ્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને સ્પષ્ટ સંકેત પણ આપ્યો હતો.

ગાંધીનગર છેલ્લા ઘણા વર્ષોથી પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકામાં કેટલાક ધર્મના લોકોએ દબાણ (illegal construction demolition in dwarka) કર્યું હતું. આ બાબતે સાધુ સંતોના આગેવાનોએ રાજ્ય સરકારમાં અનેક વખત ફરિયાદ કરી હતી. તેમ છતાં કોઈ પણ પ્રકારનો નિર્ણય આવતો નહતો. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) સરકારે (Gujarat Government) બેટ દ્વારકામાં ગેરકાયદેસર રીતે દબાણને જમીનદોસ્ત કરી છે. એટલે સાધુસંતો મુખ્યપ્રધાનનો આભાર માનવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બીજી તરફ સાધુ સંતોએ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સામે લાલ આંખ કરી સંકેત આપ્યા હતા કે, તમે ગમે તેવું કરશો પરંતુ ગુજરાતમાં પાયા નાખી નહીં શકો.

દેશની સુરક્ષા માટે જોખમ ઊભું કરાય છે

મુસ્લિમની સંખ્યામાં રાતોરાત વધારો સ્વામી પરમાનંદ સરસ્વતીએ (Swami Parmanand Saraswati) જણાવ્યું હતું કે, બેટ દ્વારકા અનાદિકાળથી હિન્દુઓની તીર્થભૂમિ રહી છે. સાથે જ શીખોની પણ તીર્થભૂમિ રહી છે અને ભગવાન પરશુરામનું ઉપાસના સ્થળ છે. સૌથી શ્રેષ્ઠ ચંદ્રના મોતી પણ બેટ દ્વારકામાં પ્રાપ્ત થાય છે. જ્યારે આઝાદી દરમિયાન બેટ દ્વારકા ગાયકવાડનું હતું. ત્યારે 2,700 જેટલા હિન્દુ કુટુંબોનો વાસ હતો, જેમાં પુરુષો અને સ્ત્રીઓ મળીને કુલ 1,700 જેટલો મતદાનનો અધિકાર પણ આપ્યો હતો. જ્યારે બેટ દ્વારકામાં એક જ મસ્જિદ માટેની જગ્યા ગાયકવાડ સરકારે આપી હતી. તે સમયે ફક્ત બસો મુસ્લિમની વસ્તી જ આઝાદી સમયે હતી અને ધરતીકંપ થયા પછી એવું પરિવર્તન આવ્યું કે ત્યાંના લોકોએ સરપંચ છે

દેશની સુરક્ષા માટે જોખમ ઊભું કરાય છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોને સર્ટિફિકેટ આપ્યા અને ત્યાંની ડેમોગ્રાફી આખી ફેરવી નાખવામાં આવી. જ્યારે આજના દિવસમાં દ્વારકામાં 95 ટકા વસ્તી મુસ્લિમોની છે. મુસલમાન રહે એમાં અમને કોઈ વાંધો નથી, પરંતુ જે દબાણ (illegal construction demolition in dwarka)કર્યું છે તે ખોટું છે. આ ઉપરાંત અસામાજિક પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે. જ્યારે અમુક લોકોની વિરુદ્ધ ભાષાના ગુનાઓ હતા. તેમને પણ નામ બદલીને અત્યારે રહી રહ્યા છે, જ્યારે બેટ દ્વારકાને બેટ શરીફ આપવાનું આયોજન હતું. જ્યારે આમના છેડા પાકિસ્તાન સાથે પણ છે અને મોડી રાત્રે દરિયા કિનારેથી પાકિસ્તાન અને કરાચીમાં આંટાફેરા પણ થતા હોવાનું નિવેદન સરસ્વતી સ્વામીએ (Swami Parmanand Saraswati) આપ્યું છે. આમ, આ લોકો દેશની સુરક્ષા સામે જોખમ ઊભો કરતા હતા.

ડ્રગ્સની હેરાફેરી સરસ્વતી સ્વામીએ (Swami Parmanand Saraswati) વધુમાં નિવેદન કર્યું હતું કે, નારાયણ કોટેશ્વર (Narayan Koteshwar) પાસે પકડાયેલો આરોપી રમઝાન પલાણીએ મૂળ બેટ દ્વારકાનો છે અને 1,500 કરોડ રૂપિયાનો જે ડ્રગ દ્વારકા પાસેથી પકડાયું હતું. તેનો મુખ્ય આરોપી છે. જ્યારે તેની કુલ 2 બોટ છે અને ભારતીય એજન્સી દ્વારા 6 બોટ પકડવામાં આવી હતી, જે પૈકી ચાર બોટ પાકિસ્તાનની હતી અને બીજી અન્ય બે બોટ રમજાન પલાણીની હતી.

વસવાટ માટે આવેલા લોકોએ પાકા મકાન બાંધ્યા આ ઉપરાંત રમઝાન પલાણી સાથે જે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તે તમામ પાકિસ્તાનના હોવાની વાત પણ સરસ્વતી સ્વામીએ (Swami Parmanand Saraswati) કરી હતી. આમ, પાકિસ્તાન સાથે પણ છેડા હોવાની વાત કરવામાં આવી છે, આ ઉપરાંત બેટ દ્વારકાની આસપાસ અનેક એવા ટાપુ છે, જે ટાપુ ઉપર આવા લોકોએ (illegal construction demolition in dwarka) વસવાટ શરૂ કર્યો છે અને પાકા મકાનો પણ બાંધી દીધા છે. ત્યારે રાજ્ય સરકાર (Gujarat Government) આગામી દિવસોમાં પણ આવા લોકોને એવા નિર્જન આપવો ઉપરથી દૂર કરવામાં આવે..

રાજ્ય સરકારના કામ માટે આભાર તો મહંત શંભુનાથ ટુંડિયાએ (Shambhunath Tundiya) જણાવ્યું હતું કે. રાજ્ય સરકારે (Gujarat Government) દ્વારા બેટ દ્વારકા ઉપર જે દબાણ થયું હતું તે દૂર કરવામાં આવ્યું છે ત્યારે રાજ્ય સરકારના આ સારા કામ માટે આજે રાજ્ય પરના તમામ સાધુ સમાજ દ્વારા સરકારનો આભાર માનવામાં આવી રહ્યો છે અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) રૂબરૂ મળીને તેમનો આભાર માનવા આવશે. જ્યારે આવા વિસ્તારમાં લવ જેહાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છેય ત્યારે આ પણ રાષ્ટ્ર વિરોધી કામ છેય ત્યારે સરકાર આ દિશામાં કડક હાથે કામ કરવામાં આવે.

Last Updated :Oct 8, 2022, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.