ETV Bharat / city

Gujarat Corona Update : 24 કલાકમાં 29 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 209 એક્ટિવ કેસ

author img

By

Published : Nov 3, 2021, 10:04 PM IST

Gujarat Corona Update
Gujarat Corona Update

તહેવારોની સીઝન (Festival Season) ચાલી રહી છે અને બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો કોરોના (Gujarat Corona Update) જતો રહ્યો હોય તે રીતે અત્યારે બેખોફ થઈને ફરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોરોનાના કેસો (Corona Cases)ઓ ધીમે ધીમે વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 29 કોરોનાના કેસો આવ્યા છે. દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસો વધશે તેવી શક્યતાઓ છે.

  • છેલ્લા 24 કલાકમાં 29 પોઝિટિવ કેસમાં વધારો નોંધાયા
  • સમગ્ર રાજ્યમાં ફક્ત 5 કોર્પોરેશન અને 6 જિલ્લામાં કેસ
  • છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહીં

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાના (Gujarat Corona Update) કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારે બાદ હવે જૂન બાદ કેસો ઓછા થયા છે, ત્યારે રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે, નવેમ્બર માસની 3 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 5 કોર્પોરેશન જેવા કે બરોડા, સુરત અમદાવાદ રાજકોટ અને ગાંધીનગર કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે, જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 6 , જેમાં જૂનાગઢ, સુરત, જામનગર, કચ્છ, મહેસાણા અને વલસાડ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 29 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. (Festival Season)

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં રાજ્યના 5 કોર્પોરેશન જેવા કે સુરત, બરોડા, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત, રાજ્યમાં એક પણ દર્દીને રજા આપવામાં આવી નથી.

આજે 1,84,951 નાગરીકો વેક્સિન અપાઈ

20 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કુલ 1,84,951 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષથી વધુ વયના 19,231 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, 1,16,288 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 7,15,13,328 ડોઝ રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 209

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 209 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 05 વેન્ટિલેટર પર અને 204 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,090 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,357 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.