Gujarat Assembly 2022: વિધાનસભા સત્રમાં કોંગ્રેસે સરકારને પૂછ્યાં મહત્વના સવાલ, મળ્યાં ચોંકાવનારા જવાબ

author img

By

Published : Mar 7, 2022, 8:42 PM IST

Gujarat Assembly 2022: વિધાનસભા સત્રમાં કોંગ્રેસે સરકારને પૂછ્યા મહત્વના સવાલ, મળ્યાં ચોંકાવનારા જવાબ

વિધાનસભા (Gujarat Assembly 2022)માં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે વર્ષ 2021-22માં કેન્દ્ર સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત 64172.35 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જ્યારે પુરવઠા નિગમમાં 65 ટકા જગ્યા ખાલી હોવાનું સરકારે લેખિતમાં જણાવ્યું હતું.

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા (Gujarat Assembly 2022)ની પ્રશ્નોત્તરીમાં આજે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા રાજ્યની જનતાને અને રાજ્યના વિકાસને લઇને મહત્વના પ્રશ્નો કરવામાં આવ્યા હતા, જેમાં રાજ્ય સરકાર દ્વારા અનેક ચોંકાવનારા જવાબો આપવામાં આવ્યા હતા. સર્વ શિક્ષા અભિયાન (sarva shiksha abhiyan gujarat) અંતર્ગત કેન્દ્ર સરકારની ગ્રાન્ટ (sarva shiksha abhiyan grant), ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મહેકમ (gujarat state civil supplies corporation limited), રાજ્યના 23 અભયારણ્યો અને 4 રાષ્ટ્રિય ઉદ્યાનો (Gujarat national parks and sanctuaries) બાબતે રાજ્ય સરકારે જવાબ આપ્યા હતા.

સર્વ શિક્ષા અભિયાનમાં 84,776.08 લાખ ઓછી ગ્રાન્ટ

વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે પ્રશ્ન કર્યો કે, રાજ્યમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારે છેલ્લા 2 વર્ષમાં કેટલી રકમની ફાળવણી કરી છે અને કેટલા રૂપિયાની રકમની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા માંગવામાં આવી હતી? તેના જવાબમાં રાજ્ય સરકારે 31 ડિસેમ્બર 2022 સુધીના સમય માટે જણાવ્યું હતું કે, વર્ષ 2020-21માં 118061.54 લાખ રૂપિયાની માંગ કરી હતી, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020-21માં 87174.64 લાખ અને વર્ષ 2021-22માં 64172.35 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે કેન્દ્ર સરકારે 84,776.08 લાખની ઓછી રકમ ફાળવણી કરી છે.

આ પણ વાંચો: Gujarat Assembly 2022: છેલ્લા 2 વર્ષમાં તેલિયા રાજાઓને ત્યાં 70 જ દરોડા, 12 જિલ્લાઓમાં એકપણ રેડ નહીં

પુરવઠા નિગમમાં 65 ટકા જગ્યાઓ ખાલી

કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે (congress mla ashwin kotwal gujarat) પૂછ્યું કે, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં કેટલાક કર્મચારીઓની ઘટ છે અને આ નિગમમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ (Contract employees Gujarat Government)ની ભરતી બાબતે પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો કે, 31 ડિસેમ્બર 2021ના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં મંજૂર થયેલા 431ની સામે 2021માં ફક્ત 503 માનવબળ કાર્યરત હતું. સરકાર કાયમી ભરતી ન કરતી હોવાની નિગમની કામગીરી આઉટસોર્સિંગથી લેવામાં આવે છે અને નિગમમાં મંજૂર મહેકમની 65 ટકા જગ્યા ખાલી હોવાનું સરકારે લેખિતમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો: RTE Act: ગુજરાતમાં 30,651 બાળકો RTE અંતર્ગત પ્રવેશથી વંચિત

કેન્દ્ર સરકારની ગ્રાન્ટનો ઉપયોગ જ નહીં

કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે (congress mla punja vansh) રાજ્યના અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન માટે કેન્દ્ર સરકાર તરફથી મળેલી સહાય બાબતે પ્રશ્ન કર્યો હતો. રાજ્ય સરકારે 31 ડિસેમ્બર 2021ની સ્થિતિમાં 23 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનોમાં કેન્દ્ર સરકારે કુલ વર્ષ 2020-21માં 124.48 લાખની ફાળવણી કરી હતી, જ્યારે વર્ષ 2021-22 દરમિયાન રાજ્યના અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો માટે કેન્દ્ર સરકારથી એકપણ રકમની ફાળવણી થઈ નથી. ગત વર્ષે મળેલી રકમમાંથી પણ રાજ્ય સરકારે કોઈપણ પ્રકારનો ખર્ચ કર્યો ન હોવાનું જણાવવામાં આવ્યું છે. આમ કુલ 124.58 લાખ વપરાયા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.