ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

author img

By

Published : May 11, 2022, 2:36 PM IST

Updated : May 11, 2022, 6:34 PM IST

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

રાજ્યમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો (Std 12th Science Result) છે. કારણ કે, આવતીકાલે (ગુરુવારે) સવારે 10 વાગ્યે પરિણામ જાહેર કરાશે. શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ મહત્વની (Jitu Vaghani tweet for Result ) જાહેરાત કરી હતી.

ગાંધીનગરઃ રાજ્યમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર (Std 12th Science Result) આવ્યા છે. કારણ કે, આવતીકાલે (ગુરુવારે) સવારે 10 વાગ્યે તેમનું પરિણામ જાહેર થશે. આ સાથે જ ગુજકેટનું પરિણામ પણ જાહેર થશે.

પરિણામ જાહેર કરાશે

બંને પરિણામ પછી શરૂ થશે પ્રવેશ પ્રક્રિયા - ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે જ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ અને મેડીકલ લાઈનમાં જવા માટે ગુજકેટની પરીક્ષા (GUJCET Exam Result) આપતા હોય છે. ત્યારે આજે રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ (Std 12th Science Result) અને ગુજકેટની ફાઈનલ આન્સર કી પણ શિક્ષણ વિભાગની વેબસાઈટ ઉપર સત્તાવાર રીતે જાહેર કરી હતી. આમ, વિજ્ઞાન પ્રવાહના બંને પરિણામો બાદ એન્જિનિયરિંગ અને MBBS તથા મેડિકલની પ્રવેશ પ્રક્રિયા પણ ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે.

ફક્ત પરિણામ જ જાહેર થશે - શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ જ સોશિયલ મીડિયામાં સત્તાવાર (Jitu Vaghani tweet for Result) જાહેરાત કરી છે. ત્યારે હવે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ઓનલાઈન પરિણામ જ કાલે જાહેર કરાશે. જ્યારે સત્તાવાર રીતે વિદ્યાર્થીઓને જે માર્કશિટ શિક્ષણ વિભાગ બોર્ડ દ્વારા આપવામાં આવતી હોય છે. તે માર્કશીટ ગણતરીના દિવસો બાદ વિદ્યાર્થીઓને પોતાની શાળા મારફતે માર્કશીટ આપવામાં આવશે.

આ પણ વાંચો- Exam Fever 2022 : રાજ્યમાં નોટરીની ભરતી, 16મેથી ઇન્ટરવ્યુની પ્રક્રિયા કરાશે શરૂ

રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહના 1.20 લાખ વિદ્યાર્થીઓ - શિક્ષણ વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે, ધોરણ 12માં કુલ 3,40,000 જેટલા વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ (Std 12th Science Result) અને સામાન્ય પ્રવાહમાં રેગ્યુલર એટલે કે નિયમિત વિદ્યાર્થીઓ તરીકે નોંધણી થઈ હતી. ત્યારે વિજ્ઞાન પ્રવાહમાં 1,20,000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

આ પણ વાંચો- Exam Fever 2022 : ITIમાં ઓનલાઇન એડમિશન મેળવવાની પ્રક્રિયા વિશે જાણો...

આ તમામ 1,20,000 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે.આ સાથે જ ગુજકેટની પરીક્ષાનું પરિણામ (GUJCET Exam Result) પણ જાહેરાત કરાશે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ વખત 12 વિજ્ઞાન પ્રવાહનું (Std 12th Science Result) બોર્ડનું પરિણામ અને ગુજકેટનું પરિણામ એક સાથે પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યું છે.

Last Updated :May 11, 2022, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.