ETV Bharat / city

હાઇકોર્ટનો હુકમ છતાં પણ સરકાર અસંવેદનશીલ, શિક્ષકોની નિમણૂક જ નથી કરી : ઉમેદવાર

author img

By

Published : Aug 12, 2020, 5:12 PM IST

રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી માટે સરકારી જાહેરાત બહાર પડી હતી. વર્ષ 2016માં સરકારે ભરતી બહાર પાડીને અચાનક જ પ્રક્રિયા અટકાવી દેતાં અરજદારે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યાં હતાં. જેમાં હાઇકોર્ટે પ્રક્રિયા પૂર્ણ કરવાના ઓર્ડર આપ્યાં હોવાં છતાં પણ સંવેદનશીલ સરકારે હજુ સુધી કોઈ જ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી ન હોવાનો આક્ષેપ શિક્ષક ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો હતો.

હાઇકોર્ટનો હુકમ છતાં પણ સરકાર અસંવેદનશીલ, શિક્ષકોની નિમણૂક જ નથી કરી : ઉમેદવાર
હાઇકોર્ટનો હુકમ છતાં પણ સરકાર અસંવેદનશીલ, શિક્ષકોની નિમણૂક જ નથી કરી : ઉમેદવાર

ગાંધીનગર : શિક્ષક ઉમેદવાર શૈલેષ જાનીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 2011માં શિક્ષકની પરીક્ષા આપ્યા બાદ વર્ષ 2016માં સરકારી ભરતી બહાર પડી હતી. ગ્રાન્ટેડ શાળામાં ધોરણ 9થી 12 શિક્ષકો માટેની વ્યક્તિ બહાર પાડવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકારે એકથી ચાર રાઉન્ડ કર્યાં હતાં. પરંતુ પછી અચાનક જ પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી ત્યારે સરકારમાં અનેક રજૂઆત કરવા છતાં પણ સરકારે કોઈ પગલાં ન ભરતાં નામદાર હાઇકોર્ટના દ્વાર ખખડાવવાં પડ્યાં હતાં.

હાઇકોર્ટનો હુકમ છતાં પણ સરકાર અસંવેદનશીલ, શિક્ષકોની નિમણૂક જ નથી કરી : ઉમેદવાર

આ સંદર્ભમાંં નામદાર હાઈકોર્ટે વર્ષ 2019ના ઓગસ્ટ મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હોવા છતાં સરકારે હજુ સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ ન કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યારે અગાઉ પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિત શિક્ષણ સચિવને પણ રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઇ નિર્ણય આવ્યો નથી.

જ્યારે ટાટ ઉમેદવાર રાજેશ પટેલે જણાવ્યું હતું કે 2016ની ભરતી પ્રક્રિયા હજુ બાકી છે. સરકારમાં ઉચ્ચ રજૂઆત કરી છતાં પણ હજુ સુધી કોઈ જ નિર્ણય લેવામાં નથી આવ્યો, ત્યારે સરકાર દ્વારા અટકાયેલી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.