ETV Bharat / city

Changes in Corona guideline in Gujarat: રાત્રીના 1થી સવારે 5 વાગ્યા સુધી રહેશે કર્ફ્યુ

author img

By

Published : Nov 30, 2021, 9:41 PM IST

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ફરીથી કોરોનાના નિયંત્રણો(Corona controls) લાગુ કરવામાં આવ્યા છે. જેમાં આજે રાત્રે 12:00થી જુની ગાઇડલાઇન(Corona guidelines revealed) પૂર્ણ થઈ રહી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે સત્તાવાર રીતે કોરોનાની નવી ગાઇડલાઇન બહાર પાડવામાં(Changes in Corona guideline in Gujarat) આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યના 8 મહાનગર પાલિકામાં(Changes in curfew in 8 corporation) રાત્રિના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ રહેશે.

Changes in Corona guideline in Gujarat: રાત્રીના 1થી સવારે 5 વાગ્યા સુધી રહેશે કર્ફ્યુ
Changes in Corona guideline in Gujarat: રાત્રીના 1થી સવારે 5 વાગ્યા સુધી રહેશે કર્ફ્યુ

  • રાજ્ય સરકારે કોરોનાની નવી ગાઇડલાઇન કરી જાહેર
  • કર્ફ્યુ રાત્રીના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી
  • રેસ્ટોરન્ટ રાત્રીના 12 વાગ્યા સુધી કાર્યરત રહેશે
  • અંતિમ વિધિમાં 100 લોકોને મંજૂરી

ગાંધીનગર : રાજ્યમાં આવતીકાલથી રાત્રી કર્ફ્યુંનાં નિયમો((Changes in Corona guideline in Gujarat)) લાગુ કરાશે. રાજ્યના ગૃહ વિભાગનાં જણાવ્યા અનુસાર 8 મહાનગરો(Changes in curfew in 8 corporation) જેવા કે, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, જૂનાગઢ અને જામનગરમાં રાત્રિના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ રહેશે. આ ઉપરાંત તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓએ પ્રથમ ડોઝ ફરજીયાત લિધેલો હોવો જોઇએ.

કેવા પ્રકારની કરાઈ જાહેરાત

  • તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેકસ, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વેપારીઓ રાત્રિના ૧૨ વાગ્યા સુધી ધંધો ચાલુ રાખી શકશે.
  • સિનેમાહોલ 100 ટકા બેઠક સાથે ચાલુ રાખી શકાશે, જેમાં 75% ક્ષમતા સાથે કોવિડની ગાઇડલાઇન્સ પ્રમાણે કાર્યરત કરી શકાશે.
  • જાહેર બાગ બગીચાઓ રાત્રીના 10 વાગ્યા સુધી જાહેર જનતા માટે ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે ખુલ્લા રાખી શકાશે.
  • લગ્ન પ્રસંગમાં બંધ સ્થળોએ મહત્તમ 400 વ્યક્તિની હાજરી સાથે છૂટ આપવામાં આવી છે અને લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે.
  • ધોરણ 9થી પોસ્ટ ગ્રેજયુએટ કોર્સમાં તમામ ખાનગી કોચીંગ સેન્ટરો, ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચીંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦ ટકા વિદ્યાર્થીઓ સાથે રાખી શકાશે.
  • લાઈબ્રેરી 75% ક્ષમતા સાથે કોરાનાની ગાઇડલાઇનના પાલન કરવાની શરતે ચાલુ રાખી શકાશે.
  • ખાનગી બસો અને સરકારી બસો 100 ટકાની કેપેસીટીમાં કાર્યરત થશે, જ્યારે એસી બસ 75% કેપેસિટી સાથે ચાલુ રહેશે.
  • વોટરપાર્ક તથા સ્વિમિંગ પૂલ મહત્તમ 75% કેપેસિટીમાં ચાલુ રાખી શકાશે.
  • સ્પા સેન્ટર સવારના 9થી રાત્રીના 9 કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.

આ પણ વાંચો : કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય, કોરોના ગાઇડલાઇન સાથે 400 લોકોને ગરબા રમવા માટે અપાઇ મંજૂરી

આ પણ વાંચો : Third Wave of Corona - 6થી 8 સપ્તાહ બાદ કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતા - AIIMS ડિરેક્ટર રણદિપ ગુલેરિયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.