ETV Bharat / city

કેબિનેટ નિર્ણય : વરસાદમાં પાક નુકસાનીનો સર્વે થશે, ખેડૂતોને વળતર આપવામાં આવશે

author img

By

Published : Jul 15, 2020, 3:54 PM IST

કેબિનેટ નિર્ણય :  વરસાદમાં પાક નુકસાનીનો સર્વે થશે, ખેડૂતોને વળતર આપવામાં આવશે
કેબિનેટ નિર્ણય : વરસાદમાં પાક નુકસાનીનો સર્વે થશે, ખેડૂતોને વળતર આપવામાં આવશે

રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. ત્યારે શનિવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સોમનાથ દર્શન દરમિયાન ખેડૂતોને પાક સહાય આપવાની જાહેરાત કરી હતી ત્યારે આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સૌરાષ્ટ્ર ભારે વરસાદના કારણે થયેલ ખેડૂતોને નુકસાન બાબતે સર્વે કરવાની કેબિનેટમાં મંજૂરી લેવામાં આવી છે..

ગાંધીનગર : કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યના કૃષિપ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે જેની આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ વહેલી તકે ખેડૂતોના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે અને ખેડૂતોને આર્થિક નુકસાનનું વળતર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના કારણે માલધારી અને ઢોરઢાંખરને પણ નુકસાન થયું છે ત્યારે તેનું પણ વળતર રાજ્ય સરકાર ચૂકવશે.

કેબિનેટ નિર્ણય :  વરસાદમાં પાક નુકસાનીનો સર્વે થશે, ખેડૂતોને વળતર આપવામાં આવશે
કેબિનેટ નિર્ણય : વરસાદમાં પાક નુકસાનીનો સર્વે થશે, ખેડૂતોને વળતર આપવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, આ તમામ આર્થિક સહાય એસડીઆરએફના ધારાધોરણ પ્રમાણે કરવામાં આવશે. ઉપરાંત જો વધારે નુકસાન હશે તો રાજ્ય સરકાર ખેડૂતો માટે આર્થિક સહાય પેકેજ જાહેર કરે તેવું પણ નિવેદન રાજ્યના કૃષિપ્રધાન આર.સી. ફળદુએ આપ્યું હતું.
કેબિનેટ નિર્ણય : વરસાદમાં પાક નુકસાનીનો સર્વે થશે, ખેડૂતોને વળતર આપવામાં આવશે
આ ઉપરાંત બનાસકાંઠામાં તીડનો પ્રવેશ થયો છે. તે બાબતે પણ ફળદુએ જણાવ્યું હતું કે, તે બાબતે રાજ્ય સરકાર ગંભીર છે સાથે જ તીડ મારવા માટે ગઇકાલે રાત્રે જ અધિકારીઓ સાથે બેઠક યોજીને તમામ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.