ETV Bharat / city

વિધાનસભામાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આખો દિવસ રહ્યા હાજર, પરેશ ધાનાણીએ ગૃહપ્રધાન સંઘવીને જવાબ આપવા ન દીધો

author img

By

Published : Sep 27, 2021, 10:44 PM IST

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના પ્રથમ દિવસે વિધાનસભામાં સર્વાનુમતે અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી હતી અને ગુજરાતના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે આજે ગૃહના નેતા અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સમગ્ર દિવસ દરમિયાન વિધાનસભામાં હાજર રહ્યા હતા.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આખો દિવસ ગૃહમાં રહ્યા હાજર
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આખો દિવસ ગૃહમાં રહ્યા હાજર

  • મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આખો દિવસ ગૃહમાં રહ્યા હાજર
  • વિજય રૂપાણી ફક્ત પ્રશ્નોત્તરીમાં જ આપતા હતા હાજરી
  • ગૃહમાં કોરોના મૃતકોની શ્રદ્ધાંજલિ બાબતે પણ કોંગ્રેસે કર્યો વિરોધ

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના પ્રથમ દિવસે સર્વાનુમતે અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી હતી અને ગુજરાતના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે અધ્યક્ષને સંબોધતા જણાવ્યું હતું કે, પક્ષ અને વિપક્ષે તમને માતાની ભૂમિકા આપી છે અને તમને માતા તરીકે સંબોધ્યા છે, ત્યારે માતાની જવાબદારી આવે કે તેમની નજરે તમામ સંતાનો એક સમાન હોય છે. જેથી વિધાનસભા ગૃહમાં એક સમાનતા જળવાઈ રહે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સમગ્ર દિવસ ગૃહમાં રહ્યા હાજર

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી વિધાનસભાગૃહમાં ફક્ત પ્રશ્નોત્તરી અથવા તો મહત્વના મુદ્દા પર જ હાજર રહેતા હતા, જ્યારે આજે તેઓ વિધાનસભા ગૃહના સભ્ય તરીકે સમગ્ર દિવસ હાજર રહ્યા હતા. તેઓને અધ્યક્ષની સામેની ચેરમાં બેઠક વ્યવસ્થા આપવામાં આવી છે, જ્યાં પહેલા જીતુ વાઘાણી બેસતા હતા. મહત્વની વાત કરવામાં આવે તો આજે ગૃહના નેતા અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સમગ્ર દિવસ દરમિયાન હાજર રહ્યા હતા.

પાટીદાર પર થયેલા કેસ પરત ખેંચો

ખાનગી યુનિવર્સિટી બી.એડ ની ચર્ચા દરમિયાન કોંગ્રેસના સભ્ય કિરીટ પટેલે ગુજરાત રાજ્યમાં થયેલા પાટીદાર આંદોલન બાદ અનેક પાટીદાર યુવાનો પર કેસ કરવામાં આવ્યા હતા અને જે તે સમયે રાજ્ય સરકારે તમામ કેસ પાછા ખેંચવાની જાહેરાત પણ કરી હતી, ત્યારે આજે ખાનગી યુનિવર્સિટી પર થયેલી ચર્ચામાં કિરીટ પટેલે સરકારને ફરી ટાંકતા નિવેદન આપ્યું હતું કે, જે તે સમયે સરકારે કરેલી જાહેરાત પ્રમાણે હજુ પણ અનેક પાટીદાર યુવાનો પર કેસ ચાલી રહ્યા છે તે કેસ વહેલી તકે પાછા ખેંચવામાં આવે, ત્યારે અધ્યક્ષે વિષય બહાર ન જવાની સૂચના પણ કિરીટ પટેલને આપી હતી.

વાતવરણ ફૂલ ગુલાબી છે : નીતિન પટેલ

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આજે વિધાનસભાગૃહમાં સામાન્ય સભ્ય તરીકે હાજર રહ્યા હતા, ત્યારે અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યની વરણી થતાં તેઓએ વિધાનસભાગૃહમાં નિમાબેન આચાર્યને અભિનંદન આપ્યા હતા, જેમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, નવી સરકાર છે સરકારના નવા પ્રધાનો છે અને સાથે જ નવા અધ્યક્ષની પણ નિમણૂક કરવામાં આવી છે, ત્યારે સમગ્ર વિધાનસભાગૃહનું વાતાવરણ ગુલાબી થઇ ગયું છે.

વડાપ્રધાન મોદી ગૃહમાં 4609 દિવસ હાજર રહ્યા

વિધાનસભાના અધ્યક્ષ પદે નીમા આચાર્યની નિમણૂક થતાં તમામ લોકોએ અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ અધ્યક્ષ નીમા આચાર્યે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ એવા રાજેન્દ્ર ત્રિવેદીએ સીમાચિન્હ આપ્યા છે, તે મને મદદરૂપ થશે. જ્યારે તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાગૃહમાં કુલ 4609 દિવસ હાજર રહ્યા હતા. તે વિધાનસભાના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થતાં મને સારી લાગણી થઈ રહી છે.

હર્ષ સંઘવીને જવાબ આપવા ઉભા થયા અને કોંગ્રેસે કર્યો વિરોધ

ગુજરાતના દરીયાકિનારે કરોડો રૂપિયાનું ટ્રક અને હિરોઈન ઝડપવાના મુદ્દે કોંગ્રેસના સભ્યોએ સરકાર અને ગુજરાત પોલીસ પર અનેક આક્ષેપો કર્યા હતા, ત્યારે કોંગ્રેસના આક્ષેપનો પ્રત્યુત્તર આપતા રાજ્યના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી જવાબ આપવા ઉભા થયા, ત્યારે કોંગ્રેસ દ્વારા વિધાનસભા ગૃહમાં બૂમો પાડવામાં આવી હતી અને સંઘવી બરાબર જવાબ આપી શક્યા ન હતા, પરંતુ તેમ છતાં પણ સંઘવીએ વિરોધ વચ્ચે પણ જવાબ આપ્યો હતો કે 72 કલાક જીવના જોખમે ગુજરાત એટીએસએ ઓપરેશન પાર પાડયું હતું.

કોરોનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા બાબતે પણ રાજકીય ધમાસણ થયું

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન અનેક નાગરિકો મોતને ભેટયા છે, ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કોરોનામાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવા માટેની વિધાનસભા અધ્યક્ષને અપીલ કરી હતી, ત્યારે સરકાર પક્ષ તરફથી તેઓને ઉત્તર આપતા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ કામકાજ સલાહકાર સમિતીમાં આ મુદ્દે કોઈ ચર્ચા ન થઈ હતી. અગાઉ બજેટ સ્ટેશનમાં કોરોનામાં જીવ ગુમાવનારને વિધાનસભા ગૃહમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે, ત્યારબાદ શ્રદ્ધાંજલિ બાબતે બન્ને પક્ષ આમને-સામને આવી ગયા હતા અને શાસક પક્ષના કોઇ પણ સભ્યો વિધાનસભા ગૃહમાં ચર્ચા કરવા ઉભા થયા, ત્યારે કોંગ્રેસના સભ્યોએ શ્રદ્ધાંજલિ આપતા નારા લગાવ્યા હતા અને તમામ સભ્યોએ વોકઆઉટ કર્યું હતું અને ઉપાધ્યક્ષની ચૂંટણી દરમિયાન ફક્ત વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી હાજર રહ્યા હતા.

આ પણ વાંચો- હેરોઇન કેસમાં અદાણી પર ગુનો દાખલ કરો : વીરજી ઠુમ્મર

આ પણ વાંચો- શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ ખાનગી યુનિવર્સિટી દ્વિતીય સુધારા વિધેયક કર્યું રજૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.