ETV Bharat / city

શિક્ષકો ફરી મેદાનમાં : જૂની પેન્શન નીતિ, ફિક્સ પે મુક્તિ બાબતે 13થી 15 સપ્ટેમ્બર સુધી પ્રતીક ઉપવાસ રૂપી આંદોલન

author img

By

Published : Sep 10, 2021, 4:26 PM IST

ગુજરાતમાં શિક્ષણ વિભાગ જેટલું બાળકોના શિક્ષણમાં પ્રખ્યાત નથી તેટલું તો શિક્ષકોના આંદોલન અને વિરોધ પ્રદર્શનમાં પ્રખ્યાત થઈ રહ્યું છે. પ્રાથમિક શિક્ષકોના વિરોધ બાદ હવે રાજ્યના ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

શિક્ષકો ફરી મેદાનમાં
શિક્ષકો ફરી મેદાનમાં

  • રાજ્યના પ્રાથમિક શિક્ષકો બાદ હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો કરશે આંદોલન
  • જૂની માંગણીઓ અને ભરતી બાબતે કરવામાં આવશે આંદોલન
  • 3 દિવસ પ્રતીક ઉપવાસ કરીને કરવામાં આવશે વિરોધ

ગાંધીનગર: ગુજરાતમાં શિક્ષણ વિભાગ જેટલું બાળકોના શિક્ષણમાં પ્રખ્યાત નથી તેટલું તો શિક્ષકોના આંદોલન અને વિરોધ પ્રદર્શનમાં પ્રખ્યાત થઈ રહ્યું છે. પ્રાથમિક શિક્ષકોના વિરોધ બાદ હવે રાજ્યના ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવી છે. પડતર માંગણીઓને લઇને રાજ્ય સરકાર વિરુદ્ધ 13થી 15 સપ્ટેમ્બર સુધી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ઉપવાસ કરીને સરકારનો વિરોધ કરવામાં આવશે.

શિક્ષકો ફરી મેદાનમાં
શિક્ષકો ફરી મેદાનમાં

13થી 15 સપ્ટેમ્બર સુધી પ્રતીક ઉપવાસ

શિક્ષકો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો દ્વારા 13થી 15 સપ્ટેમ્બર સુધી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ઉપવાસ કરવાની ચીમકી આપવામાં આવી છે. સાથે જ શિક્ષકોએ માંગણી કરી છે કે, રાજ્ય સરકાર સમક્ષ છેલ્લા કેટલાય સમયથી પડતર માંગણીઓ પૂર્ણ કરવાની અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા હવે આંદોલન કરીને માંગણી સંતોષવાનો દ્રઢ નિર્ણય શિક્ષકો દ્વારા કરવામાં આવ્યો છે.

કઈ છે પડતર માંગ

પડતર માંગણીઓની જો વાત કરવામાં આવે તો શિક્ષકો દ્વારા જૂની પેન્શન નીતિ રાજ્ય સરકાર દ્વારા ફરીથી લાગુ કરવામાં આવે તે બાબતની પણ રજૂઆત શિક્ષકો દ્વારા કરવામાં આવી છે. અત્યારે ફિક્સ પેને બદલે સળંગ નોકરી ગણવાની માંગ પણ શિક્ષકોએ ઉઠાવી છે. આ સાથે જ રાજ્યમાં ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના જે શિક્ષકોની ઘટ છે તે શિક્ષકોની ભરતી તાત્કાલિક ધોરણે થાય. સાથે જ રાજ્યના શિક્ષકોને મોંઘવારી ભથ્થુ પણ વહેલી તકે ચૂકવવામાં આવે, તે પ્રકારની માંગ રાજ્ય સરકાર સમક્ષ શિક્ષકો દ્વારા મૂકવામાં આવી છે.

પ્રાથમિક શિક્ષકો બાદ હવે ઉચ્ચતરના શિક્ષકો કરશે વિરોધ

મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યના પ્રાથમિક શિક્ષકોની સજ્જતા કસોટીના શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તેમાં પણ અનેક શિક્ષકો પરીક્ષાથી દુર રહીને રાજ્ય સરકારના નિર્ણયનો વિરોધ કર્યો, ત્યારે ફરીથી હવે શિક્ષણ વિભાગના જ ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોએ પણ આ આંદોલનનો માર્ગ અપનાવીને રાજ્ય સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે અને પડતર માંગણી વહેલામાં વહેલી તકે પૂરી કરવાની માંગ પણ શિક્ષકો દ્વારા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.