ગાંધીનગર ખાત્રજની ફાર્મા કંપનીમાં ગેસ ગળતરથી 5 મજૂરોના મોત

author img

By

Published : Nov 6, 2021, 5:21 PM IST

Updated : Nov 6, 2021, 6:44 PM IST

ગાંધીનગર ખાત્રજની ફાર્મા કંપનીમાં ગેસ ગળતરથી 5 મજૂરોના મોત
ગાંધીનગર ખાત્રજની ફાર્મા કંપનીમાં ગેસ ગળતરથી 5 મજૂરોના મોત ()

ગાંધીનગરના ફાયર અધિકારી મહેશ મોઢે જણાવ્યું હતું કે, આ પ્રાઇવેટ ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી નીકળતા અશુદ્ધ પાણીને શુદ્ધ કરવા માટે ETP પ્લાન્ટ વપરાય છે. આ અંડરગ્રાઉન્ડ ETP પ્લાન્ટમાં સફાઈ કરવા માટે પ્રથમ એક મજુર ઉતર્યો હતો. તે બહાર ના આવતા, એક પછી એક અન્ય ચાર મજૂર ઉતર્યા હતા. જે તમામનું ઝેરી ગેસ શ્વાસમાં જવાથી મૃત્યુ (Gandhinagar Khatraj Pharma Company) થયું હતું.

  • ગાંધીનગરની ફાર્મા કંપનીમાં સર્જાયો અકસ્માત
  • ETP પ્લાન્ટની સફાઈ કરવા ઉતરેલા મજૂરોના મોત
  • ટાંકીમાં ગેસ ગળતરથી મજૂરોના મોત

ગાંધીનગર: ભાઈબીજના દિવસે ગાંધીનગરના ખાત્રજ ખાતે એક ગમખ્વાર અકસ્માત બન્યો હતો. જેમાં ખાત્રજ ખાતે આવેલી એક પ્રાઇવેટ ફાર્માસ્યુટિકલ કંપનીમાં તેના ETP પ્લાન્ટની સફાઈ કરવા ઉતરેલા પાંચ મજૂરોનાં મોત (Gandhinagar Khatraj Pharma Company) થયા છે.

ગાંધીનગર ખાત્રજની ફાર્મા કંપનીમાં ગેસ ગળતરથી 5 મજૂરોના મોત

પાણીને ટ્રીટ કરવા વપરાય છે ETP પ્લાન્ટ

ગાંધીનગરના ફાયર અધિકારી મહેશ મોઢે જણાવ્યું હતું કે, આ પ્રાઇવેટ ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી નીકળતા અશુદ્ધ પાણીને શુદ્ધ કરવા માટે ETP પ્લાન્ટ વપરાય છે. આ અંડરગ્રાઉન્ડ ETP પ્લાન્ટમાં સફાઈ કરવા માટે પ્રથમ એક મજુર ઉતર્યો હતો. તે બહાર ના આવતા, એક પછી એક અન્ય ચાર મજૂર ઉતર્યા હતા. જે તમામનું ઝેરી ગેસ શ્વાસમાં જવાથી મૃત્યુ થયું હતું. ગાંધીનગર જિલ્લા કલેકટર કુલદીપ આર્યએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટના ખૂબ જ દુઃખદ છે. પ્રથમ દ્રષ્ટિએ આ સંપૂર્ણ ઘટના ઇલેટ્રીક શોકથી બની હોવાનું લાગી રહ્યું છે. છતાં આ તપાસનો વિષય છે. કંપની પાસે કોઈપણ સેફટી ઉપકરણ નહોતાં.

ઓકિસજન માસ્ક પહેરી ફાયરના જવાનોએ મૃતદેહો બહાર કાઢ્યા

સવારે બનેલી આ ઘટનામાં પોલીસને જાણ થતા પોલીસ પહોંચી હતી, પરંતુ પરિસ્થિતિ પારખીને ફાયરબ્રિગેડને કોલ કરવામાં આવ્યો હતો. જેમાં ફાયરના જવાનોએ ઓક્સિજન બોટલ સાથે માસ્ક પહેરીને પાંચેય મૃતદેહને બહાર કાઢ્યા હતા.

કંપની બંધ હતી?

ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, દિવાળીને લઈને રજા હોવાથી કંપની બંધ હતી. તેઓએ કંપનીના માલિકને ફોન કરતા કંપની માલિકે જણાવ્યું હતું કે, તેમને આ મજૂરો વિશે કે ઘટના વિશે કોઈ જ ખબર નથી.

તમામ મૃતક ઉત્તર પ્રદેશના રહેવાસી
1. વિનયકુમાર સનતરાજ કુમાર
2. શશી રામપ્રકાશ ગુપ્તા
3. દેવેન્દ્રકુમાર દિનેશભાઇ
4. અનિશકુમાર પપ્પુભાઈ
5. રાજનકુમાર પપ્પુભાઈ

આ પણ વાંચો: અહેમદનગર સરકારી હોસ્પિટલના ICUમાં આગ, 6ના મોત

આ પણ વાંચો: દિવાળીમાં ફાયર વિભાગને આગ લાગવાના 78 કોલ્સમાંથી 59 કચરામાં આગ લાગવાના કોલ

Last Updated :Nov 6, 2021, 6:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.