ETV Bharat / city

દેશના 22 ગુજરાતી સમાજ ભવન 1.90 કરોડના ખર્ચે મરામત કરવામાં આવશે

author img

By

Published : Aug 28, 2021, 9:00 PM IST

દેશના 22 ગુજરાતી સમાજ ભવન 1.90 કરોડના ખર્ચે મરામત કરવામાં આવશે
દેશના 22 ગુજરાતી સમાજ ભવન 1.90 કરોડના ખર્ચે મરામત કરવામાં આવશે

ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં વસતાં ગુજરાતીઓએ રચેલી સંસ્થાઓને ગુજરાતી સમાજ ભવનના બાંધકામ, તૈયાર મકાનની ખરીદી કે હયાત મકાનના વિસ્તરણ માટે આર્થિક સહાય આપવાની યોજના અંતર્ગત છત્તીસગઢના ભીલાઈનગર ખાતેના ગુજરાતી સમાજ ભવનના હયાત મકાનના વિસ્તરણ માટે રૂ. 40 લાખની સહાય મંજૂર કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

  • ગુજરાતી ભવનના કામકાજ માટે રાજય સરકારનો નિર્ણય
  • છત્તીસગઢના ભીલાઈનગર ખાતેના ગુજરાતી સમાજ ભવનના હયાત મકાનના વિસ્તરણ માટે રૂ. 40 લાખની સહાય મંજૂર
  • દેશભરના કુલ 22 ગુજરાતી સમાજ ભવનના નિર્માણ મરામત માટે અંદાજિત રૂ. 1.90 લાખની સહાય ચૂકવાઈ

ગાંધીનગર : સમગ્ર દેશમાં ગુજરાતીઓ જ્યાં પણ જાય ત્યાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ભવન ગુજરાતીઓ માટે રોકાણનું શ્રેષ્ઠ સ્થળ હોય છે. ત્યારે બિનનિવાસી ગુજરાતી પ્રભાગના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાતીઓ પ્રત્યે ઉદાર ભાવના દર્શાવતા જણાવ્યું હતું કે, છત્તીસગઢના ભીલાઈનગર ખાતેના ગુજરાતી સમાજ ભવનનું વિસ્તરણ કરવા સહાય અપાશે

ગુજરાતી ભવનમાં કઈ રીતે ખર્ચ કરવામાં આવશે
જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે બિનનિવાસી ગુજરાતીઓ પ્રત્યે હંમેશા ઉદાર ભાવના દાખવી મહત્વના નિર્ણયો કર્યાં છે. અન્ય રાજ્યમાં આવેલ ગુજરાતી સમાજ ભવનના બાંધકામ, તૈયાર મકાનની ખરીદી કે હયાત મકાનના વિસ્તરણ માટે સહાયની રકમમાં વધારો કરીને વધુમાં વધુ રૂ 40 લાખ અથવા ખરેખર થયેલ ખર્ચના 40ટકા બેમાંથી જે ઓછું હોય તેટલી રકમ તેમજ હયાત સમાજ ભવનના મરામત માટે સહાયની રકમમાં વધારો કરીને વધુમાં વધુ રૂ. 10 લાખ અથવા ખરેખર થયેલ ખર્ચના 40 ટકા બેમાંથી જે ઓછું હોય તેટલી રકમ ચૂકવવાનો નિર્ણય કરાયો હતો.

1.90 કરોડના ખર્ચે થશે મરામત
રાજ્ય સરકારે અત્યાર સુધીમાં દેશના 9 રાજ્યોમાં આવેલા 22 ગુજરાતી સમાજોને સમાજ ભવનના નિર્માણ કે મરામત માટે અંદાજિત રૂ. 1.90 કરોડ સહાય ચૂકવી છે. છેલ્લા 2 વર્ષમાં આસામના ગૌહાતી ખાતેના ગુજરાતી સમાજ, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતેના ગુજરાતી સમાજ અને ઓરિસ્સાના ભદ્રક ખાતેના ગુજરાતી સમાજ માટે આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ સરકાર રાજ્યની સુરક્ષા માટે કટિબદ્ધ છે: ધર્માંતરણ અંગે પ્રદીપસિંહ જાડેજાએ આપ્યું આ નિવેદન

આ પણ વાંચોઃ લવ જેહાદ મુદ્દે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યું નિવેદન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.