ETV Bharat / city

GSEB HSC Result 2021: ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર

author img

By

Published : Jul 16, 2021, 7:03 PM IST

Updated : Jul 17, 2021, 8:31 AM IST

ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓનું બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે. કોરોનાને લીધે માસ પ્રમોશન આપવાની જાહેરાત બાદ ધોરણ 12 સાયંસના એક લાખ સાત હજાર નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિજ્ઞાનપ્રવાહમાં 63,028 વિધાર્થીઓ અને 44,236 વિધાર્થીનીઓ પરીક્ષામાં પાસ જાહેર કરાયા છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું

આવતીકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ થશે જાહેર
આવતીકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ થશે જાહેર

  • વિજ્ઞાનપ્રવાહમાં 63,028 વિધાર્થીઓ અને 44,236 વિધાર્થીનીઓ પરીક્ષામાં પાસ જાહેર
  • A1 ગ્રેડ કુલ 3245, A2માં 15,284 અને B1 24,757 વિધાર્થીઓને ગ્રેડ મેળવ્યા
  • વિજ્ઞાન પ્રવાહના 1,07,264 વિધાર્થીઓને પાસ કરવામાં આવ્યા
  • કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે આપવામાં આવ્યું હતું માસ પ્રમોશન

ગાંધીનગર: ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓનું બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે. કોરોનાને લીધે માસ પ્રમોશન આપવાની જાહેરાત બાદ ધોરણ 12 સાયંસના એક લાખ સાત હજાર નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિજ્ઞાનપ્રવાહમાં 63,028 વિધાર્થીઓ અને 44,236 વિધાર્થીનીઓ પરીક્ષામાં પાસ જાહેર કરાયા છે. જેમાં A1 ગ્રેડ કુલ 3245, A2માં 15,284 અને B1 24,757 વિધાર્થીઓને ગ્રેડ મેળવ્યા છે.જ્યારે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતુંઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે આપવામાં આવ્યું હતું માસ પ્રમોશન

કોરોના મહામારીના કારણે રાજ્યસરકારે 12 સાયન્સના 1.40 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. ધોરણ 12નું પરિણામમાં ધોરણ 10ના પરિણામના 50 માર્ક્સ, ધોરણ 11ના 25 માર્કસ, તેમજ ધોરણ 12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે.

આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર
આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર

વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરિક્ષા યોજવામાં આવશે

પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઈ વિદ્યાર્થીને પરિણામથી અંસતોષ હોય તો તેવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓને માર્કશીટ અને સર્ટિફિકેટ અંગે આગામી સમયમાં જાણ કરાશે

વિદ્યાર્થીઓને પોતાની માર્કશીટ તેમજ અન્ય સર્ટિફિકેટ માટે આગામી સમયમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે. જ્યારે વિદ્યાર્થીઓને પોતાના પરિણામમાં અસંતોષ હોય તો 15 દિવસની અંદર ગાંધીનગર શિક્ષણ કચેરી ખાતે જવાનું રહેશે.

Last Updated :Jul 17, 2021, 8:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.