રક્તદાન કેમ્પમાં આવેલા નાણા પ્રધાને રાજ્યના લોકોને કરી દીધી આ અપીલ

author img

By

Published : Aug 6, 2022, 2:38 PM IST

રક્તદાન કેમ્પમાં આવેલા નાણા પ્રધાને રાજ્યના લોકોને કરી દીધી આ અપીલ

વાપીમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં (Blood donation camp in Vapi) નાણા પ્રધાન કનુ દેસાઈ વિશેષ (FM Kanu Desai in Vapi) ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે રક્તદાતાઓનો જૂસ્સો વધાર્યો હતો. સાથે જ તેમણે રાજ્યના લોકોને 'હર ઘર તિરંગા' અભિયાનમાં (Har Ghar Tiranga Abhiyan) જોડાવવા અપીલ કરી હતી.

વાપીઃ જિલ્લામાં સાવલા પરિવાર અને અચલગચ્છ જૈન સંઘ દ્વારા (The Savala Family and the Achalgach Jain Sangha) રક્તદાન કેમ્પ (Blood donation camp in Vapi) યોજાયો હતો, જેમાં નાણા પ્રધાન કનુ દેસાઈ પણ (FM Kanu Desai in Vapi) ઉપસ્થિત રહ્યા હતા. તો આ રક્તદાન કેમ્પમાં 251 યુનિટ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાણા પ્રધાને રાજ્યના લોકોને 'હર ઘર તિરંગા' અભિયાનમાં (Har Ghar Tiranga Abhiyan) જોડાઈ તિરંગો લહેરાવવા અપીલ કરી હતી. સાથે જ તેમણે પોતાના મતવિસ્તારમાં 1,00,000 તિરંગા ખરીદવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

આઝાદીના મૂલ્ય સમજાય તે માટે થઈ રહ્યા છે પ્રયત્નો

દેશ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયો - મહત્વનું છે કે, સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે હવે 15મી ઓગસ્ટને ધ્યાનમાં રાખી 'હર ઘર તિરંગા' અભિયાન (Har Ghar Tiranga Abhiyan)ચાલી રહ્યું છે. ત્યારે હવે નાણા પ્રધાને રાજ્યના લોકોને આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી. નાણા પ્રધાને જણાવ્યું હતું કે, આ અભિયાનથી દેશના લોકોમાં રાષ્ટ્રભાવના પ્રબળ બની છે. તેમ જ સમગ્ર દેશ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયો છે.

નાણા પ્રધાને રાજ્યના લોકોને આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી
નાણા પ્રધાને રાજ્યના લોકોને આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી

આ પણ વાંચો- ત્રિરંગાના રંગોથી ઝળહળ્યું વર્લ્ડ હેરિટેજ, VIDEO

આઝાદીના મૂલ્ય સમજાય તે માટે થઈ રહ્યા છે પ્રયત્નો - વાપીમાં રક્તદાન કેમ્પ (Blood donation camp in Vapi) દરમિયાન નાણા પ્રધાને જણાવ્યું હતું કે, દેશ આઝાદીના 75મા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આઝાદી કેવી રીતે મળી? આઝાદીમાં લોકોએ શું સમર્પણ આપ્યું? કેટલા લોકો શહીદ થયા? તે શહીદ પરિવારોને યાદ કરી સમગ્ર દેશમાં રાષ્ટ્રભાવના જાગે, નવી પેઢીને આઝાદીનું મૂલ્ય સમજાય તે માટે જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તે અભિનંદનને પાત્ર છે.

દેશ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયો
દેશ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયો

આ પણ વાંચો- Gujarat Cabinet meeting: હર ઘર તિરંગા યાત્રા 4 ઓગષ્ટથી 12 ઓગષ્ટ સુધી યોજાશે, સીએમ સુરતમાં કરાવશે પ્રારંભ

અભિયાનમાં જોડાવવા અપીલ - હર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga Abhiyan)અંગે નાણાપ્રધાને જણાવ્યું હતું કે, આ અભિયાન હેઠળ લોકોમાં ખૂબ ઉત્સાહ છે. લોકો પોતાના ખર્ચે તિરંગાની ખરીદી કરી રહ્યા છે. અભિયાનમાં સરકારી ઈમારતો પર સરકારની વિવિધ યોજના હેઠળ તિરંગાની ખરીદી કરવામાં આવી રહી છે. તેમના મતવિસ્તાર પારડી વિધાનસભામાં પણ 1,00,000 તિરંગા ખરીદવામાં આવ્યા છે.

લોકોના આશીર્વાદ મળતા રહે તેવી ખુશી વ્યક્ત કરી - નાણા પ્રધાને સામાજિક ક્ષેત્રે યોગદાન આપતા સાવલા પરિવાર અને અચલગચ્છ જૈન સંઘ સેવાના કાર્ય બદલ અને રક્તદાતાઓને રક્તદાન કરવા બદલ અભિનંદન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વાપીમાં આખું વર્ષ થતા દરેક રક્તદાન કેમ્પમાં (Blood donation camp in Vapi) તેમ જ સામાજિક કાર્યોમાં યોગદાન આપતા સાવલા પરિવારે શનિવારે માતૃશ્રી હિરબાઈ મેઘજી સાવલાની બીજી પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પનું (Blood donation camp in Vapi) આયોજન કર્યું હતું. જેમાં 251 યુનિટથી વધુ રક્ત એકત્ર કરવાનું લક્ષ્યાંક સેવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.