- ભાવનગરમાં તૌકતે વાવાઝોડામાં નુકસાનમાં સરકારે 57 કરોડ આપ્યાં
- જિલ્લાને 57 કરોડની સહાય છતાં વિરોધ કેમ ઉઠતો રહ્યો ખેડૂતોમાં સહાયને પગલે
- સરકારની નીતિને પગલે ક્યાંક વિરોધનો સુર ઉઠ્યો કારણ કે વળતર માટેના નિયમ હતા
- એક હેક્ટર નીચેના ખેડૂતો લાભથી વંચિત તો કેટલાકને 50 ટકા અંદર નુકશાનથી લાભ નહિ મળતા વિરોધ
ભાવનગર: શહેરમાં તૌકતે વાવાઝોડા (cyclone) ના શમણાં હજુ પણ ખેડૂતોમાં જોવા મળી રહ્યા છે. હાલમાં વાવાઝોડા (cyclone) માં ખેડૂતોને સીતાફળ અને જામફળમાં કોઈ સહાય કરવાની જોગવાઈ નહિ હોવાના આક્ષેપ સાથે જિલ્લા પંચાયતના સદસ્યએ આવેદન આપી ધરણા પણ કર્યા હતા હવે તંત્ર કહે છે ના બધાને સહાય અને વળતર આપ્યું છે એ પણ સરકારી નિયમ મુજબ.
આ પણ વાંચો: ભાવનગરમાં વિમેન વિંગ ચેમ્બર હેઠળ બને તેવી અપેક્ષાઓ વ્યકત કરાઈ
તૌકતે વાવાઝોડામાં નુકસાન કેટલું અને કેટલાને ફાયદો ?
ભાવનગર જિલ્લામાં તૌકતે વાવાઝોડા (cyclone) માં હજારો વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. બાગાયત પાક (Horticultural crops) ને ભારે નુકસાન થયું છે. જિલ્લામાં બાગાયત પાકો (Horticultural crops) માં આંબા, લીંબુડી, જામફળ, સીતાફળ સહિત અનેક પાકોનું કુલ વાવેતર બાગાયતનું 24,509 હેક્ટરમાં થયું છે, ત્યારે આવેલા વાવાઝોડા (cyclone) ને પગલે અલંગ પાસેના સોસિયામાં આંબાઓને, સિહોર પંથકમાં જામફળ, સીતાફળ તેમજ જેસરમાં પણ આંબાઓને નુકસાન થયું છે. કુલ બાગાયતનું નુકશાન 12,383 હેક્ટરમાં થયું છે.
આ પણ વાંચો: મહુવામાં વરસાદનું આગમન, નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
બાગાયતમાં લાભાર્થી, હેક્ટર અને અપાયેલી સહાયની રકમ કેટલી
ભાવનગર જિલ્લામાં વાવાઝોડા (cyclone) ને પગલે જિલ્લા પંચાયતના સદસ્ય રઘુ સોલંકી ખુદ મેદાનમાં ઉતરીને જિલ્લા પંચાયતમાં ધરણા યોજ્યા હતા. બાગાયત વિભાગ અને પંચાયતે મામલાને થાળે પાડી દીધો છે. જોકે હવે જોઈએ તો સરકારે જિલ્લામાં 57,32,95,062 વળતર ચુકવવામાં આવ્યું છે. વળતર નીચે મુજબ છે.
તાલુકો | લાભાર્થી | હેક્ટર | સહાય રકમ |
વલભીપુર | 475 | 276.95307 | 67,91,788 |
ઘોઘા | 2619 | 1482.827 | 3,89,24,970 |
જેસર | 2344 | 1753.933 | 6,94,99,200 |
ભાવનગર | 1675 | 1334.4909 | 3,96,71,708 |
મહુવા | 6797 | 5819.6042 | 12,32,17,980 |
ગારીયાધાર | 616 | 374.35 | 86,04,600 |
પાલીતાણા | 2533 | 1474.8717 | 7,24,12,751 |
સિહોર | 3676 | 3055.9078 | 9,01,36,348 |
તળાજા | 8893 | 5137.6982 | 11,52,19,154 |
ઉમરાળા | 1130 | 366.0899 | 88,16,743 |
કુલ તાલુકા | કુલ લાભાર્થી | કુલ હેક્ટર | કુલ રકમ કરોડમાં |
---|---|---|---|
7 | 30,758 | 21074.726 | 57,32,95,062 |
વિરોધનો સુર શા માટે ઉઠ્યો અને સરકારની સહાય નીતિ શું ?
બાગાયત પાકો (Horticultural crops) ના નુકસાન માટે સરકાર દ્વારા સહાય તો આપવામાં આવી પણ તેની નક્કી કરેલી નીતિ ક્યાંક વિરોધનું કારણ રહી છે. સરકારે વાવાઝોડામાં 50 ટકા નુકસાનવાળા ખેડૂતોને જ સહાય આપી છે. વાવાઝોડા (cyclone) માં બે પ્રકારની સહાય આપવામાં આવી હતી. પાક ખરી ગયો હોય તેની અને વૃક્ષ ઉખડી ગયા હોય તેની સહાય નક્કી કરાયેલી હતી. વૃક્ષ ઉખડી ગયા હોય તેમાં એક હેક્ટરમાં વૃક્ષ ધારાશાયી થયા હોય તેવાને સહાય આપવામાં આવી છે. આ સહાય 50 ટકા ઉપર નુકસાન હોય તો મળવા પાત્ર છે. એટલે કે વૃક્ષ ઉખડી ગયા હોય અને ફરી જીવંત થાય તેમ ન હોય તેને 1 લાખની સહાય 1 હેક્ટરે અપાઈ છે. જ્યારે બીજી સહાય એક હેક્ટરમાં પાક ખરી ગયો હોય એને 30 હજાર અને તે હેક્ટરમાં હોય તો ત્યારે 1 હેક્ટર નીચેના ખેડૂતોને લાભ નહિ મળતા કોંગ્રેસ સદસ્ય જિલ્લા પંચાયતના મેદાનમાં ઉતરી સરકારની નીતિ સામે વિરોધ કર્યો હતો. જોકે ઓછી જમીનવાળા ગરીબ ખેડૂતોને અહીંયા કોઈ લાભ મળવા પાત્ર બને નહિ માટે તેવા ખેડૂતોએ એકઠા થઇ વિરોધ નોંધાવ્યો હતો.