ETV Bharat / city

Assistance By Moraribapu : વૈષ્ણોદેવી સહિતની દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મોરારીબાપુ દ્વારા સહાય

author img

By

Published : Jan 2, 2022, 10:59 AM IST

Updated : Jan 2, 2022, 11:06 AM IST

વૈષ્ણોદેવી અને અન્ય અકસ્માતની દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પ્રખ્યાત કથાકાર મોરારીબાપુએ ( Assistance By Moraribapu) પ્રત્યેકને રૂપિયા 5,000 લેખે કુલ એક લાખ પાંચ હજારની સહાય આપવાની જાહેરાત કરી છે.

Assistance to Moraribapu : દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મોરારીબાપુની સહાય
Assistance to Moraribapu : દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મોરારીબાપુની સહાય

ભાવનગર: વૈષ્ણોદેવી અને હાલમાં જ બનેલી દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પ્રખ્યાત કથાકાર મોરારીબાપુ (Assistance By Moraribapu) દ્વારા પ્રત્યેકને રૂપિયા 5,000 લેખે કુલ એક લાખ પાંચ હજારની સહાય આપવામાં આવશે.

અલગ અલગ દુર્ઘટનામાં 21 લોકોના મોત

વૈષ્ણોદેવી ખાતે મંદિર પરિસરની અંદર ભાગદોડને કારણે દુર્ઘટના થઈ હતી જેમાં 12 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. તેમજ હરિયાણાના ભિવાની જિલ્લામાં ખાણમાં ખોદકામ દરમિયાન થયેલા ભૂસ્ખલનને કારણે ચાર લોકોના મૃત્યુ થયા હતા. રાજકોટની શાળાઓના વિદ્યાર્થીઓનો તારાપુર ચોકડી નજીક અકસ્માત થયો હતો. જેમાં પાંચ આશાસ્પદ યુવાન વિદ્યાર્થીઓેએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા.

દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મોરારીબાપુ તરફથી સહાય

દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પ્રખ્યાત કથાકાર મોરારીબાપુએ પ્રત્યેકને રૂપિયા 5,000 લેખે રૂપિયા એક લાખ પાંચ હજારની સહાય આપવામાં આવશે.

વૈષ્ણોદેવી મંદિર પરિસરમાં ભાગદોડને કારણે થઈ દુર્ઘટના

થોડા દિવસો પૂર્વે જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી ખાતે મંદિર પરિસરની અંદર ભાગદોડને કારણે દુર્ઘટના થઈ હતી જેમાં 12 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા.

હરિયાણામાં ભૂસ્ખલનને કારણે ચાર લોકોના મોત

હરિયાણાના ભિવાની જિલ્લામાં ખાણમાં ખોદકામ દરમિયાન થયેલા ભૂસ્ખલનને કારણે ચાર લોકોના મૃત્યુ થયા હતા.

રાજકોટના વિદ્યાર્થીઓનો તારાપુર ચોકડી નજીક અકસ્માત

રાજકોટની અમુક શાળાઓના વિદ્યાર્થીઓ એક સ્પર્ધામાં ભાગ લેવા માટે ગયા હતા અને પરત આવતી વખતે તેમના વાહનને તારાપુર ચોકડી નજીક અકસ્માત થયો હતો જેમાં પાંચ આશાસ્પદ યુવાન વિદ્યાર્થીઓ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા.

રામકથાના શ્રોતાઓ દ્વારા રકમ મૃતકોના પરિવારજનોને પહોંચાડવામાં આવશે

રામકથાના શ્રોતાઓ દ્વારા આ રકમ મૃતકોના પરિવારજનોને પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરેલ છે.

આ પણ વાંચો: ઉત્તરાખંડના જળપ્રલયમાં મૃતકના પરિવારને મોરારીબાપુએ કરી સહાય

અમ્ફાન વાવાઝોડાથી મૃતકોના પરિવારને મોરારીબાપુ દ્વારા આર્થિક સહાય

Last Updated :Jan 2, 2022, 11:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.