ETV Bharat / city

અનેક રોગોનો રામબાણ ઈલાજ એટલે સીતાફળ, અત્યારે શું છે તેની ખેતીની સ્થિતિ અને ભાવ જાણો

author img

By

Published : Oct 11, 2022, 10:48 AM IST

અનેક રોગોનો રામબાણ ઈલાજ એટલે સીતાફળ, અત્યારે શું છે તેની ખેતીની સ્થિતિ અને ભાવ જાણો
અનેક રોગોનો રામબાણ ઈલાજ એટલે સીતાફળ, અત્યારે શું છે તેની ખેતીની સ્થિતિ અને ભાવ જાણો

સીતાફળ એક એવું ફળ છે જે હાડકાં મજબૂત કરે છે અને પાચનશક્તિ વધારે (benefits of sitaphal) છે. ત્યારે ભાવનગરમાં આજે માત્ર ત્રણ તાલુકામાં જ સીતાફળની ખેતી (sitaphal cultivation in bhavnagar) થાય છે. તો આવો જાણીએ સીતાફળમાં કયા કયા ગુણ છે તેમ જ તેના ફાયદા શું છે.

ભાવનગર જિલ્લામાં ત્રણ તાલુકામાં માત્ર સીતાફળની ખેતી કરવામાં (sitaphal cultivation in bhavnagar ) આવે છે. સીતાફળની ખેતી ઘટી (benefits of sitaphal) ગઈ છે. ત્યારે શિયાળામાં આવતા સીતાફળના ગુણ શું હોય છે. સીતાફળ આરોગવાથી કેવા ફાયદાઓ (benefits of sitaphal) હોઈ છે. જાણો વિગતથી સીતાફળની ખેતી વિશે અને તબીબ મત પ્રમાણે કેટલા ગુણકારી.

સીતાફળની ખેતી ઘટી જિલ્લામાં એક સમયે સીતાફળની ખેતી મોટા પાયે (sitaphal cultivation in bhavnagar) થતી હતી. સમય જતાં આવતા જતા રોગમાં સીતાફળની ખેતી ઘટતી ગઈ પણ આજે કેટલાક વિસ્તારોમાં યથાવત્ છે. યાર્ડમાં (Bhavnagar Marketing Yard) સીતાફળ આવે છે. ફળનો ભાવ જાણો અને આરોગ્યના ગુણ શું તે જાણી લ્યો.

રોજની 2000 પેટી આવે છે

જિલ્લાના યાર્ડમાં આવતા સીતાફળની આવક અને ભાવ જિલ્લામાં ખેડૂતો સીતાફળની ખેતીથી પાછીપાની (sitaphal cultivation in bhavnagar) કરી છે. એમ નથી કહેતા પણ યાર્ડમાં (Bhavnagar Marketing Yard) ઘટેલી આવક તેનો જવાબ છે.

રોજની 2000 પેટી આવે છે યાર્ડના સેક્રેટરી અરવિંદભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, જિલ્લામાં સીતાફળની ખેતી ઘટી ગઈ છે. ખેતી ઘટવાનું કારણ અલગ અલગ અલગ રોગોથી ઉત્પાદન જોઈ તેવું થતું નહતું. અત્યારે યાર્ડમાં આસપાસના ગામડાઓમાં થતી ખેતીથી શિયાળાના પ્રારંભમાં ભાવનગર યાર્ડમાં (Bhavnagar Marketing Yard) રોજની 2000 પેટીઓ આવી રહી છે. આશરે 18 નંગ વાળી પેટીઓમાં 18 નંગ સીતાફળ હોય છે. સીતાફળના ભાવ પેટીના 50 રૂપિયાથી 150 હાલમાં રહેવા પામ્યા છે. જેવા સીતાફળ તેવા ભાવ નક્કી યાર્ડની હરાજીમાં થાય છે.

સીતાફળની ખેતી જિલ્લામાં ક્યાં ક્યાં અને કયો રોગ જિલ્લામાં છૂટોછવાયો બાગાયત ખેતીનો ક્રેઝ (Horticulture Farming) જોવા મળે છે. બાગાયત ખેતીવાડી અધિકારી વાઘમસી સાહેબે જણાવ્યું હતું કે, ભાવનગર, ઘોઘા અને સિહોર પંથકમાં સૌથી વધુ ખેતી (sitaphal cultivation in bhavnagar) હાલ કરવામાં આવી રહી છે. આ ત્રણ તાલુકાના મુખ્ય ગામડાઓમાં વરતેજ, શેઢાવદર, કણકોટ, ફરિયાદકા, ભંડારીયા અને કોબડી જેવા ગામોના ખેડૂતો હાલમાં ખેતી કરી રહ્યા છે. મિલિબગ જેવી સફેદ જીવાતનો હજી ત્રાસ છે, પરંતુ તેને દૂર કરી શકાય છે. ઘણા ખેડૂતોએ દવા છંટકાવ અને કાળજીથી દૂર કર્યો છે. સરકાર એક હેકટરે 30,000 રૂપિયાની સબસિડી આપી છે. હાલમાં અંદાજે 200 હેક્ટરમાં સબસિડી અપાઈ ગઈ છે, જેમાં અંદાજે 500 ખેડૂતો આવતા હશે.

શિયાળામાં સીતાફળના ફાયદા સીતાફળ આરોગવાથી શરદી કફ થાય આવી માનસિકતા છે, પણ ના તેવું નથી તેના ઘણા ફાયદા (benefits of sitaphal) છે. ડો. પન્નાબેન કામદાર સર ટી હોસ્પિટલના તબીબે (Sir T Hospital Bhavnagar) જણાવ્યું હતું કે, સીતાફળમાં ગુણકારી તત્વો હોય છે. કેલ્શિયમ મોટા પ્રમાણમાં હોય છે, જે શરીરના હાડકાઓને મજબૂત કરે છે. નાના મોટા સૌ કોઈને સીતાફળ આરોગવાથી ફાયદો મળે છે. એટલું નહિ સાઇબર તત્વના કારણે પાચનશક્તિ મજબૂત કરે છે કારણ કે, સાઈબરથી પાચન ક્રિયા સારી બને છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.