ETV Bharat / city

છેલ્લાં 6 માસમાં Alangમાં 108 જહાજો ભંગાણ અર્થે આવ્યાં

author img

By

Published : Jul 13, 2021, 6:46 PM IST

છેલ્લાં 6 માસમાં Alangમાં 108 જહાજો ભંગાણ અર્થે આવ્યાં
છેલ્લાં 6 માસમાં Alangમાં 108 જહાજો ભંગાણ અર્થે આવ્યાં

કોરોના મહામારીની બીજી લહેરમાં બાંગ્લાદેશમાં લોકડાઉન હોવા છતાં પણ અલંગ ખાતે જહાજો આવવાની આશા અલંગ ( Alang ) ઉદ્યોગકારો માટે ઠગારી સાબિત થઇ રહી છે. હાલ ભારતમાં મેટલના ભાવો ઓછા તેમજ હોન્કોંગ કન્વેન્શન રજીસ્ટર જહાજો જ ભંગાણ માટે આવતા અલંગમાં વર્ષ ૨૦૨૧ નાં 6 માસ દરમ્યાન માત્ર 108 જહાજો જ ભંગાણ અર્થે આવતા અલંગમાં જહાજોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

  • અલંગમાં ( Alang ) ભંગાણ અર્થે આવતા જહાજોની સંખ્યામાં ઘટાડો
  • મોટાભાગના જહાજોની સારી કીમત મળતાં બાંગ્લાદેશ અને પાકિસ્તાન તરફ જઈ રહ્યાં છે
  • જાન્યુઆરી-2021 થી જૂન-2021 સુધીમાં 108 જહાજો અલંગમાં ભંગાણ અર્થે

ભાવનગર: વિશ્વમાં બીજા નંબરનું અલંગ શિપ યાર્ડ ( Alang Ship Yard ) છેલ્લા એક વર્ષથી ચાલી રહેલ કોરોના મહામારીના ભરડામાં સપડાઈ જતા મહામુશ્કેલી ભર્યા સમયમાંથી પસાર થઇ રહ્યું છે.ભારતમાં કોરોના સંક્રમણ ફેલાતા પહેલી વેવના સમયે સમ્પૂર્ણ લોકડાઉન થતા અલંગ ખાતે ચાલતી જહાજ ભાંગવાની કામગીરી પણ બંધ કરવાની ફરજ પડી હતી. લોકડાઉન હોવાના કારણે અલંગ ખાતે કામ કરતા મજૂરો પણ રોજગાર ન મળતા વતન તરફ પાછા ફર્યા હતા. ત્યારબાદ કોરોના સંક્રમણ ઘટતા ધીમે ધીમે સરકાર દ્વારા રોજગાર પાછા ચાલુ કરવામાં આવ્યા ત્યારબાદ થોડો સમય માટે અલંગ ખાતે જહાજ ભાંગવાની કામગીરી ચાલુ થઇ પરંતુ આ ફરી એકવાર કોરોનાની બીજી લહેર ઘાતક બનતા ઓક્સિજનની અછત ઉભી થતા માનવ જિંદગી બચાવવા ( Alang Ship Yard ) શિપ એસોસિએશન દ્વારા જહાજ કટિંગ ઉપયોગમાં લેવામાં આવતા ઓક્સીજન સીલીન્ડર મોકલાતા કામગીરી બંધ કરવામાં આવી. તો મજૂરોને પણ રોજગાર ન મળતા ગુજરાન ચલાવું મુશ્કેલ પડતા મોટાભાગના મજૂરો વતન પાછા ફરવા મજબુર બન્યા હતાં.
અલંગમાં 108 જહાજો આવ્યા ભંગાણ અર્થે
કોરોનાની બીજી લહેરમાં કેસોમાં ઘટાડો થતા ફરી અલંગ ( Alang Ship Yard ) ખાતે મજૂરો ફરી રહ્યાં છે તેવા સમયે અલંગ બીજી લહેર માથી પણ ઉગરી શક્યું નથી. એવા સમયે વર્ષ 2021ના જાન્યુઆરી માસથી જૂન માસ સુધીમાં માત્ર 108 જહાજો જ ભંગાણ અર્થે અલંગમાં આવતા અલંગ ખાતે આવતા જહાજોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.C

6 માસમાં કેટલા જહાજો આવ્યાં
અલંગ ( Alang Ship Yard ) ખાતે ભંગાણ અર્થે આવતા જહાજોમાં વર્ષ 2021ના જાન્યુઆરી માસમાં 26 જહાજો, ફેબ્રુઆરીમાં 12,માર્ચમાં 10 એપ્રિલમાં 16,મે 19 ,અને જૂનમાં 25 જહાજો મળી કુલ 6 માસ દરમ્યાન માત્ર 108 જહાજો જ અલંગ ખાતે ભંગાણ અર્થે આવ્યાં છે.

શું કહી રહ્યાં છે શિપ રિસાયકલિંગ એસોસિએશન સેકેટરી
અલંગ ખાતે ( Alang Ship Yard ) જહાજો આવવાના ઘટાડા બાબતે અલંગ શિપ રિસાયકલિંગ એસોસિએશનના (Alang Ship Recycling Association ) જોઈન્ટ સેક્રેટરી હરેશ પરમારે જણાવ્યું કે ભારતમાં મેટલના ભાવોમાં ઘટાડો થવા ઉપરાંત હોન્કોંગ કન્વેન્શન પદ્ધતિથી કટિંગ રજીસ્ટ્રેશન જહાજો અલંગ ખાતે ભંગાણ અર્થે આવી રહ્યા છે. મોટા ભાગના જહાજોની સારી એવી કીમત મળતા બાંગ્લાદેશ અને પાકિસ્તાન તરફ જઈ રહ્યા છે. ઉપરાંત બાંગ્લાદેશમાં પણ કોરોનાને કારણે લોકડાઉન હોય તે પણ ભારતદેશની જેમ ઇન્ડસ્ટ્રીઝ બંધ નહી પરંતુ ચાલુ જ હોય જેથી એવી પણ આશા નથી કે શિપ કટિંગ માટે ભારત તરફ આવે. આ ઉપરાંત જીએમબી દ્વારા હાલમાં જ ભાડા અને લીઝમાં પણ વધારો કરતા હાલ અલંગમાં કામગીરી કરવી પણ મુશ્કેલ છે.

આ પણ વાંચોઃ Corona ની બીજી લહેરના Unlock બાદ પણ Alang industry મુશ્કેલીમાં

આ પણ વાંચોઃ Corona Effect: અલંગમાં મજૂરોની સંખ્યામાં ઘટાડો જોવા મળતા શિપ ઉદ્યોગ ધીમી ગતિએ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.