ETV Bharat / city

બોલો લ્યો : કોરોનાની ત્રણેય લહેરમાં આંગણવાડીના બાળકોને ઘરે સુખડી પહોંચાડી, ખર્ચમાં કોઈ જ નહીં ઘટાડો

author img

By

Published : Feb 12, 2022, 11:00 AM IST

સમગ્ર દેશમાં કોરોનાના કારણે બંધુ બંધ હતુ, ત્યારે આ પરિસ્થિતિમાં સરકારના ICDS (Integrated Child Development Services) વિભાગે આંગણવાડીના બાળકોને સુખડી (Delivered SuKhdi At home Anganwadi children in Corona) બનાવીને ઘરે પહોંચાડી છે. Deliver the children home happily Anganwadi children

બોલો લ્યો : કોરોનાની ત્રણેય લહેરમાં આંગણવાડીના બાળકોને ઘરે સુખડી પહોંચાડી, ખર્ચમાં કોઈ જ નહીં ઘટાડો
બોલો લ્યો : કોરોનાની ત્રણેય લહેરમાં આંગણવાડીના બાળકોને ઘરે સુખડી પહોંચાડી, ખર્ચમાં કોઈ જ નહીં ઘટાડો

ભાવનગર: કોરોના સંક્રમણ પગલે કોઈને સ્પર્શવું કે કોઈ ચિઝોની સ્પર્શતા પહેલા હાથ ધોવા વગેરે ગાઈડલાઈન હતી. આ પરિસ્થિતિમાં સરકારના ICDS વિભાગે આંગણવાડીના બાળકોને સુખડી (Delivered SuKhdi At home Anganwadi children in Corona) બનાવીને ઘરે પહોંચાડી છે. ત્રણ વર્ષમાં બધું ચાલુ બંધ થયું પણ ICDS (Integrated Child Development Services) વિભાગના કોઈ ખર્ચમાં ઘટાડો આવ્યો નથી. સરકારની આ બાબત સારી ગણવી કે ખતરારૂપ સાહસ. જો કે હજુ આંગણવાડીમાં બાળકોને પ્રવેશ આપવાની શરૂઆત થઈ નથી.

બોલો લ્યો : કોરોનાની ત્રણેય લહેરમાં આંગણવાડીના બાળકોને ઘરે સુખડી પહોંચાડી, ખર્ચમાં કોઈ જ નહીં ઘટાડો

કોરોના કાળમાં આંગણવાડીના બાળકોને પોષણયુક્ત આહાર આપ્યો

કોરોના સમયમાં આંગણવાડીના બાળકોને દેશમાં સંક્રમણનું જોર હતું, ત્યારે સરકારના ICDS (Integrated Child Development Services) વિભાગે આંગણવાડીના બાળકોને પોષણયુક્ત આહાર આપ્યો છે. ચોકી ગયાને હા એક નહિ ત્રણેય લહેરમાં નાના બાળકોને આહાર અપાયો જાણો કેટલો ખર્ચ કેટલા બાળકો ?

આ પણ વાંચો: સુરતમાં મહિલાઓના ગ્રુપે 50 આંગણવાડીના બાળકો માટે બનાવ્યા કલાત્મક માસ્ક

કોરોનાકાળમાં આંગણવાડી બાળકોને સંક્રમણ વચ્ચે મળ્યો આહાર

ગુજરાત સરકારના આદેશ મુજબ લોકોના જીવ જતા હતા અને સંક્રમણને લઈને બધું બંધ કરી દેવામાં આવ્યું હતું. ICDS અધિકારી સાવિત્રીબેન નાથજીએ જણાવ્યું હતું કે, ICDS (Integrated Child Development Services) વિભાગે નોંધાયેલા તેના બાળકોને સુખડી અઠવાડિયાની બનાવીને કોરોનાના સંક્રમણ વચ્ચે ત્રણ વર્ષ આપવામાં આવી હતી. આંગણવાડી કાર્યકર બહેનોએ કોરોનાકાળમાં પણ પોતાનું કાર્ય નિભાવ્યું છે. NGO પાસેથી આહાર રૂપે સુખડી બનાવી બાળકો સુધી પોહચાડી છે. શહેરમાં બે ઘટક છે એક પશ્ચિમ અને એક પૂર્વમાં જેમાં પૂર્વમાં 174 આંગણવાડી અને પશ્ચિમમાં 142 આંગણવાડી આવેલી છે. કોરોનાકાળમાં કામ કરતા કેટલીક કાર્યકર બહેનો બીજી લહેરમાં પોઝિટિવ થઈ હતી, પરંતુ બાદમાં સ્વસ્થ થઈ ગઈ હતી. મૃત્યુનો કોઈ બનાવ બન્યો નથી.

આ પણ વાંચો: પર્યાવરણને બચાવવા આંગણવાડીના બાળકોનું યોગદાન મહત્વનું, વડીલોને ચીંધે છે રાહ....

કેટલો ખર્ચ કોરોનાની લહેરમાં ICDS વિભાગનો અને બાળકો કેટલા

ભાવનગર મહનગરપાલિકાની ICDS વિભાગમાં 316 જેટલી આંગણવાડી આવેલી છે. આંગણવાડીમાં કુલ 2022માં કુલ 12,828 બાળકો નોંધાયેલા છે. જેમાં સુખડી સહિતની ચિઝો બાળકોને આપવામાં આવે છે. અધિકારી સાવિત્રીબેને જણાવ્યું હતું કે, 2019/20 એક વર્ષમાં 1.6 કરોડ જેવો ખર્ચ થયો છે અને 2022 સુધીમાં કુલ 3 કરોડ 9 લાખ જેવો ખર્ચ થવા જાય છે. બાળકોને કોરોનાકાળમાં ઘરે ઘરે સુખડી આપવામાં સરકારે કોઈ કરકસર રાખી નથી કે કાર્યવાહી બંધ કરવામાં આવી નથી. એક મહિને અંદાજે 16 થી 18 લાખ જેવો ખર્ચ 12 હજાર બાળકોનો થવા જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.