ETV Bharat / city

ભાવનગરના બોરતળાવની પિતળ પર સોનાના વરખ ચડાવ્યા જેવી હાલત, કચરો અને ગંદુ પાણી પણ દેખાશે નહિ આખરે ક્યાં? જાણો

author img

By

Published : Dec 28, 2021, 3:50 PM IST

ભાવનગરની શાન બોરતળાવ આગળના ભાગે એટલું સ્વચ્છ અને સુંદર લાગે છે કે તેમાં રહેલા ગટરનું પાણી અને ઠાલવાતો કચરો દેખાતો નથી. મહાનગરપાલિકાની એક ટીમે એક વર્ષથી સાફ સફાઈ કરી રહી છે પરંતુ કચરો હજુ ઠલવાય છે અને ગટરનું પાણી વર્ષોથી બોરતળાવમાં ઠલવાય છે પણ મહાનગરપાલિકાને તેનું સુદ્ધા ચિંતા નથી. ગટરના પાણી અને કચરાનો લઈ વિપક્ષનો પ્રહાર પણ વર્ષોથી છે. જાણો સંપૂર્ણ સ્થિતિ...

BORTALAV
BORTALAV

ભાવનગર: શહેરની પાણી સમસ્યા માટે રજવાડાના સમયમાં ગૌરીશંકર તળાવ એટલે બોરતળાવની (Bortalawa of Bhavnagar) સ્થાપના કરવામાં આવી હતી. આઝાદી બાદ આજે 21મી સદીમાં આ બોરતળાવ 2021માં પાણીથી છલોછલ ભરાયું છે અને પીવાનું પાણી પણ તેમાંથી વિતરણ કરવામાં આવે છે. અફસોસની વાત એ છે કે બોરતળાવ સીદસર ગામના છેવાડે આવેલું છે અને છેલ્લા ઘણા વર્ષોથી ગટરનું પાણી અને કચરો તેમાં ઠલવાય છે. વિપક્ષના વાર વચ્ચે તેમાં કોઈ સુધારો થયો નથી. શું છે સ્થિતિ જાણીએ.

ભાવનગરના બોરતળાવની પિતળ પર સોનાના વરખ ચડાવ્યા જેવી હાલત

બોરતળાવમાં હાલમાં ગંદકી અને ઘાસની સ્થિતિ તો મનપાનું કાર્ય શું ?

ભાવનગરનું બોરતળાવ શહેરની શાન છે. બોરતળાવમાં નવીનીકરણ થયું છે પરંતુ બોરતળાવ છલોછલ હોય ત્યારે ઘાસનું સામ્રાજ્ય જામી ગયું છે. મહાનગરપાલિકા એક વર્ષથી મહિને 50 હજાર ખર્ચ છે. એટલે મહાનગરપાલિકા પિત્તળને સોનુ બતાવવા સોનાનું વરખ ચડાવે છે. કારણ કે બોરતળાવના આગળના ભાગમાં ઘાસ કાઢવા માટે હાલ સુધીમાં 5 લાખ ખર્ચાયા છે. મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી દેવમુરારીએ જણાવ્યું હતું કે, ઘાસ કાઢવા માટે કામગીરી ચાલુ છે. છેલ્લા એક વર્ષથી અમે આ કામગીરી કરવી રહ્યા છીએ પણ તળાવનો કુલ વિસ્તાર 17 કિલોમીટરનો છે એટલે દરેક સ્થળે નજર રહી શકે છે. મહાનગરપાલિકાની કામગીરી શરૂ છે અને સાફસફાઈ થઈ જશે. લોકોને પીવાનું પાણી 22 MLD આપવામાં આવે છે.

ભાવનગરના બોરતળાવની પિતળ પર સોનાના વરખ ચડાવ્યા જેવી હાલત
ભાવનગરના બોરતળાવની પિતળ પર સોનાના વરખ ચડાવ્યા જેવી હાલત

બોરતળાવમાં કોણ ઠાલવે છે ગંદુ પાણી અને વિપક્ષનો પ્રહાર શું ?

બોરતળાવમાં પાણી ભીકડા કેનાલમાંથી આવે છે. આ કેનાલ સીદસર ગામમાં થઈને પસાર થાય છે અને સીદસર ગામના એક છેડે બોરતળાવ શરૂ થાય છે. તેટલા વિસ્તારમાં સીદસર ગામના લોકોનું ગંદુ પાણી ભીકડા કેનાલમાં અને એક તરફ બોરતળાવના કાંઠે ગંદુ ગટરનું પાણી બોરતળાવમાં ઠલવાય છે. છેલ્લા પાંચ વર્ષથી મહાનગરપાલિકામાં સીદસર ગામનો સમાવેશ કરાયો હોવા છતાં પાણી ગટરનું બોરતળાવમાં જાય છે. હાલ બોરતળાવનું પાણી ઘાસ વાળું અને લીલું થઈ ગયું છે. પૂર્વ વિપક્ષના નેતા અને બોરતળાવ વોર્ડના નગરસેવક જયદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, છેલ્લા આઠ વર્ષથી હું રજૂઆત કરું છું. સીદસરના ગટરના પાણીના કારણે આખું બોરતળાવ ગંદુ થઈ રહ્યું છે. શાસકો નથી સીદસરમાં ગટર વ્યવસ્થા ઉભી કરતા કે નથી બોરતળાવમાં ગંદા પાણીને ઠાલવતા રોકી શકતા. શાશકો શાસનમાં નિષ્ફળ નીવડ્યા છે અને ગંદુ પાણી કોરોનાકાળમાં લોકોને પીવું પડે છે.

ભાવનગરના બોરતળાવની પિતળ પર સોનાના વરખ ચડાવ્યા જેવી હાલત
ભાવનગરના બોરતળાવની પિતળ પર સોનાના વરખ ચડાવ્યા જેવી હાલત

આ પણ વાંચો: Corona Vaccination: સુરતમાં 15થી 18 વર્ષની ઉંમરના કિશોરોની સંખ્યા 1.80 લાખ, વેક્સિન આપવા કરાશે શાળાઓ સાથે સંકલન

આ પણ વાંચો: જાણો, સુરતમાં શા માટે ઈંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.