ETV Bharat / city

ગુજરાત રમખાણોના કેસમાં પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની ધરપકડ, આજે કોર્ટમાં રજૂ કરાશે

author img

By

Published : Jul 13, 2022, 12:52 PM IST

ગોધરા રમખાણ મામલે તિસ્તા સેતલવાડ, આરબી શ્રીકુમાર બાદ આજે પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને કોર્ટમાં (x-IPS officer Sanjiv Bhatt arrested ) રજૂ કરવામાં આવશે. તેમની સામે ભંડોળની ઉચાપત અને બનાવટી દસ્તાવેજો (embezzling funds and forging documents) બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ગુજરાત રમખાણોના કેસમાં પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની ધરપકડ
ગુજરાત રમખાણોના કેસમાં પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની ધરપકડ

અમદાવાદ: ગુજરાત રમખાણોના કેસમાં મંગળવારે અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch Ahmedabad) દ્વારા પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની ધરપકડ (x-IPS officer Sanjiv Bhatt arrested ) કરવામાં આવી હતી. આ બાદ, આજે IPS સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટ સાથે પાલનપુર જેલમાંથી અમદાવાદ ઘી કાંટા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડી : ક્રાઈમ બ્રાન્ચે ભટ્ટની ભંડોળની ઉચાપત અને બનાવટી દસ્તાવેજો માટે ધરપકડ કરી છે. 2002ના ગુજરાત રમખાણોના કેસમાં ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટે ક્લીનચીટ આપ્યા બાદ 24 જૂને દાખલ કરાયેલા કેસના આધારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. પૂર્વ IPSની ટ્રાન્સફર વોરંટના આધારે લાવવામાં આવશે. સંજીવ ભટ્ટને બનાસકાંઠા જેલમાંથી ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં લીધો છે. અને આજે IPS સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટ સાથે પાલનપુર જેલમાંથી અમદાવાદ ઘી કાંટા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : તિસ્તા સેતલવાડ અને શ્રીકુમારના રિમાન્ડ થયા મંજૂર,વકીલે કરી આ મુદ્દે મોટી સ્પષ્ટતા

સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા : ઉલ્લેખનીય છે કે, ગુજરાતની એક કોર્ટે જૂન 2019માં ભૂતપૂર્વ સંજીવ ભટ્ટને 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. સામાજીક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ અને ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક આરબી શ્રીકુમારની 2002ના ગુજરાત રમખાણોના કેસ અંગે પુરાવાના કથિત બનાવટ બદલ (embezzling funds and forging documents) ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ ક્રાઈમ બ્રાન્ચે ગયા મહિને તિસ્તા સેતલવાડની તેના NGO સામેના કેસના સંબંધમાં ધરપકડ કરી હતી, જેણે પોલીસને રમખાણો વિશે પાયાવિહોણી માહિતી આપી હતી.

પોલીસને પાયાવિહોણી માહિતી આપી : કેન્દ્રીય પ્રધાન અમિત શાહે ANI સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે, "તિસ્તા સેતલવાડ સંચાલિત NGOએ 2002ના ગુજરાત રમખાણો વિશે પોલીસને પાયાવિહોણી માહિતી આપી હતી." તે બાદ આ કાર્યવાહી થઈ હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ક્રાઈમ બ્રાન્ચે તિસ્તા, સંજીવ ભટ્ટ અને આરબી શ્રીકુમાર સામે કેસ નોંધ્યો હતો.

આ પણ વાંચો : તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રીકુમારના રિમાન્ડ બાદ ક્રાઇમ બ્રાન્ચે લિધો આ ફેસલો...

આરોપીઓ ઉપર કલમ : પોલીસે તેમની સામે કલમ 468, 471 (બનાવટી પુરાવા), 194 (મૂડીના ગુનામાં દોષિત ઠેરવવાના ઈરાદાથી ખોટા પુરાવા આપવા અથવા બનાવટ કરવા), 211 (ઈજા પહોંચાડવા માટે સંસ્થાકીય ફોજદારી કાર્યવાહી), 218 (જાહેર સેવક ખોટો રેકોર્ડ ઘડવો અથવા લખવા) હેઠળ આરોપ મૂક્યો છે. ભારતીય દંડ સંહિતાના 120 (B) (ગુનાહિત ષડયંત્ર)થી વ્યક્તિને સજા અથવા મિલકત જપ્ત કરવાથી બચાવવાનો હેતુના આધારે ધરપકડ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.