ETV Bharat / city

ત્રીજુ નોરતું : માઁ ચંદ્રઘંટાએ કર્યો હતો માહિસાસુરનો વિનાશ

author img

By

Published : Oct 9, 2021, 6:52 AM IST

Updated : Oct 9, 2021, 10:16 AM IST

નવરાત્રિનો ત્રીજો દિવસ શનિવાર. માતાજીની શક્તિની આરાધના કરવાના દિવસો ચાલી રહ્યા છે, ત્યારે આજે ત્રીજા દિવસે માં દુર્ગા કહો કે માં ભવાનીનું ત્રીજુ સ્વરૂપ ચંદ્રઘંટા છે. આવો આપણે માં ચંદ્રઘંટાના સ્વરૂપ અને તેમના પૂજન અંગે જાણીએ અને શક્તિની ભક્તિમાં લીન થઈ જઈએ...

માઁ ચંદ્રઘંટાએ કર્યો હતો માહિસાસુરનો વિનાશ
માઁ ચંદ્રઘંટાએ કર્યો હતો માહિસાસુરનો વિનાશ

  • નવરાત્રીના પાવન દિવસોનું આજે ત્રીજુ નોરતું
  • બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના ક્રોધથી ઉત્પન્ન થયા દેવી ચંદ્રઘંટા
  • ચંદ્રઘંટાને ખીરનો ભોગ ધરી બાળાઓમાં વહેંચવી

અમદાવાદ : નવરાત્રીનો ત્રીજો દિવસ માઁ ચંદ્રઘંટાને સમર્પિત છે. ઋષિભારતી બાપુ જણાવે છે કે, મહિસાસુરના ત્રાસથી દેવ, મનુષ્ય અને પ્રાણીઓ હાહાકાર વ્યાપ્યો હતો. મહિષાસુરનો નાથવા દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પ્રાર્થના કરવા પહોંચ્યા હતા, ત્યારે બ્રહ્મા,વિષ્ણુ અને મહેશનાં ક્રોધમાંથી ચંદ્રઘંટા દેવી ઉત્પન્ન થયા અને ચંદ્રઘંટા દેવીએ મહિષાસુરનો નાશ કર્યો હતો.

માઁ ચંદ્રઘંટાએ કર્યો હતો માહિસાસુરનો વિનાશ

માઁ શક્તિનું ત્રીજુ રૂપ છે ચંદ્રઘંટા

નવરાત્રિમાં ત્રીજા દિવસની પૂજા અને ભક્તિ કરવાનું વિશેષ મહત્વ છે. આમ તો નવ દિવસ શક્તિની આરાધના કરવાના દિવસ છે. માં શક્તિનું ત્રીજુ રૂપ છે ચંદ્રઘંટા. આ દિવસે માંના વિગ્રહનું પૂજન કરવામાં આવે છે અને સાધક જો ધ્યાન કરે તો તેનું મન મણિપુર ચક્રમાં પ્રવેશ કરે છે. માં ચંદ્રઘંટાની ભક્તિથી અને તેની કૃપાથી અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે, અને દિવ્ય સુંગધનો અનુભવ થાય છે. વિવિધ પ્રકારની ધ્વનિ સંભળાય છે.

મહિષ ( અજ્ઞાન) નો નાશ કરનાર છે દેવી ચંદ્રઘંટા

ચંદ્રઘંટા દેવી મંદિરમાં ઘંટ હોય તે પ્રમાણે પોતાના મસ્તક ઉપર ચંદ્ર ધારણ કરે છે. આ દિવસે ચંદ્રઘંટાને ખીરનો ભોગ ધરાવવો જોઈએ અને તે ખીર બાળાઓમાં વહેંચવી જોઈએ. ખરેખરમાં મહિસાસુર એ અજ્ઞાનનું પ્રતીક છે. જેનો દેવી ચંદ્રઘંટાએ નાશ કર્યો હતો. આમ ચંદ્રઘંટાની ઉપાસનાથી અજ્ઞાનનો નાશ થાય છે. તેની ઉપાસનાથી નિર્ભયતા અને વીરતા આવે છે. જીવનમાંથી દોષ દૂર થાય છે. જો વ્યક્તિના જીવનમાં શુક્રદોષ હોય તો તેની પણ નિવૃત્તિ થાય છે. ચંદ્રઘંટાનું મુખારવિંદ તપેલા સુવર્ણ સમાન કાંતિમય છે. તેમનું રૂપ સૌમ્ય છે.

માઁનું સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી

ચંદ્રઘંટા માંનું સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. માં શક્તિના માથા પર ઘંટના આકારનો અર્ધચંદ્ર ધારણ કરેલ હોય છે, જેથી તેમને ચંદ્રઘંટા દેવી કહેવાય છે. ચંદ્ર હમેંશા શીતળતા પ્રદાન કરે છે, તેની રીતે ચંદ્રઘંટા માંના શરીરનો રંગ ચંદ્રની જેમ ચમકીલો હોય છે, તેમના દસ હાથ છે, અને તેમના દસેય હાથમાં તલવાર, શસ્ત્ર, કમંડળ, પુષ્પ, ત્રિશુળ, ગદા સહિતના અસ્ત્ર હોય છે. તેઓ સિંહ પર બિરાજમાન છે. માં ચંદ્રઘંટાના સ્વરૂપના દર્શન કરવાથી માનવનું મન શીતળતાનો અનુભવ કરે છે.

માઁ ચંદ્રઘંટાની આરાધના

ત્રીજા દિવસનું માતાજીનું સ્વરૂપ છે ચંદ્રઘંટા... કહેવાય છે કે દેવો પણ માં ચંદ્રઘંટાના રૂપના દર્શન કરીને ધ્યાન ધરે છે. માં ચંદ્રઘંટાની આરાધના કરવાથી સર્વે મનોરથો પૂર્ણ થાય છે. અને દેવી શીધ્ર ફળ આપે છે. આ દિવસે શ્રીયંત્ર અથવા દેવીનો ફોટો અથવા દેવીની પાદુકા હોય અથવા મૂર્તિ હોય તો તેના પર 108 ફુલ ચઢાવીશું. શ્રી સુક્તનો પાઠ કરવો, આમ કરવાથી માં ચંદ્રઘંટા વધુ પ્રસન્ન થાય છે અને કલીમ નમઃ નો બીજ મંત્ર કરવો.

ભુતપ્રેતથી રક્ષા અને ભક્તમાં નિર્ભરયતા આવે

માં ચંદ્રઘંટાના દર્શન કરવાથી ભક્તના બધા પાપ અને આફત દૂર થયા છે. કષ્ટ નિવારણ દેવી છે. નવરાત્રિના ત્રીજા દિવસે શક્તિની આરાધનાની સાથે માં ચંદ્રઘંટાના સ્વરૂપનું ધ્યાન કરવાથી માં રક્ષા કરે છે, અને વીરતા અને વિનમ્રતા બક્ષે છે. ભુતપ્રેતથી રક્ષા થાય છે. ભક્તમાં નિર્ભરયતા આવે છે. આવે આપણે આજના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાના સ્વરૂપને મનમા ઉતારીને માતાજીની ભક્તિમાં લીન બની જઈએ. અને માં ચંદ્રઘંટાને કોટીકોટી વંદન કરીએ…

આજે નીચે આપેલ મંત્રનો જાપ કરવો

"ऐश्वर्य यत्प्रसादेन सौभाग्य-आरोग्य सम्पदः। शत्रु हानि परो मोक्षः स्तुयते सान किं जनै॥"

રૂદ્રાક્ષની માળા અથવા લાલ ચંદનની માળાથી આ મંત્રનો જાપ કરવો.

Last Updated :Oct 9, 2021, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.