ETV Bharat / city

પરીક્ષા રદ્દ, પ્રવેશ પ્રક્રિયાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝાયા

author img

By

Published : Jun 4, 2021, 7:20 AM IST

Updated : Jun 4, 2021, 7:47 AM IST

સરકાર દ્વારા ધોરણ 12 અને 10ને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે પણ આ કારણે જે હોંશિયાર વિદ્યાર્થીઓ છે તેઓ ચિંતામાં મુકાયા છે. ધોરણ 12 અને 10 પછી આગળ કેવી રીતે પ્રવેશ મેળવવો તે અંગે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ ચિંતામાં છે.

x
પરીક્ષા રદ્દ, પ્રવેશ પ્રક્રિયાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝાયા

  • પ્રવેશ પ્રક્રિયાને લઈને વિદ્યાર્થીઓમાં ચિંતા
  • ધોરણ 12 પછી આગળ કેવી રીતે પ્રવેશ મેળવવો તે અંગે ચિંતા
  • સરકારે એક માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ

અમદાવાદ: ગુજરાતમાં કોરોના(Corona)ના કપરા કાળમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, પરંતુ ધોરણ 12ની પરીક્ષા રદ થતાં હોશિયાર વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ ચિંતા સતાવી રહી છે. બોર્ડની પરીક્ષા માટે અથાગ મહેનત કરી હતી પણ હવે પરિણામ સ્કૂલમાં મેળવેલા માર્કસના આધારે આપવામાં આવશે, આ અંગે વિદ્યાર્થીઓ નિરાશ થયા છે, કારણકે ઇજનેરી તબીબી અને એમબીએ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા પર પાણી ફરી વળ્યું છે.

એક કમિટીની રચના કરવી જોઈએ

આ મામલે ધોરણ 12 માં માસ પ્રમોશન આપ્યા બાદ તેમજ ધોરણ 10 માં પણ માસ પ્રમોશન આપ્યા બાદ જુદા જુદા ફિલ્ડમાં જવા માટે વિદ્યાર્થીઓને કઈ રીતે પ્રવેશ આપવામાં આવશે તે એક ચિંતાનો વિષય છે. શિક્ષણવીદ મનીષ દોશીએ જણાવ્યું કે આ માટે સરકારે એક કમિટી રચવી જોઈએ, જેનાથી કોઈ હોશિયાર વિદ્યાર્થીને અન્યાય ન થાય અને વિદ્યાર્થીઓને આગળની ફિલ્ડમાં જવા માટે કમિટી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે. જેથી કરીને વિદ્યાર્થીઓમાં કોઈ પ્રકસરની મુંજવણ ઉભી ન થાય. કમિટી દ્વારા બેઠક યોજીને જુદા જુદા ધારાધોરણ મુજબ નિયમ લાવવા જોઈએ જેથી વિદ્યાર્થીઓની દરેક તકલીફ દૂર થાય.

પરીક્ષા રદ્દ, પ્રવેશ પ્રક્રિયાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝાયા

આ પણ વાંચો : ETV Bharat અગ્રેસર : ધોરણ 10ના પરિણામ માટે માર્ગદર્શિકા જાહેર, 22 મે ના રોજ પ્રકાશિત કર્યો હતો અહેવાલ

400 કોલેજમાં1.50 લાખ સીટ

અમદાવાદમાં સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ તેમજ એન્જીનીયરની કુલ 400 જેટલી કોલેજો આવેલી છે. કુલ બેઠકો 1.50 લાખ છે. આ તમામ બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા કેવી રીતે કરવી તે અંગે સરકાર દ્વારા પણ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. હજુ સુધી સરકાર દ્વારા પણ પ્રવેશ પ્રક્રિયા અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી. જેથી કરીને વિદ્યાર્થીઓમાં આગળ પ્રવેશ માટે સરળતા રહે.

આ પણ વાંચો : મુખ્ય પ્રધાન રૂપાણીએ મ્યુનિસિપલ કમિશ્નરોને આપી સૂચનાઃ કેસ ઘટી રહ્યા છે પણ સાવધાની રાખજો

Last Updated : Jun 4, 2021, 7:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.