ETV Bharat / city

solar subsidy scheme: સોલાર પ્રોજેકટ બંધ થાય અને સબસિડી ન મળતાં નાના ઉદ્યોગકારોને ભારે નુકશાન

author img

By

Published : Mar 2, 2022, 9:32 PM IST

SSDSPએ ગુજરાત સરકારની 2019ની(solar subsidy scheme) સ્કીમ છે. આ યોજનામાં 4,000થી વધુ લોકોએ પોતાના મકાન જમીન વેચીને મૂડીરોકાણ કર્યું છે. આ પ્રોજેકટ બંધ થાય અને જે મળવાપાત્ર સબસિડી ન મળતાં નાના ઉદ્યોગકારોને ભારે નુકશાન થયું છે.

solar subsidy scheme: સોલર પ્રોજેકટ બંધ થાય અને સબસીડી ન મળતા નાના ઉદ્યોગકારોને ભારે નુકશાન
solar subsidy scheme: સોલર પ્રોજેકટ બંધ થાય અને સબસીડી ન મળતા નાના ઉદ્યોગકારોને ભારે નુકશાન

અમદાવાદઃ SSDSPએ ગુજરાત સરકારની 2019ની સ્કીમ.0.5 મેગાવોટ થઈ લઈને 4 મેગાવોટ સુધી ગામેગામ આ સોલર પ્રોજેકટ લાગવવાનું આયોજન હતુ. સરકારને ઉર્જા વિભાગે પરિપત્ર જાહેર કર્યો કે SSDSP 2019 અંતર્ગત સબસિડી મળશે નહીં. પણ એગ્રીમેન્ટ ઉદ્યોગ ખાતા જોડે કરવામાં આવ્યો.

સોલર પ્રોજેકટ સબસીડી

સોલર પ્રોજેકટ લાગવવાનું આયોજન

ગુજરાત સેટરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝના સેકેટરી પાર્થિવ દવેએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે,SSDSPએ ગુજરાત સરકારની 2019ની સ્કીમ છે. જે ગુજરાત સરકારે જાહેરાત( solar subsidy scheme 2020-21)આપીને 0.5 મેગાવોટ થઈ લઈને 4 મેગાવોટ સુધી ગામેગામ આ સોલર પ્રોજેકટ લાગવવાનું આયોજન હતુ. જેમાં રાજ્યભરમાંથી કુલ 4,000થી વધુ અરજીઓ આવી હતી. જેમાંથી 10 હજાર કરોડના MSME યુનિટ સરકારને રૂપિયા 2.83 માં સરકારને વહેંચવાની હતી. જેના માટે સરકાર પાસે એગ્રીમેન્ટ પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Gujarat Solar Development: પીવીસી મોડયુલરનો ટેકનોલોજીથી સોલાર ઉતપન્ન થશે

એગ્રીમેન્ટ નાના ઉદ્યોગો અને સરકાર વચ્ચે થાય હતા

31 મે 2021 સુધી 4,000 મેગાવોટ પાવરની ખરીદવાનો એગ્રીમેન્ટ(Project solar calculator )નાના ઉદ્યોગો અને સરકાર વચ્ચે થાય હતા. જે કારણે MSMEને પ્રમોટ કરવાનું લક્ષ હતું જે બધા એગ્રીમેન્ટ( Gujarat Energy Department)થાય બાદ 2 મહિનાની અંદર જ જે સબસીડીનો મુદ્દો હતો કે 5 કરોડ ઇન્વેસ્ટમેન્ટ MSMEમાં 35 લાખ કેપિટલ અને 7 ટકા ઇનવેસ્ટ સબસીડી ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ 2020 અંતર્ગત જે સબસીડી આપવાનો ઉદ્યોગ મંત્રાલયનો નિર્ણય હતો. તમામ રકમ નાના ઉદ્યોગોને મળવાની હતી. પરંતુ અચાનક ગુજરાત સરકારને ઉર્જા વિભાગે પરિપત્ર જાહેર કર્યો કે SSDSP 2019 અંતર્ગત સબસીડી મળશે નહીં. ગુજરાત સરકારે પણ આ એગ્રીમેન્ટ તો ઉદ્યોગખાતા જોડે એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા અને ઉર્જા વિભાગ કેમ પરિપત્ર જાહેર કર્યો જે ખબર નથી પડી.

નાના ઉદ્યોગકારોને ભારે નુકશાન થયું

વિજયભાઈ રૂપાણી સરકારની બદલ્યા બાદ પણ નવી સરકારની બની ત્યાં પણ અનેક રજુઆત કરવામાં આવી છે. અમારી કોઈ અમારી વાત સ્વીકારવા તૈયાર જ નથી.આ પ્રોજેકટમાં 10 હજાર કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું 12 હજાર જેટલા નાના ઉદ્યોગકરોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ પોલીસી બંધ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ યોજના અંતર્ગત 4,000થી વધારે લોકોએ પોતાના મકાન જમીન વહેંચીને આમા મૂડી રોકાણ કર્યું છે. આ પ્રોજેકટ બંધ થાય અને જે મળવા પાત્ર સબસીડી ન મળતા નાના ઉદ્યોગકારોને ભારે નુકશાન થયું છે.
આ પણ વાંચોઃ India's Renewable Energy: અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે ભારતના સૌર ઊર્જા નિગમ સાથે વિશ્વનો સૌથી મોટો પાવર પરચેઝ એગ્રિમેન્ટ કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.