ETV Bharat / city

દિલ્હી આપના ધારાસભ્યો સંપર્કમાં ન હોવાના સમાચાર, ઇશુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર

author img

By

Published : Aug 25, 2022, 7:26 PM IST

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સંપર્કમાં ન હોવાના સમાચાર લઈને રાજકીય હલચલો જોવા મળી છે. ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇશુદાન ગઢવીએ ખુલાસા કરી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં. Several aap mlas remain untraceable, Meeting at arvind kejriwals residence, Ishudan Gadhvi alleged BJP

દિલ્હી આપના ધારાસભ્યો સંપર્કમાં ન હોવાના સમાચાર, ઇશુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર
દિલ્હી આપના ધારાસભ્યો સંપર્કમાં ન હોવાના સમાચાર, ઇશુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર

અમદાવાદ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના આમ આદમી પાર્ટીના ધારાસભ્યો સંપર્કમાં ન હોવાના સમાચાર લઈને ગુજરાત આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ ખુલાસા કરી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતાં. દિલ્હીમાં રાજકારણ ખૂબ મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. દિલ્હી આપના ધારાસભ્યો સંપર્કમાં ન હોવાના સમાચાર જોઇએ તો 62માંથી 9 ધારાસભ્યો સંપર્ક ન હોવાથી ગુજરાતના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇશુદાન ગઢવી ભાજપ સરકાર આકરા પ્રહાર કર્યા હતાં.

ભાજપ સરકારને હવે જનતાનો સાથ ન મળતા સરકાર પાડવાનું કામ કરી રહ્યા છે

ભાજપનું કામ સરકાર પાડવાનું નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇશુદાન ગઢવી ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટ ભાજપે નવી રણનીતિ અપનાવી છે. ભાજપ સરકારને હવે જનતાનો સાથ ન મળતા સરકાર પાડવાનું કામ કરી રહ્યા છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ બાદ હવે દિલ્હીમાં પણ આ જ કરી રહ્યા છે પરંતુ દિલ્હીમાં આમ જનતાની અને ઈમાનદાર સરકાર છે કોઈ ધારાસભ્યો ભાજપની આ લાલચમાં આવશે નહીં.

દિલ્હીના ધારાસભ્યોને 20 કરોડની ઓફર કરવામાં આવી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ પહેલાં પણ મહારાષ્ટ્રમાં એક ધારાસભ્યોને 50 કરોડની ઓફર કરવામાં આવી હતી. હવે દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને 20 કરોડની ઓફર કરવામાં આવી હતી. તો આટલા બધા રૂપિયા ભાજપ પાસે આવ્યાં ક્યાંથી એ જ મોટો સવાલ છે. કેમ ? Ed અને CBI ભાજપ સરકાર પર દરોડા પાડવામાં આવતા નથી . ભાજપ સરકારે મનીષ સીસોદીયાને પણ દિલ્હીના CM બનાવવાની ઓફર આપવામાં આવી હતી પણ તેમણે પણ આ ઓફર ઠુકરાવી દીધી હતી.

આ પણ વાંચો ભાજપ જ દારૂ વેચાવી કમિશન મેળવતું હોવાનો AAPનો આક્ષેપ

મીટીંગમાં 53 ધારાસભ્યો હાજર ઇશુદાને કહ્યું કે જે સમાચાર વહેતા થયા છે તે ખોટા છે. દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલના ઘેર એમએલએ બેઠક થઇ છે. હાલમાં તમામ ધારાસભ્યો અરવિંદ કેજરીવાલના સંપર્કમાં જે કુલ 62 ધારાસભ્યોમાંથી 53 ધારાસભ્યો મીટીંગમાં હાજર રહ્યા હતાં. 2 ધારાસભ્યો બહાર છે અને 6 ધારાસભ્યો સાથે ફોન પર વાત થઈ છે અને એક ધારાસભ્ય ભાજપ દ્વારા કરાયેલ ખોટા કેસ જેલમાં છે.

આ પણ વાંચો ભાજપવાળા પોતાના નેતાનો ફોટો છાપવા NYTને પૈસા ઓફર કરે છેઃ કેજરીવાલ

ભાજપનો દેશપ્રેમ નકલી વધુમાં આકરા પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે ભાજપ દેશપ્રેમ નકલી છે. જો દેશ પ્રત્યે સાચી લાગણી હોત તો એરપોર્ટ, રેલવે કે પોર્ટ તેમના મિત્રોને વહેંચી દીધું ન હોત. ગુજરાતની હાલત પણ શ્રીલંકા જેવી જ થઈ રહી છે. ગુજરાતના માથે 3 લાખ કરોડનું દેવું માથે છે. આજ ભાજપ રાજ્યના યુવાનોને પૈસા આપીને વોટ્સએપ પર ખોટો પ્રચાર કરવામાં આવે છે. જો 2022 ભાજપની સરકાર ગુજરાતમાં આવી તો તે દેવું 4 લાખ કરોડ દેવું થઈ જશે. Several aap mla remain untraceable , Meeting at arvind kejriwals residence , Ishudan Gadhvi alleged BJP MLA Meeting at Kejriwal Residence , દિલ્હી આપના ધારાસભ્યો સંપર્કમાં ન હોવાના સમાચાર, ઈશુદાન ગઢવીના ભાજપ પર પ્રહાર, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સંપર્કવિહોણા , આપ દિલ્હી એમએલએ મિસિંગ , દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલના ઘેર એમએલએ બેઠક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.